ગણતંત્ર દિવસે બુલેટ ટ્રેનમાં જમીન ગુમાવનારાઓએ પોતાની માંગ પુરી કરવા માટે માનવ સાંકળ રચી
આગામી સમયમાં જમીન ગુમાનવારાઓ લોકપ્રતિનીધીને મળી રજુઆત કરાશે
WatchGujarat. મંગળવારે દેશમાં 72 માં ગણતંત્ર દિવસની ઉવજણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના પંડ્યા હોટલ પાસે રહેતા લોકોએ બુલેટ ટ્રેનમાં કપાતમાં જતા મકાનો, દુકાનો, ઓફિસોનું યોગ્ય વળતર ચુકવવા માટેની માંગ સાથે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં ચાલના લોકો લોકપ્રતિનીધી સમક્ષ રજુઆત કરશે
સામાજિક કાર્યકર અને એડવોકેટ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નાણાવટીની ચાલ, ફરામજીની ચાલ અને શંકરવાડી મહેતા લોકોના મકાનો, દુકાનો અને ઓફિસો કપાતમાં જઈ રહ્યા છે. સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મકાન, દુકાન, જમીન ગુમાવનાર લોકોને યોગ્ય વળતર આપવામાં આવતું ન હોવાથી આજે માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. યોગ્ય વળતર અથવા પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. વિસ્થાપીત થનારાઓને પૈસા આપવાની જગ્યાએ પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી સમયમાં ચાલના લોકો લોકપ્રતિનીધી સમક્ષ રજુઆત કરશે
અમારુ ભવિષ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવું
સ્થાનિક સોનલબેન નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુલેટ ટ્રેનનું સપનું છે. તેવું સપનું અમારું પણ છે. પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમારા મકાનો જઈ રહ્યા છે એની સામે અમને યોગ્ય વળતર આપવામાં આવે. જેથી અમારુ ભવિષ્ય બગડે નહીં.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમારા મકાનોની સામે સામાન્ય વળતર ચુકવવામાં આવશે
નાણાવટીની ચાલમાં રહેતા રીનાબહેને જણાવ્યું હતું કે, અમે અહિંયા 28 વર્ષથી રહીયે છીએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમારા મકાનોની સામે સામાન્ય વળતર આપવામાં આવી રહ્યું છે. અમારા મકાનની સામે યોગ્ય વળતર આપવામાં આવે. તે સાથે જે લોકોની દુકાનો જઈ રહી છે તેઓને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે.
ગણતંત્ર દિવસે બુલેટ ટ્રેનમાં જમીન ગુમાવનારાઓએ પોતાની માંગ પુરી કરવા માટે માનવ સાંકળ રચી
આગામી સમયમાં જમીન ગુમાનવારાઓ લોકપ્રતિનીધીને મળી રજુઆત કરાશે
WatchGujarat. મંગળવારે દેશમાં 72 માં ગણતંત્ર દિવસની ઉવજણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના પંડ્યા હોટલ પાસે રહેતા લોકોએ બુલેટ ટ્રેનમાં કપાતમાં જતા મકાનો, દુકાનો, ઓફિસોનું યોગ્ય વળતર ચુકવવા માટેની માંગ સાથે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં ચાલના લોકો લોકપ્રતિનીધી સમક્ષ રજુઆત કરશે
સામાજિક કાર્યકર અને એડવોકેટ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નાણાવટીની ચાલ, ફરામજીની ચાલ અને શંકરવાડી મહેતા લોકોના મકાનો, દુકાનો અને ઓફિસો કપાતમાં જઈ રહ્યા છે. સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મકાન, દુકાન, જમીન ગુમાવનાર લોકોને યોગ્ય વળતર આપવામાં આવતું ન હોવાથી આજે માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. યોગ્ય વળતર અથવા પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. વિસ્થાપીત થનારાઓને પૈસા આપવાની જગ્યાએ પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી સમયમાં ચાલના લોકો લોકપ્રતિનીધી સમક્ષ રજુઆત કરશે
અમારુ ભવિષ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવું
સ્થાનિક સોનલબેન નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુલેટ ટ્રેનનું સપનું છે. તેવું સપનું અમારું પણ છે. પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમારા મકાનો જઈ રહ્યા છે એની સામે અમને યોગ્ય વળતર આપવામાં આવે. જેથી અમારુ ભવિષ્ય બગડે નહીં.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમારા મકાનોની સામે સામાન્ય વળતર ચુકવવામાં આવશે
નાણાવટીની ચાલમાં રહેતા રીનાબહેને જણાવ્યું હતું કે, અમે અહિંયા 28 વર્ષથી રહીયે છીએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમારા મકાનોની સામે સામાન્ય વળતર આપવામાં આવી રહ્યું છે. અમારા મકાનની સામે યોગ્ય વળતર આપવામાં આવે. તે સાથે જે લોકોની દુકાનો જઈ રહી છે તેઓને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે.