પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 50 લાખના ખર્ચે તાજપુરા હોસ્પિટલ ખાસે ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
કોરોના કાળમાં બંધ કરાયેલું મંદિર 25/05/2021 થી ભક્તોમાટે શરૂ કરાશે
પંદર થી વીસ દિવસ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે – રાજુભાઇ ભટ્ટ, મંદિર ટ્રસ્ટી
WatchGujarat. ગુજરાત નું એક માત્ર મંદિર પાવાગઢ સ્થિત શ્રીકાલીકા મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી વચ્ચે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત કોવિડ-19 હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન ની અછત ન સર્જાય માટે મંદિર ટ્રસ્ટ દવારા રોજનું 100 બોટલ ઓક્સિજન ભરી થાય તેવો આધુનિક રૂ. 50 લાખના ખર્ચે એક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી આપવાની જાહેરાત કરાવમાં આવી છે. હાલ તબક્કે પ્લાન્ટ નું સિવિલ બાંધકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ઓક્સિજન પ્લાન્ટની મશીનરીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓ ને ઓક્સિજનના રૂપે માતાજી નો આશિર્વાદ લીધાનો અનુભવ થશે. તાજપુરા કોવિડ હોસ્પિટલ ની બાજુમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે ટ્રસ્ટ અને સંબંધિત લોકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. મહાકાળી મંદિર ટ્રસ્ટ ના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટ એ જણાવ્યું હતું કે, પંદર થી વીસ દિવસ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
કોરોના મહામારી ની બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થતા મહામારી મા ઓક્સિજન એક માત્ર પ્રાણવાયુ છે. હાલમાં ચાલતી કોરોના મહામારીને પગલે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પર પાબંધી મુકી દેવામાં આવી હતી. હજી પણ કોરોના સંકટ જનતાના માથેથી ઓછું ન થતા તકેદારીના પગલાં રૂપે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લંબાવી દઈ આગામી તા.24/05/2021 સુધી મંદિરના દ્વારા ભક્તજનો માટે બંધ રાખી 25/05/2021 થી મંદિર રાબેતા મુજબ ખુલ્લું મુકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 50 લાખના ખર્ચે તાજપુરા હોસ્પિટલ ખાસે ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
કોરોના કાળમાં બંધ કરાયેલું મંદિર 25/05/2021 થી ભક્તોમાટે શરૂ કરાશે
પંદર થી વીસ દિવસ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે – રાજુભાઇ ભટ્ટ, મંદિર ટ્રસ્ટી
WatchGujarat. ગુજરાત નું એક માત્ર મંદિર પાવાગઢ સ્થિત શ્રીકાલીકા મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી વચ્ચે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત કોવિડ-19 હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન ની અછત ન સર્જાય માટે મંદિર ટ્રસ્ટ દવારા રોજનું 100 બોટલ ઓક્સિજન ભરી થાય તેવો આધુનિક રૂ. 50 લાખના ખર્ચે એક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી આપવાની જાહેરાત કરાવમાં આવી છે. હાલ તબક્કે પ્લાન્ટ નું સિવિલ બાંધકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ઓક્સિજન પ્લાન્ટની મશીનરીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓ ને ઓક્સિજનના રૂપે માતાજી નો આશિર્વાદ લીધાનો અનુભવ થશે. તાજપુરા કોવિડ હોસ્પિટલ ની બાજુમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે ટ્રસ્ટ અને સંબંધિત લોકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. મહાકાળી મંદિર ટ્રસ્ટ ના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટ એ જણાવ્યું હતું કે, પંદર થી વીસ દિવસ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
કોરોના મહામારી ની બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થતા મહામારી મા ઓક્સિજન એક માત્ર પ્રાણવાયુ છે. હાલમાં ચાલતી કોરોના મહામારીને પગલે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પર પાબંધી મુકી દેવામાં આવી હતી. હજી પણ કોરોના સંકટ જનતાના માથેથી ઓછું ન થતા તકેદારીના પગલાં રૂપે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લંબાવી દઈ આગામી તા.24/05/2021 સુધી મંદિરના દ્વારા ભક્તજનો માટે બંધ રાખી 25/05/2021 થી મંદિર રાબેતા મુજબ ખુલ્લું મુકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.