પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા
વાવાઝોડામાં મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત
ઉચ્ચ પદાધીકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો
WatchGujarat. રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે સર્જાયેલી તારાજીની સ્થિતીની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. સૌરાષ્ટ્ર સહિત વધુ અસરગ્રસ્ત વિસ્તારનું વાઇ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધીકારીઓ સાથે મહત્વની મિટીંગ યોજી હતા. મિટીંગમાં ચર્ચા વિચારણા બાદ ગુજરાતના રૂ. 1 હજાર કરોડની પ્રારંભીક સહાય આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
https://twitter.com/narendramodi/status/1394974148124885001?s=20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. નિરીક્ષણ બાદ અમદાવાદમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.
સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને રૂ. 1000 કરોડની પ્રારંભિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશ્નર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા
વાવાઝોડામાં મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત
ઉચ્ચ પદાધીકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો
WatchGujarat. રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે સર્જાયેલી તારાજીની સ્થિતીની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. સૌરાષ્ટ્ર સહિત વધુ અસરગ્રસ્ત વિસ્તારનું વાઇ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધીકારીઓ સાથે મહત્વની મિટીંગ યોજી હતા. મિટીંગમાં ચર્ચા વિચારણા બાદ ગુજરાતના રૂ. 1 હજાર કરોડની પ્રારંભીક સહાય આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. નિરીક્ષણ બાદ અમદાવાદમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.
સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને રૂ. 1000 કરોડની પ્રારંભિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશ્નર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.