ભાજપા શહેર પ્રમુખ ડો. વિજય શાહના રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 નક્કી કર્યાના દાવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત નહિ
દર્દીના પરિવારજનો મોં માંગ્યા ભાવે રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે મજબુર બન્યા
ટોસીલીઝુમેબ ઇન્જેક્શન દર્દીઓની પહોંચની બહાર
ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે મેડીકલ સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા હતા. અને ઉચ્ચ અધિકારીઓ સામે મીટિંગ યોજી હતી. ત્યાર બાદથી શહેરમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે. ગત રોજ શહેરમાં મૃતકના દેહને હાથ લારીમાં લઇ જવાના કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાર બાદ હાલની સ્થિતી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષમ રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે તેમના પરિવારજનો હવાતીયા મારી રહ્યા છે. અને જો કોઇ જગ્યાએ ઇન્જેક્શન મળતા હોય તો મોં માંગે તેટલી કિંમત આપવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે.
વડોદરા સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોન વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતી વધુ વિકટ બનતી જાય છે. શહેરના મેયર કોરોના પોઝીટીવ થયા હતા. ત્યાર બાદ અચાનક તેઓ ગાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે ઉચ્ચ સ્તરીય મિટીંગમાં હાજર દેખાયા હતા. અને પછી હોમ ક્વોરન્ટાઇનમાં જતા રહ્યા હતા. ગત રોજ શહેરના ભાજપા શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 કર્યાનો દાવો કર્યો હતો. જો કો, તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
તમામ રાજકીય સર્કસ વચ્ચે હાલની સ્થિતી એવી છે કે, હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનો જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારી રહ્યા છે. જો કોઇ જગ્યાએથી રેમડેસીવીર ઇન્જેક્શન મળે તો મોં માંગ્યા ભાવે ખરીદવા તૈયાર છે. એક તરફ પ્રજાને રોજે રોજ ઇન્જેક્શન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા કોઇ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી નથી.
સરકાર દ્વારા એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ પ્રજાએ ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારવાનો વારો આવ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો અનિયમીત રીતે પુરો પાડવામાં આવી રહ્યો છે. જેને લઇને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
કોરોનાના દર્દીઓની સ્થિતી વધુ ખરાબ હોય તો તેઓને સારવાર માટે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવતા હતા. જેની કિંમત રૂ. 40 હજાર સુધી વસુલવામાં આવતી હતી. જો કે, હવે આ ઇન્જેક્શન તો દર્દીઓના પરિવારજનોની પહોંચની બહાર જતા રહ્યા છે. આમ, કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની ઇન્જેક્શન મેળવવામાં પડતી હાલાકીને કારણે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરવાસીઓની સમસ્યાને ધ્યાને લઇને ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી દીધી હતી.
ભાજપા શહેર પ્રમુખ ડો. વિજય શાહના રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 નક્કી કર્યાના દાવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત નહિ
ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે મેડીકલ સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા હતા. અને ઉચ્ચ અધિકારીઓ સામે મીટિંગ યોજી હતી. ત્યાર બાદથી શહેરમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે. ગત રોજ શહેરમાં મૃતકના દેહને હાથ લારીમાં લઇ જવાના કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાર બાદ હાલની સ્થિતી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષમ રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે તેમના પરિવારજનો હવાતીયા મારી રહ્યા છે. અને જો કોઇ જગ્યાએ ઇન્જેક્શન મળતા હોય તો મોં માંગે તેટલી કિંમત આપવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે.
વડોદરા સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોન વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતી વધુ વિકટ બનતી જાય છે. શહેરના મેયર કોરોના પોઝીટીવ થયા હતા. ત્યાર બાદ અચાનક તેઓ ગાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે ઉચ્ચ સ્તરીય મિટીંગમાં હાજર દેખાયા હતા. અને પછી હોમ ક્વોરન્ટાઇનમાં જતા રહ્યા હતા. ગત રોજ શહેરના ભાજપા શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 કર્યાનો દાવો કર્યો હતો. જો કો, તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
તમામ રાજકીય સર્કસ વચ્ચે હાલની સ્થિતી એવી છે કે, હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનો જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારી રહ્યા છે. જો કોઇ જગ્યાએથી રેમડેસીવીર ઇન્જેક્શન મળે તો મોં માંગ્યા ભાવે ખરીદવા તૈયાર છે. એક તરફ પ્રજાને રોજે રોજ ઇન્જેક્શન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા કોઇ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી નથી.
સરકાર દ્વારા એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ પ્રજાએ ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારવાનો વારો આવ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો અનિયમીત રીતે પુરો પાડવામાં આવી રહ્યો છે. જેને લઇને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
કોરોનાના દર્દીઓની સ્થિતી વધુ ખરાબ હોય તો તેઓને સારવાર માટે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવતા હતા. જેની કિંમત રૂ. 40 હજાર સુધી વસુલવામાં આવતી હતી. જો કે, હવે આ ઇન્જેક્શન તો દર્દીઓના પરિવારજનોની પહોંચની બહાર જતા રહ્યા છે. આમ, કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની ઇન્જેક્શન મેળવવામાં પડતી હાલાકીને કારણે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરવાસીઓની સમસ્યાને ધ્યાને લઇને ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી દીધી હતી.