ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આકરા નિર્ણયો લેવામાં આવ્યા
મંગળબજારમાં પોલીસ દ્વારા સ્પીકર પર કોરોનાની ગંભીરતા અને સાવચેતી અંગે સમજણ આપવામાં આવી
રાજ્યભરમાં 5 મે સુધી આંશિક લોકડાઉન લાગુ કરાયું
WatchGujarat. ગત રોજ રાજ્યના 29 શહેરોમાં અનેક નિયમો લાદી દીધા હતા. જેને આંશિક લોકડાઉન માની શકાય છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનની સમજના અભાવે લોકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. દરમિયાન શહેર પોલીસે શહેરના મંગળબજાસ સહિતના વિસ્તારોમાં જઇને ચાલુ દુકાનો બંધ કરાવી હતી. અને આ અંગેની સ્પીકર પર જાહેરાત પણ કરવામાં આવી હતી.
https://youtu.be/9EGxJr_AKtM
વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીમાં રોજે રોજ નવા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરાના અનેક વેપારી સંગઠનો દ્વારા લોકડાઉન આપવાની માંગ કરવામાં આવી હતી.
ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવાની સાથે આવશ્યક સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ અંગે ગાઇડલાઇન પણ જારી કરી હતી. પરંતુ ગાઇડલાઇનની સમજના અભાવે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો.
લોકોમાં કચવાટ વચ્ચે શહેર પોલીસ દ્વારા મંગળબજાર તથા રાવપુરા વિસ્તારમાં આવેલી દુકાનો સમજાવટથી બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પીકર પર કોરોનાની ગંભીરતા અને સાવચેતી અંગે સમજણ આપવામાં આવી હતી. અને લોકોની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
પરંતુ લોકોમાં ગાઇડલાઇનની અસ્પષ્ટતાને પગલે કચવાટ હજી યથાવત છે. જો કે, રાજ્યમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતી સર્જાઇ છે. 5 મે સુધી તમામ કોમ્પલેક્ષ, બજારો બંધ રહેશે. સરકાર દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, 8 દિવસમાં ચેઇન તુટશે કે નહિ તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે. કોરોનાને હરાવવા માટે લોકોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીને સરકારને પ્રયાસોને બળ આપવું જોઇએ. પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાને રાખીને બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવું જોઇએ. એટલું જ નહિ જો બહાર નિકળવાનું થાય તો માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અચુક કરવું જોઇએ.
ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આકરા નિર્ણયો લેવામાં આવ્યા
મંગળબજારમાં પોલીસ દ્વારા સ્પીકર પર કોરોનાની ગંભીરતા અને સાવચેતી અંગે સમજણ આપવામાં આવી
રાજ્યભરમાં 5 મે સુધી આંશિક લોકડાઉન લાગુ કરાયું
WatchGujarat. ગત રોજ રાજ્યના 29 શહેરોમાં અનેક નિયમો લાદી દીધા હતા. જેને આંશિક લોકડાઉન માની શકાય છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનની સમજના અભાવે લોકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. દરમિયાન શહેર પોલીસે શહેરના મંગળબજાસ સહિતના વિસ્તારોમાં જઇને ચાલુ દુકાનો બંધ કરાવી હતી. અને આ અંગેની સ્પીકર પર જાહેરાત પણ કરવામાં આવી હતી.
વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીમાં રોજે રોજ નવા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરાના અનેક વેપારી સંગઠનો દ્વારા લોકડાઉન આપવાની માંગ કરવામાં આવી હતી.
ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવાની સાથે આવશ્યક સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ અંગે ગાઇડલાઇન પણ જારી કરી હતી. પરંતુ ગાઇડલાઇનની સમજના અભાવે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો.
લોકોમાં કચવાટ વચ્ચે શહેર પોલીસ દ્વારા મંગળબજાર તથા રાવપુરા વિસ્તારમાં આવેલી દુકાનો સમજાવટથી બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પીકર પર કોરોનાની ગંભીરતા અને સાવચેતી અંગે સમજણ આપવામાં આવી હતી. અને લોકોની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
પરંતુ લોકોમાં ગાઇડલાઇનની અસ્પષ્ટતાને પગલે કચવાટ હજી યથાવત છે. જો કે, રાજ્યમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતી સર્જાઇ છે. 5 મે સુધી તમામ કોમ્પલેક્ષ, બજારો બંધ રહેશે. સરકાર દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, 8 દિવસમાં ચેઇન તુટશે કે નહિ તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે. કોરોનાને હરાવવા માટે લોકોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીને સરકારને પ્રયાસોને બળ આપવું જોઇએ. પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાને રાખીને બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવું જોઇએ. એટલું જ નહિ જો બહાર નિકળવાનું થાય તો માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અચુક કરવું જોઇએ.