પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીના આધારે મહેન્દ્ર પઢીયારની જવાહરનગર પોલીસે અટકાયત કરી હતી.
પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ મહેન્દ્રને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
મહેન્દ્રને સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા મૃતજાહેર કરાયો હતો.
પોલીસે માર મારતા મહેન્દ્રની હત્યા થઇ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
મહેન્દ્રની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ
WatchGujarat. જવાહરનગર પોલીસે જમીન દલાલની અટકાયત કર્યા બાદ ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યો હતો. આ મામલે ભારે હોબાળો મચાવતા મૃતકનુ પેનલ પી.એમ કરવામાં આવ્યું હતુ. દરમિયાન એસીપી કક્ષાના અધિકારીએ સમગ્ર મામલની તપાસ કરતા જમીન દલાલ મહેન્દ્ર પઢીયારનુ મોત પોલીસના માર મારવાથી નહીં પણ પ્રેમ પ્રકરણમાં અન્ય સ્ત્રીના પતિ દ્વારા માર મારવાથી થયું હોવાનુ ખુલ્યું હતુ.
સોમવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ જવાહરનર પોલીસને વર્ધી મળી હતી કે, બાજવા કરચીયા રોડ પરના ગીરીરાજ ફ્લેટમાં એક અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસની પીસીઆરવાન તાત્કાલીક સ્થળ પર પહોંચી મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારની અટકાયત કરી હતી. આ મામલે મહેશ જનકભાઇ પંચાલે અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસે સીઆરપીસી 151 મૂજબ મહેન્દ્ર સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન સવારે 6-40 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં રહેલા મહેન્દ્ર પઢીયારે ગભરામણ થતી હોવાની પોલીસને ફરીયાદ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મહેન્દ્ર પઢીયારને તાત્કાલીક સારવાર માટે બાજવા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃતજાહેર કરાયો હતો. આ અંગેની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરવામાં આવી હતી. અને તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, મહેન્દ્રનુ મોત પોલીસના માર મારવાથી થયુ છે.
દરમિયાન સમગ્ર મામલાની તપાસ બી-ડીવીઝનના એ.સી.પી બકુલ ચૌધરીએ સંભાળી લીધી હતી. પોલીસ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઇ પણ પ્રકારની ક્ષતિ જણાઇ આવી ન હતી. જોકે મૃતકના શરીરી ઉપર માર માર્યાના નિશાન હતા. જેથી એસીપી દ્વારા ગીરીરાજ ફ્લેટ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસમાં મોટો ખુલાસો થયો હતો.
એ.સી.પી બકુલ ચૌધરી દ્વારા ગીરીરાજ ફ્લેટમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, મહેન્દ્ર પઢીયાર અને મહેશ પંચાલની પત્ની વચ્ચે અનૈતિક સબંધો હતા. જેથી મહેન્દ્ર અવાર નવાર મહેશની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો. તેવામાં સોમવારે મોડી રાત્રે મહેશ નોકરી પર હોવાથી મહેન્દ્ર તેના ઘરે પહોંચ્યો હતો. જોકે મહેશ અચાનક ઘરે આવી પહોંચતા મહેન્દ્ર અને પોતાની પત્નીને ઘરમાં એક સાથે જોઇ તે વિફર્યો હતો. જેથી મહેશએ મહેન્દ્રને આડેધડ માર માર્યો તેમજ કપડા ધોવાના ધોકાથી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આમ પોલીસ અધિકારીની તપાસમાં સ્પષ્ટ થયુ કે, મહેન્દ્ર પઢીયારનુ મોત મહેશ પંચાલના ઢોર માર મારવાથી થયુ હતુ.
આ મામલે જવાહરનગર પોલીસે મહેશ પંચાલ વિરૂધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીના આધારે મહેન્દ્ર પઢીયારની જવાહરનગર પોલીસે અટકાયત કરી હતી.
પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ મહેન્દ્રને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
પોલીસે માર મારતા મહેન્દ્રની હત્યા થઇ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
મહેન્દ્રની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ
WatchGujarat. જવાહરનગર પોલીસે જમીન દલાલની અટકાયત કર્યા બાદ ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યો હતો. આ મામલે ભારે હોબાળો મચાવતા મૃતકનુ પેનલ પી.એમ કરવામાં આવ્યું હતુ. દરમિયાન એસીપી કક્ષાના અધિકારીએ સમગ્ર મામલની તપાસ કરતા જમીન દલાલ મહેન્દ્ર પઢીયારનુ મોત પોલીસના માર મારવાથી નહીં પણ પ્રેમ પ્રકરણમાં અન્ય સ્ત્રીના પતિ દ્વારા માર મારવાથી થયું હોવાનુ ખુલ્યું હતુ.
સોમવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ જવાહરનર પોલીસને વર્ધી મળી હતી કે, બાજવા કરચીયા રોડ પરના ગીરીરાજ ફ્લેટમાં એક અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસની પીસીઆરવાન તાત્કાલીક સ્થળ પર પહોંચી મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારની અટકાયત કરી હતી. આ મામલે મહેશ જનકભાઇ પંચાલે અરજી કરી હતી જેના અનુસંધાને પોલીસે સીઆરપીસી 151 મૂજબ મહેન્દ્ર સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન સવારે 6-40 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં રહેલા મહેન્દ્ર પઢીયારે ગભરામણ થતી હોવાની પોલીસને ફરીયાદ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મહેન્દ્ર પઢીયારને તાત્કાલીક સારવાર માટે બાજવા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃતજાહેર કરાયો હતો. આ અંગેની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરવામાં આવી હતી. અને તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, મહેન્દ્રનુ મોત પોલીસના માર મારવાથી થયુ છે.
દરમિયાન સમગ્ર મામલાની તપાસ બી-ડીવીઝનના એ.સી.પી બકુલ ચૌધરીએ સંભાળી લીધી હતી. પોલીસ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઇ પણ પ્રકારની ક્ષતિ જણાઇ આવી ન હતી. જોકે મૃતકના શરીરી ઉપર માર માર્યાના નિશાન હતા. જેથી એસીપી દ્વારા ગીરીરાજ ફ્લેટ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસમાં મોટો ખુલાસો થયો હતો.
એ.સી.પી બકુલ ચૌધરી દ્વારા ગીરીરાજ ફ્લેટમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, મહેન્દ્ર પઢીયાર અને મહેશ પંચાલની પત્ની વચ્ચે અનૈતિક સબંધો હતા. જેથી મહેન્દ્ર અવાર નવાર મહેશની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો. તેવામાં સોમવારે મોડી રાત્રે મહેશ નોકરી પર હોવાથી મહેન્દ્ર તેના ઘરે પહોંચ્યો હતો. જોકે મહેશ અચાનક ઘરે આવી પહોંચતા મહેન્દ્ર અને પોતાની પત્નીને ઘરમાં એક સાથે જોઇ તે વિફર્યો હતો. જેથી મહેશએ મહેન્દ્રને આડેધડ માર માર્યો તેમજ કપડા ધોવાના ધોકાથી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આમ પોલીસ અધિકારીની તપાસમાં સ્પષ્ટ થયુ કે, મહેન્દ્ર પઢીયારનુ મોત મહેશ પંચાલના ઢોર માર મારવાથી થયુ હતુ.
આ મામલે જવાહરનગર પોલીસે મહેશ પંચાલ વિરૂધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.