શહેરના માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં બનેલી ઘટના
અત્યાર સુધીમાં 4 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કર્યા
આઇ.સી.યુમાં દાખલ અન્ય દર્દીઓને પણ બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલી રહીં છે.
Watchgujarat. વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. હાલ શહેર કટોકટી માંથી પસાર થઇ રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની ભારે અછત સામે આવી રહી છે. માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તમામ દર્દીઓ ICU માં સારવાર હેઠળ હતા. વડોદરામાં બેડની સુવિધા માટે પોતાની પીઠ થપથપાવતું તંત્ર શું ઓક્સિજનની અવ્યવસ્થાની જવાબદારી લેશે ?
વડોદરામાં ઓક્સિજનના અભાવે ઇમરજન્સી જેવી સ્થિતી સર્જાઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ઓક્સિજનની માંગ સામે ઓછો પુરવઠો મળી રહ્યાની બુમો ઉઠી રહી છે. તેવા સમયે આજે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ખુટી પડે અને દર્દીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. જેને પગલે હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીઓને સરકારી મેડીકલ સુવિધામાં હાઇ ફ્લો ઓક્સિજન મળી રહે તેવી જગ્યાએ શિફ્ટ કરવા મજબુર બન્યા હતા. હોસ્પિટલના ICU માં સારવાર લઇ રહેલા દર્દીઓ શિફ્ટ કરતી વેળાએ રડી રહ્યા હતા. જ્યારે ડોક્ટર દર્દીને આવી સ્થિતીમાં જોઇને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
શ્રીજી હોસ્પિટલના ડો. ઉપેશ પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સવારથી અમે ઓક્સિજનનો જથ્થો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મેળવી શકાયો નથી. ઓક્સિજનનો જથ્થો આવતી કાલ સુધી મળશે કે કેમ તે અંગે પ્રશ્ન છે. હાલ અમારી હોસ્પિટલમાં 30 થી વધુ દર્દીઓ ICU માં સારવાર લઇ રહ્યા છે. તેમાંથી ઓક્સિજનની વધારે જરૂરીયાત વાળા દર્દીઓને સરકારી દવાખાનામાં ઓક્સિજનને અભાવે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અમારી હોસ્પિટલમાં પ્રથમ વખત ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવાની નોબત આવી છે. શિફ્ટ થતી વખતે દર્દીઓ રડી રહ્યા હતા. પરંતુ આ વખતે અમે લાચાર છીએ. હું ખુબ જ દિલગીર અનુભવી રહ્યો છું.
શહેરમાં ચુંટાયેલા નેતાઓ માત્ર મિટીંગ અને રજુઆત કરીને ઓક્સિજન સહિતની ચીજવસ્તુઓ મળશે તેવા આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ હવે ઓક્સિજનના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. તેવા સમયે કોઇ પણ પ્રતિનીધી શહેરને ઓક્સિજન જરરીયાત પ્રમાણે મળશે તે સુનિશ્ચિત કરાવી શકે તેમ નથી. હોસ્પિટલના બેડ વધારતા સમયે પોતાની વાહવાહી કરતા અને કરાવતા નેતાઓ ઓક્સિજનના અભાવે સર્જાયેલી કટોકટીભરી સ્થિતીમાં જો કોઇ નો જીવ જાયો તો જવાબદારી લેશે ? શહેરમાં ઓક્સિજનના આભાવે સર્જાયેલી સ્થિતી માટે જવાબદાર કોણ ? આજે દર્દીના સગાના મનમાં આ પ્રકારના સવાલો ઉદ્ભવવા સ્વભાવિક છે.
શહેરના માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં બનેલી ઘટના
અત્યાર સુધીમાં 4 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કર્યા
આઇ.સી.યુમાં દાખલ અન્ય દર્દીઓને પણ બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલી રહીં છે.
Watchgujarat. વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. હાલ શહેર કટોકટી માંથી પસાર થઇ રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની ભારે અછત સામે આવી રહી છે. માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તમામ દર્દીઓ ICU માં સારવાર હેઠળ હતા. વડોદરામાં બેડની સુવિધા માટે પોતાની પીઠ થપથપાવતું તંત્ર શું ઓક્સિજનની અવ્યવસ્થાની જવાબદારી લેશે ?
વડોદરામાં ઓક્સિજનના અભાવે ઇમરજન્સી જેવી સ્થિતી સર્જાઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ઓક્સિજનની માંગ સામે ઓછો પુરવઠો મળી રહ્યાની બુમો ઉઠી રહી છે. તેવા સમયે આજે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ખુટી પડે અને દર્દીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. જેને પગલે હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીઓને સરકારી મેડીકલ સુવિધામાં હાઇ ફ્લો ઓક્સિજન મળી રહે તેવી જગ્યાએ શિફ્ટ કરવા મજબુર બન્યા હતા. હોસ્પિટલના ICU માં સારવાર લઇ રહેલા દર્દીઓ શિફ્ટ કરતી વેળાએ રડી રહ્યા હતા. જ્યારે ડોક્ટર દર્દીને આવી સ્થિતીમાં જોઇને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
શ્રીજી હોસ્પિટલના ડો. ઉપેશ પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સવારથી અમે ઓક્સિજનનો જથ્થો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મેળવી શકાયો નથી. ઓક્સિજનનો જથ્થો આવતી કાલ સુધી મળશે કે કેમ તે અંગે પ્રશ્ન છે. હાલ અમારી હોસ્પિટલમાં 30 થી વધુ દર્દીઓ ICU માં સારવાર લઇ રહ્યા છે. તેમાંથી ઓક્સિજનની વધારે જરૂરીયાત વાળા દર્દીઓને સરકારી દવાખાનામાં ઓક્સિજનને અભાવે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અમારી હોસ્પિટલમાં પ્રથમ વખત ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવાની નોબત આવી છે. શિફ્ટ થતી વખતે દર્દીઓ રડી રહ્યા હતા. પરંતુ આ વખતે અમે લાચાર છીએ. હું ખુબ જ દિલગીર અનુભવી રહ્યો છું.
શહેરમાં ચુંટાયેલા નેતાઓ માત્ર મિટીંગ અને રજુઆત કરીને ઓક્સિજન સહિતની ચીજવસ્તુઓ મળશે તેવા આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ હવે ઓક્સિજનના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. તેવા સમયે કોઇ પણ પ્રતિનીધી શહેરને ઓક્સિજન જરરીયાત પ્રમાણે મળશે તે સુનિશ્ચિત કરાવી શકે તેમ નથી. હોસ્પિટલના બેડ વધારતા સમયે પોતાની વાહવાહી કરતા અને કરાવતા નેતાઓ ઓક્સિજનના અભાવે સર્જાયેલી કટોકટીભરી સ્થિતીમાં જો કોઇ નો જીવ જાયો તો જવાબદારી લેશે ? શહેરમાં ઓક્સિજનના આભાવે સર્જાયેલી સ્થિતી માટે જવાબદાર કોણ ? આજે દર્દીના સગાના મનમાં આ પ્રકારના સવાલો ઉદ્ભવવા સ્વભાવિક છે.