સોમવાર અને મંગળવારે વડોદરામાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવશે
ત્રણ દિવસ પહેલા સીઆર પાટીલે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા
દાવેદારોએ ટીકીટ માંગવાની સાથે અન્ય મુદ્દે નિરીક્ષકોને રજુઆત કરી
[caption id="attachment_327273" align="aligncenter" width="1280"] નિરીક્ષકો દ્વારા વડોદરામાં સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું[/caption]
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને અનુલક્ષીને ઉમેદવારોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. નિરીક્ષકોની ટીમ દ્વારા સોમવાર અને મંગળવારે સેન્સ લેવાની કામગીરી વોર્ડ દિઠ કરવામાં આવી રહી છે. દરમિયાન ટીકીટ માટેની દાવેદારી સાથે BJP નિરીક્ષકો સમક્ષ ઉંમરના માપદંડ, શૈક્ષણિક લાયકાત અને રીઝર્સ સીટો પરથી નિયત ઉમેદવારોને ટીકીટ આપવાના મુદ્દે રોષ ઠાલવ્યો હતો.
સોમવાર અને મંગળવારે વડોદરામાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવશે. સોમવારે સેન્સ પ્રક્રિયા અંતર્ગત ટીકીટ માટેના દાવેદારો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા સીઆર પાટીલે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. ભાજપા પ્રદેશ પ્રમુખના નિવેદનને અમલમાં મુકવામાં આવે તો કેટલાય પીઢ કાર્યકરો ટીકીટની રેસમાંથી બહાર નિકળી જાય તેવી શક્યતા છે.
સોમવારે નિરીક્ષકો સમક્ષ ટીકીટના દાવેદારોએ અનેક મુદ્દે રજુઆત કરી હતી. જેમાં 55 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટીકીટ ન મળવી, ચોક્કસ ક્વોટામાં ફાળવવામાં આવતી સીટો પરથી અન્ય ઉમેદવારોને ટીકીટ ન આપવી અને દાવેદારની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લેવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
55 વર્ષથી વધુની ઉંમરના કાર્યકરોએ ખાસ રજુઆત કરી
ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય મંત્રીઓની ઉંમર 55 વર્ષ કરતા વધારે હશે. રાજકારણમાં જીત બાદ કોઇ ઉંમર અથવાતો ડિગ્રી અંગે પુછતું નથી. પરંતુ ત્રણ દિવસ પહેલા ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતેના એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. જો પ્રદેશ પ્રમુખના નિવેદનને ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અમલમાં મુકવામાં આવે તો પાર્ટીના પીઢ કાર્યકરો ટીકીટની રેસમાંથી બહાર નિકળી જઇ શકે તેમ છે. નિરીક્ષકો સમક્ષ 55 વટાવી ચુકેલા પાર્ટીના પીઢ કાર્યકરોએ ઉંમરના માપદંડને લાગુ ન કરવા માટે અનુરોધ કર્યો હતો.
SC /OBC ક્વોટામાં આવતી સીટ પરથી લાયકાત ધરાવતા વ્યક્તિને જ ટીકીટ આપી લડાવવા માંગ
શહેરમાં અનેક સીટોને SC / OBC ક્વોટા અંતર્ગત રીઝર્વ રાખવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાય સમય પરથી રીઝર્વ સીટ પરથી જનરલ કેટેગરીના દાવેદારોએ ઉમેદવારી કરી હોય અથવા જનરલ કેટેગરી માટેની સીટમાંથી SC /OBC માં આવતા ઉમેદવારો લડ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઇને અવ્યવસ્થા સર્જાય છે. આજે નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ રજુઆત કરી હતી કે રીઝર્વ રાખવામાં આવેલી સીટ પરથી જે તે ચોક્કસ લાયકાત ધરાવતા વ્યક્તિને જ ટીકીટ આપી લડાવવો જોઇએ તેવી માંગ મુકી હતી.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર વધારે ભાર મુકવો જોઇએ
દાવેદારોએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને લઇને મહત્વની રજુઆત કરી હતી. હાલ દાવેદારી માટેની પત્રિકામાં સોશિયલ મિડીયા ફોલોઅર્સ, ઉમેદવાર દ્વારા કરવામાં આવેલું દાન સહિતના મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે દાવેદારોનો મત કંઇક અલગ છે. દાવેદારોએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને ટીકીટ આપવા માટેના માપદંડમાં ભાર પુર્વક ગણવો જોઇએ તેમ જણાવ્યું હતું. આમ, નિરીક્ષકોએ ટીકીટ સિવાયના મુદ્દાઓ પર દાવેદારોને સાંભળવા પડ્યા હતા.
