WatchGujarat. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ વિશે સાહિત્ય તથા લેખનજગતના ઘણા મહાનુભાવોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જેમાં આજે www.watchgujarat.comના વાચકો માટે ખાસ લેખક અને પત્રકાર જ્વલંત છાયાનું મંતવ્ય પ્રસ્તુત છે:
હા, એ પ્રયોગ જ છે. પરંતુ હું એને પ્રયોગ નહીં કહું. હું કહીશ કે એક સુયોગ છે. સાંપ્રત વિષયો પર પરખ ભટ્ટ જે લખે, એને વાંચતાં ચારેક વર્ષ વીત્યાં. હવે એ શાશ્વતના પ્રદેશમાં આપણને સૌને લઇને જઇ રહ્યો છે. મૃત્યુંજય નામની એની નવલકથા- નવલકથા જ નહીં, એની પણ શ્રેણી આવી રહી છે. નવલકથાના પ્રકરણ હોય. સિરીયલના એપિસોડ્સ હોય, નવલકથાના અલગ અલગ ભાગ પણ હોય. પરંતુ એક જ નવલકથા ચોક્કસ સમયના અંતરે અલગ આયામ, અલગ સ્વરૂપે વાચકોના દ્વારે પધારે એ એક ઘટના છે. આપણે અનેક એવી કથાઓ વાંચી, જે ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઇ પછી એના એક, બે, ત્રણ એમ ભાગ સાથે પ્રકાશિત થયા. પરંતુ આ ‘મહા-અસુર’ શ્રેણી તો લાંબો પ્રોજેક્ટ છે. સરસ્વતીચંદ્રને લખાતાં 19 વર્ષ કે ઉર્ધ્વમૂલ પૂર્ણ થતાં સાતેક વર્ષ થયાં હતાં. નજીકના ભૂતકાળમાં આવો પ્રયોગ થયાનું મારા ધ્યાનમાં નથી, એટલે એને હું યોગ કહીશ... એને યાગ એટલે કે યજ્ઞ કહીશ... સંશોધન, મનોમંથન અને કલ્પનાનો પ્રયાગ કહીશ.
વિદેશી આક્રાંતાઓના ભાલાના શૂળ સોમનાથની સુવર્ણ જડિત દિવાલો પર પડ્યા, એ ઇતિહાસને તો આદરણીય કે.એમ.મુનશી, ધૂમકેતુ કે રઘુવીર ચૌધરીએ પણ અલગ અલગ રીતે શબ્દસ્થ કર્યો છે. નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરનાર એક સજ્જ, સમર્થ છતાં સૌમ્ય, વિવેકી યુવક આ વિષયને સ્પર્શે, એ જ આપણા જેવા વાચકો માટે તો આજની ઘડી તે રળિયામણી જેવો બનાવ. બાકી તો નવલકથાના નામે રીપોર્ટીંગ થાય જ છે.
