બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાને કારણે હવે વધુ ઝડપથી લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે
કોરોનાના કેસો વધતા હોસ્પિટલ તંત્ર પણ કામનું કમરતોડ ભારણ વધ્યું
કોરોના કાળમાં મૃત્યુદરમાં વધારો થતા સ્મશાનગૃહો 24 કલાક ચાલુ રહે તેવી સ્થિતી સર્જાઇ
હોસ્પિટલ અને સ્મશાનગૃહો બહાર અવ્યવસ્થા ન સર્જાય તે માટે આખરે પોલીસ બંદોબસ્ત મુકવો પડ્યો
WatchGujarat. શહેરમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કોરોના કેસોમાં પ્રચંડ વધારો થતા હોસ્પિટલ તંત્ર પર કામનું ભારણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઇને કેટલીક વખત દર્દીના પરિવારજનો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી. તથા કોરોના કાળમાં મૃત્યુદરમાં વધારો થતા સ્મશાનગૃહોમાં 24 કલાક અંતિમક્રિયા ચાલુ રાખવા પડે છે. તેવા સમયે હવે પોલીસ તંત્ર દ્વારા હોસ્પિટલ અને સ્મશાનગૃહોની બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. રવિવારે સરકારી હોસ્પિટલ અને સ્મશાનગૃહો બહાર તૈનાત પોલીસ કર્મીઓ જોવા મળ્યા હતા.
રાજ્યમાં કોરોનાનો કહેર અટકાવવા માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાને કહેર ઘટવાની જગ્યાએ પ્રચંડ વેગે વધી રહ્યો છે. બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાને કારણે હવે વધુ ઝડપથી લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેને લઇને સરકારી તથા ખાનગી હોસ્પિટલો કોરોના પોઝીટીવ દર્દીઓથી છલકાઇ રહી છે. જેને કારણે હોસ્પિટલ તંત્ર પર એકાએક કામનું કમરતોડ ભારણ વધ્યું છે. દરમિયાન દર્દીના પરિવારજનો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી. તાજેતરની સ્થિતીને ધ્યાને રાખીને શહેરની સરકારી હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની સંખ્યામાં અનેકઘણો વધારો થયો હતો. સ્મશાનગૃહોમાં 24 કલાક મૃતદેહોના અંતિમ સંસ્કારની ક્રિયા ચાલી રહી છે. હાલની સ્થિતીએ તમામ સ્મશાનોમાં મૃતદેહોને વેઇટીંગમાં રોકાવવું પડે તેવી સ્થિતી છે. જેને લઇને સ્મશાનગૃહો બહાર પણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજે હોસ્પિટલની સાથે સાથે સ્મશાનગૃહોની બહાર પણ પોલીસનો બંદોબસ્ત મુકવો પડ્યો છે.
કદાચ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાનગૃહોની બહાર પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. લોકોએ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, તથા યોગ્ય ઉંમર ધરાવતા વ્યક્તિઓએ વેક્સીન લેવી જોઇએ. કોવિડ ગાઇડલાઇનના પાલનમાં થોડી પણ બેદરકારી પોતાનો અને અન્યના જીવને જોખમમાં મુકી શકે છે.
બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાને કારણે હવે વધુ ઝડપથી લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે
કોરોનાના કેસો વધતા હોસ્પિટલ તંત્ર પણ કામનું કમરતોડ ભારણ વધ્યું
કોરોના કાળમાં મૃત્યુદરમાં વધારો થતા સ્મશાનગૃહો 24 કલાક ચાલુ રહે તેવી સ્થિતી સર્જાઇ
હોસ્પિટલ અને સ્મશાનગૃહો બહાર અવ્યવસ્થા ન સર્જાય તે માટે આખરે પોલીસ બંદોબસ્ત મુકવો પડ્યો
WatchGujarat. શહેરમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કોરોના કેસોમાં પ્રચંડ વધારો થતા હોસ્પિટલ તંત્ર પર કામનું ભારણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઇને કેટલીક વખત દર્દીના પરિવારજનો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી. તથા કોરોના કાળમાં મૃત્યુદરમાં વધારો થતા સ્મશાનગૃહોમાં 24 કલાક અંતિમક્રિયા ચાલુ રાખવા પડે છે. તેવા સમયે હવે પોલીસ તંત્ર દ્વારા હોસ્પિટલ અને સ્મશાનગૃહોની બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. રવિવારે સરકારી હોસ્પિટલ અને સ્મશાનગૃહો બહાર તૈનાત પોલીસ કર્મીઓ જોવા મળ્યા હતા.
રાજ્યમાં કોરોનાનો કહેર અટકાવવા માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાને કહેર ઘટવાની જગ્યાએ પ્રચંડ વેગે વધી રહ્યો છે. બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાને કારણે હવે વધુ ઝડપથી લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેને લઇને સરકારી તથા ખાનગી હોસ્પિટલો કોરોના પોઝીટીવ દર્દીઓથી છલકાઇ રહી છે. જેને કારણે હોસ્પિટલ તંત્ર પર એકાએક કામનું કમરતોડ ભારણ વધ્યું છે. દરમિયાન દર્દીના પરિવારજનો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી. તાજેતરની સ્થિતીને ધ્યાને રાખીને શહેરની સરકારી હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની સંખ્યામાં અનેકઘણો વધારો થયો હતો. સ્મશાનગૃહોમાં 24 કલાક મૃતદેહોના અંતિમ સંસ્કારની ક્રિયા ચાલી રહી છે. હાલની સ્થિતીએ તમામ સ્મશાનોમાં મૃતદેહોને વેઇટીંગમાં રોકાવવું પડે તેવી સ્થિતી છે. જેને લઇને સ્મશાનગૃહો બહાર પણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજે હોસ્પિટલની સાથે સાથે સ્મશાનગૃહોની બહાર પણ પોલીસનો બંદોબસ્ત મુકવો પડ્યો છે.
કદાચ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાનગૃહોની બહાર પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. લોકોએ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, તથા યોગ્ય ઉંમર ધરાવતા વ્યક્તિઓએ વેક્સીન લેવી જોઇએ. કોવિડ ગાઇડલાઇનના પાલનમાં થોડી પણ બેદરકારી પોતાનો અને અન્યના જીવને જોખમમાં મુકી શકે છે.