સોમવાર અને મંગળવારે વડોદરામાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવશે
ત્રણ દિવસ પહેલા સીઆર પાટીલે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા
દાવેદારોએ ટીકીટ માંગવાની સાથે અન્ય મુદ્દે નિરીક્ષકોને રજુઆત કરી
[caption id="attachment_327273" align="aligncenter" width="1280"] નિરીક્ષકો દ્વારા વડોદરામાં સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું[/caption]
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને અનુલક્ષીને ઉમેદવારોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. નિરીક્ષકોની ટીમ દ્વારા સોમવાર અને મંગળવારે સેન્સ લેવાની કામગીરી વોર્ડ દિઠ કરવામાં આવી રહી છે. દરમિયાન ટીકીટ માટેની દાવેદારી સાથે BJP નિરીક્ષકો સમક્ષ ઉંમરના માપદંડ, શૈક્ષણિક લાયકાત અને રીઝર્સ સીટો પરથી નિયત ઉમેદવારોને ટીકીટ આપવાના મુદ્દે રોષ ઠાલવ્યો હતો.
સોમવાર અને મંગળવારે વડોદરામાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવશે. સોમવારે સેન્સ પ્રક્રિયા અંતર્ગત ટીકીટ માટેના દાવેદારો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા સીઆર પાટીલે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. ભાજપા પ્રદેશ પ્રમુખના નિવેદનને અમલમાં મુકવામાં આવે તો કેટલાય પીઢ કાર્યકરો ટીકીટની રેસમાંથી બહાર નિકળી જાય તેવી શક્યતા છે.
સોમવારે નિરીક્ષકો સમક્ષ ટીકીટના દાવેદારોએ અનેક મુદ્દે રજુઆત કરી હતી. જેમાં 55 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટીકીટ ન મળવી, ચોક્કસ ક્વોટામાં ફાળવવામાં આવતી સીટો પરથી અન્ય ઉમેદવારોને ટીકીટ ન આપવી અને દાવેદારની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લેવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
55 વર્ષથી વધુની ઉંમરના કાર્યકરોએ ખાસ રજુઆત કરી
ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય મંત્રીઓની ઉંમર 55 વર્ષ કરતા વધારે હશે. રાજકારણમાં જીત બાદ કોઇ ઉંમર અથવાતો ડિગ્રી અંગે પુછતું નથી. પરંતુ ત્રણ દિવસ પહેલા ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતેના એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. જો પ્રદેશ પ્રમુખના નિવેદનને ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અમલમાં મુકવામાં આવે તો પાર્ટીના પીઢ કાર્યકરો ટીકીટની રેસમાંથી બહાર નિકળી જઇ શકે તેમ છે. નિરીક્ષકો સમક્ષ 55 વટાવી ચુકેલા પાર્ટીના પીઢ કાર્યકરોએ ઉંમરના માપદંડને લાગુ ન કરવા માટે અનુરોધ કર્યો હતો.
SC /OBC ક્વોટામાં આવતી સીટ પરથી લાયકાત ધરાવતા વ્યક્તિને જ ટીકીટ આપી લડાવવા માંગ
શહેરમાં અનેક સીટોને SC / OBC ક્વોટા અંતર્ગત રીઝર્વ રાખવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાય સમય પરથી રીઝર્વ સીટ પરથી જનરલ કેટેગરીના દાવેદારોએ ઉમેદવારી કરી હોય અથવા જનરલ કેટેગરી માટેની સીટમાંથી SC /OBC માં આવતા ઉમેદવારો લડ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઇને અવ્યવસ્થા સર્જાય છે. આજે નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ રજુઆત કરી હતી કે રીઝર્વ રાખવામાં આવેલી સીટ પરથી જે તે ચોક્કસ લાયકાત ધરાવતા વ્યક્તિને જ ટીકીટ આપી લડાવવો જોઇએ તેવી માંગ મુકી હતી.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર વધારે ભાર મુકવો જોઇએ
દાવેદારોએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને લઇને મહત્વની રજુઆત કરી હતી. હાલ દાવેદારી માટેની પત્રિકામાં સોશિયલ મિડીયા ફોલોઅર્સ, ઉમેદવાર દ્વારા કરવામાં આવેલું દાન સહિતના મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે દાવેદારોનો મત કંઇક અલગ છે. દાવેદારોએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને ટીકીટ આપવા માટેના માપદંડમાં ભાર પુર્વક ગણવો જોઇએ તેમ જણાવ્યું હતું. આમ, નિરીક્ષકોએ ટીકીટ સિવાયના મુદ્દાઓ પર દાવેદારોને સાંભળવા પડ્યા હતા.