કોરોનાએ આપણી હેસ્થ સીસ્ટમમાં રહેલી ખામીઓ સારી રીતા ઉજાગર કરી છે
કોરોનાનો રિપોર્ટ કરાવવાથી લઇને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાવવા સુધી હાલ કતારો જોવા મળે છે
અત્યાર સુધી કોરોનાને કારણે મોત થતું હતું, પરંતુ હવે જરૂરી દવાઓ નહિ મળવાને કારણે પણ મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવે છે
WatchGujarat. કોરોનાને કારણે આપણી હેલ્થ સીસ્ટમમાં રહેલી સારી રીતા ઉજાગર થવા પામી છે. હાલ ભરૂચ જિલ્લાની 16.95 લાખ જેટલી વસ્તી સામે માત્ર 58 કોવિડ હોસ્પિટલો, 3000 જેટલા બેડ, 1600 ઓક્સિજન અને 113 વેન્ટિલેટર બેડ કોરોના દર્દીઓની રોજ વધતી 200 થી 300 ની સંખ્યા સામે ઓછા પડી રહ્યા છે. કોરોનાને લઇને તમામ વસ્તુઓમાં વેઇટીંગ લાગી ગયું છે.
રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રાજ્યના તમામ શહેરોમાં રોજે રોજ કોરોના નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. તેવા સમયે લોકોને જરૂરી સારવાર આપવા માટે આપણી પાસે સંસાધનો ઉપલબ્ધ નથી. જેને લઇને હોસ્પિટલો અને સ્મશાન ગૃહોની બહાર લાંહી કતારો જોવા મળી રહી છે. ભરૂચમાં સવારથી જ લેબોરેટરી, સિટી સ્કેન સેન્ટરો બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. કલાકો સુધી લોકો પોતાના વિવિધ કોવિડ-19 ટેસ્ટ કરાવવા તડકામાં પણ ઉભા રહી ક્યારે નંબર લાગે છે તેની રાહમાં જ વધુ સ્વાસ્થ્ય કથળાવી રહ્યા છે.
વેકસીનેશન, કોરોના ટેસ્ટ, સિટી સ્કેન માટેની કતારો તો ઠીક છે પરંતુ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર રહેલા કોરોનાના દર્દી રૂંધાતા શ્વાસ વચ્ચે હોસ્પિટલ બહાર પોતાને બેડ મળી જાય તેની રાહમાં લાઈન લગાવી બેઠો છે. ઓક્સિજન અને વેન્ટીલેટરના બેડ નહિ મળતા દર્દીને એમ્બ્યુલન્સમાં જ જ્યાં સુધી જે તે હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સારવાર માટે રાહ જોવાની મજબૂરી મળી રહી છે. જેને લઇને દર્દી તથા તેમના સગાના જીવ અધ્ધર રહે છે.
સરકારી તંત્ર દ્વારા કોરોનાના આંકડામાં ભારે ઘાલમેલ કરવામાં આવી રહી છે. રોજના ભરૂચમાં તંત્રના આંકડા મુજબ સત્તાવાર 100 થી 150 પોઝિટિવ કેસ આવી રહ્યા છે જ્યારે બિનસત્તાવાર કોરોના પોઝિટિવ કેસનો આંકડો 300 થી 400 દર્દીઓથી વધુ હોવાનું વિવિધ હોસ્પિટલ બહાર જમતી ભીડ અને બેડની અછત પરથી જ બહાર આવી રહ્યો છે. જો આ રીતે લાંબો સમય રહેશે તો સ્વાસ્થ્ય તંત્રની કમર તુટી જશે.
જો કે, કોરોના ટેસ્ટીંગ અને સીટી સ્કેન કરાવવા લાગેલી લાઇનનો સીલસીલો લાંબો છે. હાલ ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા બેડની જ આવી સ્થિતિ છે ત્યારે દાખલ દર્દીઓ પણ હોસ્પિટલોની અંદર ફેફસાના વ્યાપક કોરોના સંક્રમણમાં રેમડીસીવેર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ક્યારે મળશે તેની રાહ વચ્ચે ઓક્સિજન તેમજ વેન્ટિલેટર પર એક એક શ્વાસ માટે જિંદગી સામે લડી રહ્યા છે.
શુક્રવાર સુધીના સરકારી આંકડા મુજબ જ ભરૂચ જિલ્લામાં હાલ 1578 એક્ટિવ કેસ છે, 52 લોકોના મૃત્યુ થયા છે, કુલ 4474 લોકોને ડિસ્ચાર્જ કરાય છે, જ્યારે અત્યાર સુધી કુલ 6104 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લામાં 5374 કન્ટેનમેન્ટ ઝોન પૈકી 1032 એક્ટિવ છે.
બીજી તરફ કોવિડ સ્મશાનમાં જ અત્યાર સુધી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારનો આંકડો 1000 ને પાર કરી ગયો છે, મુસ્લિમ સમાજના દર્દીઓની દફનવીધીનો આંકડા તો સામે આવ્યા જ નથી. હોસ્પિટલ કે બહાર દર્દી ઓક્સિજન, વેન્ટિલેટર કે ઇન્જેક્શન નહિ મળવાથી કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવી રહ્યો છે ત્યારે બહાર તેના સગા કે પરિજનો આ વ્યવસ્થા કે વસ્તુ મેળવી નહિ શકવાથી કઈ ન કરી શકવાનો જીવ બાળી રહ્યા છે. જો સરકાર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો લોકો પોતાના પરિજન ગુમાવતા રહેશે.
