વેપારીઓ પ્રજા પાસે માસ્ક નહિ પહેરવા પર દંડ વસુલાય છે તો પાલિકાની અંદર સ્ટાફને કોણ ફટકારશે દંડ
પાલિકામાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓ પોતાને અને અન્યોને પણ કરી શકે છે સંક્રમિત
અંકલેશ્વર શહેર હાલ કોરોના કરફ્યુથી મુક્ત છે પણ જો પાલિકા તંત્ર અને પ્રજા નહિ સમજે તો તેઓ પણ કરફ્યુ માટે તૈયાર રહેવું પડશે
WatchGujarat. કોરોના સંક્રમણની ચેઇન ફરી એક વખત તોડી તેને કાબુમાં લાવવા બુધવારથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યુ 30 એપ્રિલ સુધી લદાયો છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વર શહેર હાલ તો નાઈટ કરફ્યુથી બાકાત રહ્યું છે. જોકે અંકલેશ્વર પાલિકામાં જ માસ્ક પ્રત્યે કોઈ ગંભીર તા ન હોય પ્રજાને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરાવતી પાલિકા જ અંકલેશ્વર માં સંક્રમણ ફેલાવવામાં અને ન છૂટકે નાઈટ કરફ્યુનું વાહક બની શકે છે.
અંકલેશ્વર પાલિકા તંત્ર હાલ વેપારીઓ, દુકાનદારો, વાહનચાલકો, પ્રજાને માસ્ક પહેરવા અને સેનેટાઇઝ, સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું કડકાઇથી પાલન કરાવી રહી છે, જે ઘણી આવકારદાયક બાબત છે. માસ્ક વિના ફરતા કે ઝપટે ચઢતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર જ ખુદ આ નિયમો અને સાવધાનીઓનું પાલન કરી રહ્યું નથી.
બુધવારે અંકલેશ્વર પાલિકામાં જાણે કોરોના હોય જ ન અને પાલિકા કોરોના મુક્ત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલિકાના કર્મચારીઓ અને પદાધિકારીઓ માસ્ક વિના ફરજ બજાવતા નજરે ચઢ્યા હતા.
પાલિકા તંત્રના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જ માસ્ક નહિ પહેરે તો સંક્રમણ તૂટવાને બદલે વધી શકે છે અને તેઓ પોતે સાથે અન્યોને પણ કોરોનાગ્રસ્ત કરી શકે છે. હવે પાલિકામાં માસ્કની સખત અમલવારી અને જે માસ્ક નહિ પેહરનારને દંડની કાર્યવાહીનું પાલન કોણ કરાવશે તેવા સવાલો પ્રજામાં ઉભા થયા છે. નગરમાં પાલિકા તંત્રમાં જ વગર માસ્કે થતી કામગીરીના વિડીયો વાયરલ થતા પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
વેપારીઓ પ્રજા પાસે માસ્ક નહિ પહેરવા પર દંડ વસુલાય છે તો પાલિકાની અંદર સ્ટાફને કોણ ફટકારશે દંડ
પાલિકામાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓ પોતાને અને અન્યોને પણ કરી શકે છે સંક્રમિત
અંકલેશ્વર શહેર હાલ કોરોના કરફ્યુથી મુક્ત છે પણ જો પાલિકા તંત્ર અને પ્રજા નહિ સમજે તો તેઓ પણ કરફ્યુ માટે તૈયાર રહેવું પડશે
WatchGujarat. કોરોના સંક્રમણની ચેઇન ફરી એક વખત તોડી તેને કાબુમાં લાવવા બુધવારથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યુ 30 એપ્રિલ સુધી લદાયો છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વર શહેર હાલ તો નાઈટ કરફ્યુથી બાકાત રહ્યું છે. જોકે અંકલેશ્વર પાલિકામાં જ માસ્ક પ્રત્યે કોઈ ગંભીર તા ન હોય પ્રજાને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરાવતી પાલિકા જ અંકલેશ્વર માં સંક્રમણ ફેલાવવામાં અને ન છૂટકે નાઈટ કરફ્યુનું વાહક બની શકે છે.
અંકલેશ્વર પાલિકા તંત્ર હાલ વેપારીઓ, દુકાનદારો, વાહનચાલકો, પ્રજાને માસ્ક પહેરવા અને સેનેટાઇઝ, સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું કડકાઇથી પાલન કરાવી રહી છે, જે ઘણી આવકારદાયક બાબત છે. માસ્ક વિના ફરતા કે ઝપટે ચઢતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર જ ખુદ આ નિયમો અને સાવધાનીઓનું પાલન કરી રહ્યું નથી.
બુધવારે અંકલેશ્વર પાલિકામાં જાણે કોરોના હોય જ ન અને પાલિકા કોરોના મુક્ત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલિકાના કર્મચારીઓ અને પદાધિકારીઓ માસ્ક વિના ફરજ બજાવતા નજરે ચઢ્યા હતા.
પાલિકા તંત્રના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જ માસ્ક નહિ પહેરે તો સંક્રમણ તૂટવાને બદલે વધી શકે છે અને તેઓ પોતે સાથે અન્યોને પણ કોરોનાગ્રસ્ત કરી શકે છે. હવે પાલિકામાં માસ્કની સખત અમલવારી અને જે માસ્ક નહિ પેહરનારને દંડની કાર્યવાહીનું પાલન કોણ કરાવશે તેવા સવાલો પ્રજામાં ઉભા થયા છે. નગરમાં પાલિકા તંત્રમાં જ વગર માસ્કે થતી કામગીરીના વિડીયો વાયરલ થતા પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.