વિષય પરખે અત્યંત ગહન, અઘરો પસંદ કર્યો છે... પરંતુ ગુજરાતી સાહિત્યમાં તરવૈયાઓની જેમ લખતા ‘કથાકારો’ની જેમ એમણે શબ્દોની રમત નથી કરી. એ મરજીવો બનીને આ વિષયમાં કૂદ્યો છે. આ કથામંડળ એનું સ્કુબા ડાઇવિંગ છે. શિવતત્વ, શક્તિનું મહત્વ એ બધું એના શબ્દોના સત્વ થકી આપણને મળવાનું છે. પરખની સાથે એના સહલેખક રાજ જાવિયાને પણ અભિનંદન અને વધામણાં. બન્નેએ આ કાર્ય આરંભતાં પહેલાં લઘુરુદ્ર યજ્ઞ કર્યો હતો. આ નવલકથાનું લેખન એ પણ એક મોટો યજ્ઞ છે. શું છે મૃત્યુંજયમાં? એ રહસ્ય આપણે આ ગ્રંથના પાનાને જ ખોલવા દઇ તો? - જ્વલંત છાયા (વરિષ્ઠ પત્રકાર અને લેખક, રાજકોટ)
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
WatchGujarat. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ વિશે સાહિત્ય તથા લેખનજગતના ઘણા મહાનુભાવોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જેમાં આજે www.watchgujarat.comના વાચકો માટે ખાસ લેખક અને પત્રકાર જ્વલંત છાયાનું મંતવ્ય પ્રસ્તુત છે:
હા, એ પ્રયોગ જ છે. પરંતુ હું એને પ્રયોગ નહીં કહું. હું કહીશ કે એક સુયોગ છે. સાંપ્રત વિષયો પર પરખ ભટ્ટ જે લખે, એને વાંચતાં ચારેક વર્ષ વીત્યાં. હવે એ શાશ્વતના પ્રદેશમાં આપણને સૌને લઇને જઇ રહ્યો છે. મૃત્યુંજય નામની એની નવલકથા- નવલકથા જ નહીં, એની પણ શ્રેણી આવી રહી છે. નવલકથાના પ્રકરણ હોય. સિરીયલના એપિસોડ્સ હોય, નવલકથાના અલગ અલગ ભાગ પણ હોય. પરંતુ એક જ નવલકથા ચોક્કસ સમયના અંતરે અલગ આયામ, અલગ સ્વરૂપે વાચકોના દ્વારે પધારે એ એક ઘટના છે. આપણે અનેક એવી કથાઓ વાંચી, જે ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઇ પછી એના એક, બે, ત્રણ એમ ભાગ સાથે પ્રકાશિત થયા. પરંતુ આ ‘મહા-અસુર’ શ્રેણી તો લાંબો પ્રોજેક્ટ છે. સરસ્વતીચંદ્રને લખાતાં 19 વર્ષ કે ઉર્ધ્વમૂલ પૂર્ણ થતાં સાતેક વર્ષ થયાં હતાં. નજીકના ભૂતકાળમાં આવો પ્રયોગ થયાનું મારા ધ્યાનમાં નથી, એટલે એને હું યોગ કહીશ... એને યાગ એટલે કે યજ્ઞ કહીશ... સંશોધન, મનોમંથન અને કલ્પનાનો પ્રયાગ કહીશ.
વિદેશી આક્રાંતાઓના ભાલાના શૂળ સોમનાથની સુવર્ણ જડિત દિવાલો પર પડ્યા, એ ઇતિહાસને તો આદરણીય કે.એમ.મુનશી, ધૂમકેતુ કે રઘુવીર ચૌધરીએ પણ અલગ અલગ રીતે શબ્દસ્થ કર્યો છે. નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરનાર એક સજ્જ, સમર્થ છતાં સૌમ્ય, વિવેકી યુવક આ વિષયને સ્પર્શે, એ જ આપણા જેવા વાચકો માટે તો આજની ઘડી તે રળિયામણી જેવો બનાવ. બાકી તો નવલકથાના નામે રીપોર્ટીંગ થાય જ છે.
વિષય પરખે અત્યંત ગહન, અઘરો પસંદ કર્યો છે... પરંતુ ગુજરાતી સાહિત્યમાં તરવૈયાઓની જેમ લખતા ‘કથાકારો’ની જેમ એમણે શબ્દોની રમત નથી કરી. એ મરજીવો બનીને આ વિષયમાં કૂદ્યો છે. આ કથામંડળ એનું સ્કુબા ડાઇવિંગ છે. શિવતત્વ, શક્તિનું મહત્વ એ બધું એના શબ્દોના સત્વ થકી આપણને મળવાનું છે. પરખની સાથે એના સહલેખક રાજ જાવિયાને પણ અભિનંદન અને વધામણાં. બન્નેએ આ કાર્ય આરંભતાં પહેલાં લઘુરુદ્ર યજ્ઞ કર્યો હતો. આ નવલકથાનું લેખન એ પણ એક મોટો યજ્ઞ છે. શું છે મૃત્યુંજયમાં? એ રહસ્ય આપણે આ ગ્રંથના પાનાને જ ખોલવા દઇ તો? - જ્વલંત છાયા (વરિષ્ઠ પત્રકાર અને લેખક, રાજકોટ)
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.