કોરોનાએ આપણી હેસ્થ સીસ્ટમમાં રહેલી ખામીઓ સારી રીતા ઉજાગર કરી છે
કોરોનાનો રિપોર્ટ કરાવવાથી લઇને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાવવા સુધી હાલ કતારો જોવા મળે છે
અત્યાર સુધી કોરોનાને કારણે મોત થતું હતું, પરંતુ હવે જરૂરી દવાઓ નહિ મળવાને કારણે પણ મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવે છે
WatchGujarat. કોરોનાને કારણે આપણી હેલ્થ સીસ્ટમમાં રહેલી સારી રીતા ઉજાગર થવા પામી છે. હાલ ભરૂચ જિલ્લાની 16.95 લાખ જેટલી વસ્તી સામે માત્ર 58 કોવિડ હોસ્પિટલો, 3000 જેટલા બેડ, 1600 ઓક્સિજન અને 113 વેન્ટિલેટર બેડ કોરોના દર્દીઓની રોજ વધતી 200 થી 300 ની સંખ્યા સામે ઓછા પડી રહ્યા છે. કોરોનાને લઇને તમામ વસ્તુઓમાં વેઇટીંગ લાગી ગયું છે.
રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રાજ્યના તમામ શહેરોમાં રોજે રોજ કોરોના નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. તેવા સમયે લોકોને જરૂરી સારવાર આપવા માટે આપણી પાસે સંસાધનો ઉપલબ્ધ નથી. જેને લઇને હોસ્પિટલો અને સ્મશાન ગૃહોની બહાર લાંહી કતારો જોવા મળી રહી છે. ભરૂચમાં સવારથી જ લેબોરેટરી, સિટી સ્કેન સેન્ટરો બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. કલાકો સુધી લોકો પોતાના વિવિધ કોવિડ-19 ટેસ્ટ કરાવવા તડકામાં પણ ઉભા રહી ક્યારે નંબર લાગે છે તેની રાહમાં જ વધુ સ્વાસ્થ્ય કથળાવી રહ્યા છે.
વેકસીનેશન, કોરોના ટેસ્ટ, સિટી સ્કેન માટેની કતારો તો ઠીક છે પરંતુ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર રહેલા કોરોનાના દર્દી રૂંધાતા શ્વાસ વચ્ચે હોસ્પિટલ બહાર પોતાને બેડ મળી જાય તેની રાહમાં લાઈન લગાવી બેઠો છે. ઓક્સિજન અને વેન્ટીલેટરના બેડ નહિ મળતા દર્દીને એમ્બ્યુલન્સમાં જ જ્યાં સુધી જે તે હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સારવાર માટે રાહ જોવાની મજબૂરી મળી રહી છે. જેને લઇને દર્દી તથા તેમના સગાના જીવ અધ્ધર રહે છે.
સરકારી તંત્ર દ્વારા કોરોનાના આંકડામાં ભારે ઘાલમેલ કરવામાં આવી રહી છે. રોજના ભરૂચમાં તંત્રના આંકડા મુજબ સત્તાવાર 100 થી 150 પોઝિટિવ કેસ આવી રહ્યા છે જ્યારે બિનસત્તાવાર કોરોના પોઝિટિવ કેસનો આંકડો 300 થી 400 દર્દીઓથી વધુ હોવાનું વિવિધ હોસ્પિટલ બહાર જમતી ભીડ અને બેડની અછત પરથી જ બહાર આવી રહ્યો છે. જો આ રીતે લાંબો સમય રહેશે તો સ્વાસ્થ્ય તંત્રની કમર તુટી જશે.
જો કે, કોરોના ટેસ્ટીંગ અને સીટી સ્કેન કરાવવા લાગેલી લાઇનનો સીલસીલો લાંબો છે. હાલ ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા બેડની જ આવી સ્થિતિ છે ત્યારે દાખલ દર્દીઓ પણ હોસ્પિટલોની અંદર ફેફસાના વ્યાપક કોરોના સંક્રમણમાં રેમડીસીવેર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ક્યારે મળશે તેની રાહ વચ્ચે ઓક્સિજન તેમજ વેન્ટિલેટર પર એક એક શ્વાસ માટે જિંદગી સામે લડી રહ્યા છે.
શુક્રવાર સુધીના સરકારી આંકડા મુજબ જ ભરૂચ જિલ્લામાં હાલ 1578 એક્ટિવ કેસ છે, 52 લોકોના મૃત્યુ થયા છે, કુલ 4474 લોકોને ડિસ્ચાર્જ કરાય છે, જ્યારે અત્યાર સુધી કુલ 6104 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લામાં 5374 કન્ટેનમેન્ટ ઝોન પૈકી 1032 એક્ટિવ છે.
બીજી તરફ કોવિડ સ્મશાનમાં જ અત્યાર સુધી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારનો આંકડો 1000 ને પાર કરી ગયો છે, મુસ્લિમ સમાજના દર્દીઓની દફનવીધીનો આંકડા તો સામે આવ્યા જ નથી. હોસ્પિટલ કે બહાર દર્દી ઓક્સિજન, વેન્ટિલેટર કે ઇન્જેક્શન નહિ મળવાથી કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવી રહ્યો છે ત્યારે બહાર તેના સગા કે પરિજનો આ વ્યવસ્થા કે વસ્તુ મેળવી નહિ શકવાથી કઈ ન કરી શકવાનો જીવ બાળી રહ્યા છે. જો સરકાર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો લોકો પોતાના પરિજન ગુમાવતા રહેશે.