ટીકીટ મેળવવા માટે દાવેદારો આખરી ક્ષણે રાજકીય ગોડફાધર પાસે પહોંચ્યા
જો હોદ્દેદારોને ટીકીટ આપવામાં આવે તો તેઓ સંગઠનમાંથી રાજીનામું આપીને ચુંટણી લડી શકે
4 ફેબ્રુઆરી સુધીમાં નામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની ઘડીઓ ગણાઇ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ મેળવવા માટે દાવેદારોની સંખ્યા વધુ છે. આવતી કાલે ભાજપના ગાંધીનગર સ્થિત મુખ્યાલય ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની મિટીંગ મળવા જઇ રહી છે. ટીકીટ મેળવવા માટે દાવેદારો આખરી ક્ષણે રાજકીય ગોડફાધર પાસે પહોંચ્યા હતા. અને રાજકારણીઓ (MP - MLA) પોતાના માનીતા કાર્યકરોને ટીકીટ મળે તે માટે નિયમોમાં બાંધછોડ કરાવવા માટે લાગવગ લગાડી રહ્યા હોવાનું સુત્રો તરફથી સાંપડી રહ્યું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસથી સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા 55 થી વધુની ઉંમર ધરાવતા લોકોને ટીકીટ નહિ અને એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરવાના આડકતરા સંકેતો આપવામાં આવ્યા હતા. જેને લઇને સિનિયર કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી હતી. સેન્સ લેવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ હવે સ્થાનિક કક્ષાએ કાર્યરત સંકલન સમિતિ દ્વારા ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આવતી કાલે 1, ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગમાં યાદી મુકવામાં આવશે. ત્યાર બાદ 4 ફેબ્રુઆરી સુધીમાં નામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સુરતમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું પાલન કરવા માટે ભાજપના સ્થાનિક સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આવી દીધા હતા. અને ત્યાર બાદ નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભર્યું હતું. જો કે વડોદરામાં ભાજપના સંગઠનમાં સમાવાયેલા કાર્યકરોએ પણ ચુંટણી માટે દાવેદારી નોંધાવી છે. પરંતુ કોઇએ તેમના પદ પરથી રાજીનામા આપ્યા નથી. સુત્રના જણાવ્યા પ્રમાણે, આનવાર સમયમાં જો હોદ્દેદારોને ટીકીટ આપવામાં આવે તો તેઓ સંગઠનમાંથી રાજીનામું આપીને ચુંટણી લડી શકે છે.
સંકલન સમિતીની બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ વોર્ડ દિઠ 16 નામોની યાદી સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવી હતી. ગત રોજ સંકલન સમિતીની આખરી બેઠક મળી હતી. આખરી નામોની યાદીને પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. આખરી ક્ષણ સુધી ટીકીટના દાવેદારો દ્વારા અનેક રીતે પોતાની ટીકીટ સુનિશ્ચિત કરવા માટે આખરી ક્ષણ સુધી હવાતીયા મારવાના ચાલુ રાખ્યા હતા.
આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા તેમના માનિતા ઉમેદવારોને ટીકીટ મળે તે માટે 55 વર્ષથી વધુ ઉંમર અને એક વ્યક્તિ એક હોદ્દાના નિયમમાં બાંધછોડ કરીને ટીકીટ અપાવવા માટે લાગવગ લગાડવાની ચાલુ કરી દીધી છે. આમ, ટીકીટ મેળવવા માટે દાવેદારો તમામ પ્રકારની તરકીબો અજમાવીને આખરી પ્રયાસો કરી રહ્યા છે.
ટીકીટ મેળવવા માટે દાવેદારો આખરી ક્ષણે રાજકીય ગોડફાધર પાસે પહોંચ્યા
જો હોદ્દેદારોને ટીકીટ આપવામાં આવે તો તેઓ સંગઠનમાંથી રાજીનામું આપીને ચુંટણી લડી શકે
4 ફેબ્રુઆરી સુધીમાં નામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની ઘડીઓ ગણાઇ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ મેળવવા માટે દાવેદારોની સંખ્યા વધુ છે. આવતી કાલે ભાજપના ગાંધીનગર સ્થિત મુખ્યાલય ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની મિટીંગ મળવા જઇ રહી છે. ટીકીટ મેળવવા માટે દાવેદારો આખરી ક્ષણે રાજકીય ગોડફાધર પાસે પહોંચ્યા હતા. અને રાજકારણીઓ (MP - MLA) પોતાના માનીતા કાર્યકરોને ટીકીટ મળે તે માટે નિયમોમાં બાંધછોડ કરાવવા માટે લાગવગ લગાડી રહ્યા હોવાનું સુત્રો તરફથી સાંપડી રહ્યું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસથી સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા 55 થી વધુની ઉંમર ધરાવતા લોકોને ટીકીટ નહિ અને એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરવાના આડકતરા સંકેતો આપવામાં આવ્યા હતા. જેને લઇને સિનિયર કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી હતી. સેન્સ લેવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ હવે સ્થાનિક કક્ષાએ કાર્યરત સંકલન સમિતિ દ્વારા ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આવતી કાલે 1, ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગમાં યાદી મુકવામાં આવશે. ત્યાર બાદ 4 ફેબ્રુઆરી સુધીમાં નામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સુરતમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું પાલન કરવા માટે ભાજપના સ્થાનિક સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આવી દીધા હતા. અને ત્યાર બાદ નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભર્યું હતું. જો કે વડોદરામાં ભાજપના સંગઠનમાં સમાવાયેલા કાર્યકરોએ પણ ચુંટણી માટે દાવેદારી નોંધાવી છે. પરંતુ કોઇએ તેમના પદ પરથી રાજીનામા આપ્યા નથી. સુત્રના જણાવ્યા પ્રમાણે, આનવાર સમયમાં જો હોદ્દેદારોને ટીકીટ આપવામાં આવે તો તેઓ સંગઠનમાંથી રાજીનામું આપીને ચુંટણી લડી શકે છે.
સંકલન સમિતીની બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ વોર્ડ દિઠ 16 નામોની યાદી સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવી હતી. ગત રોજ સંકલન સમિતીની આખરી બેઠક મળી હતી. આખરી નામોની યાદીને પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. આખરી ક્ષણ સુધી ટીકીટના દાવેદારો દ્વારા અનેક રીતે પોતાની ટીકીટ સુનિશ્ચિત કરવા માટે આખરી ક્ષણ સુધી હવાતીયા મારવાના ચાલુ રાખ્યા હતા.
આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા તેમના માનિતા ઉમેદવારોને ટીકીટ મળે તે માટે 55 વર્ષથી વધુ ઉંમર અને એક વ્યક્તિ એક હોદ્દાના નિયમમાં બાંધછોડ કરીને ટીકીટ અપાવવા માટે લાગવગ લગાડવાની ચાલુ કરી દીધી છે. આમ, ટીકીટ મેળવવા માટે દાવેદારો તમામ પ્રકારની તરકીબો અજમાવીને આખરી પ્રયાસો કરી રહ્યા છે.