છાયાપુરા રેલવે સ્ટેશનના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક અને તાંદલજાના એજન્ટ યુસુફ વચ્ચેની મિલિભગત સામે આવી
રેલવે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ટિકિટો સાથે સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક દિપેષ ખારવાની ધરપકડ કરી
એજન્ટ વોટ્સઅપના માધ્મયથી દિપેશને પેસેનજરની વિગતો મોકલતો
દિપેશ કમિશનના રૂપિયા ફોન પે અને ગુગલ પે મારફતે એજન્ટ પાસેથી મેળવતો હતો
WatchGujarat. દેશભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ અને અતિગંભીર બની છે. તેવામાં લોકડાઉનની દહેશત વચ્ચે પરપ્રાંતિઓ વતન તરફ પાછા વળી રહ્યાં છે. જેથી રેલવે મુસાફરી પર ભારણ વધ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાલની ટ્રેનો ફુલ થઇ રહીં છે. ત્યારે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા રેલવેના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક એજન્ટ સાથે મળીને ટિકિટોની કાળા બજારી કરતો હોવાનુ સામે આવ્યું હતુ. જેથી રેલવે ક્રાઇમ બ્રાન્ચે રેલવેના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્કને ત્રણ ટિકિટો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે રેલવે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સપેકટર ભુપતસિંઘ ચૌહાણે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે પરપ્રાંતિઓ વતન તરફ પાછા ફરી વળ્યાં છે. ત્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાલ જતી ટ્રેનો ફુલ જઇ રહીં છે. મુસાફરોનુ ભારણ વધતા ટિકિટોની કાળા બજારી થતી હાવની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી તપાસ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક દિપેશ અશોકભાઇ ખારવા એજન્ટ સાથે મળી ટિકિટોની કાળા બજારી કરતા હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી દિપેશની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી હાવડા, ગોરખપુર અને બનારસની રૂ. 9900ની ત્રણ ટિકિટો મળી આવી હતી.
ટિકિટો બાબતે દિપેશ ખારવાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, તાંદલજા ખાતે રહેતા યુસુફ નામના એજન્ટ તેણે વોટ્સઅપના માધ્યમથી મુસાફરોની વિગતો મોકલતો હતો. ત્યાર બાદ એક મુસાફર સાથે અન્ય લોકોની પણ ટિકિટ બુક કરતો હતો. જેમાં એક પેસેનજર દીઠ દિપેશ રૂ. 200 કમિશન લેતો હતો. જે કમિશનના રૂપિયા ફોન પે અને ગુગલ પે મારફતે મેળવતો હોવાનુ તપાસ ખુલ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ રેકેટમાં રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર કોઇ મુસાફર આવે તો દિપેશ તેને વિશ્વાસમાં લઇ એક ટિકિટમાં અન્ય લોકોનુ નામ ઘુસાડી દઇ તેમને કન્ફર્મ ટિકિટ આપતો હતો. જેના કમિશન પેટે એજન્ટ યુસુફ પાસેથી તે રૂ. 200 વસુલતો હતો. જેથી આ પ્રકારનુ રેકેટ કેટલા સમયથી ચલાવવામાં આવતુ અને અન્ય કેટલા લોકો આમા શામીલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
છાયાપુરા રેલવે સ્ટેશનના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક અને તાંદલજાના એજન્ટ યુસુફ વચ્ચેની મિલિભગત સામે આવી
રેલવે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ટિકિટો સાથે સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક દિપેષ ખારવાની ધરપકડ કરી
દિપેશ કમિશનના રૂપિયા ફોન પે અને ગુગલ પે મારફતે એજન્ટ પાસેથી મેળવતો હતો
WatchGujarat. દેશભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ અને અતિગંભીર બની છે. તેવામાં લોકડાઉનની દહેશત વચ્ચે પરપ્રાંતિઓ વતન તરફ પાછા વળી રહ્યાં છે. જેથી રેલવે મુસાફરી પર ભારણ વધ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાલની ટ્રેનો ફુલ થઇ રહીં છે. ત્યારે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા રેલવેના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક એજન્ટ સાથે મળીને ટિકિટોની કાળા બજારી કરતો હોવાનુ સામે આવ્યું હતુ. જેથી રેલવે ક્રાઇમ બ્રાન્ચે રેલવેના સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્કને ત્રણ ટિકિટો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે રેલવે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સપેકટર ભુપતસિંઘ ચૌહાણે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે પરપ્રાંતિઓ વતન તરફ પાછા ફરી વળ્યાં છે. ત્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાલ જતી ટ્રેનો ફુલ જઇ રહીં છે. મુસાફરોનુ ભારણ વધતા ટિકિટોની કાળા બજારી થતી હાવની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી તપાસ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક દિપેશ અશોકભાઇ ખારવા એજન્ટ સાથે મળી ટિકિટોની કાળા બજારી કરતા હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી દિપેશની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી હાવડા, ગોરખપુર અને બનારસની રૂ. 9900ની ત્રણ ટિકિટો મળી આવી હતી.
ટિકિટો બાબતે દિપેશ ખારવાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, તાંદલજા ખાતે રહેતા યુસુફ નામના એજન્ટ તેણે વોટ્સઅપના માધ્યમથી મુસાફરોની વિગતો મોકલતો હતો. ત્યાર બાદ એક મુસાફર સાથે અન્ય લોકોની પણ ટિકિટ બુક કરતો હતો. જેમાં એક પેસેનજર દીઠ દિપેશ રૂ. 200 કમિશન લેતો હતો. જે કમિશનના રૂપિયા ફોન પે અને ગુગલ પે મારફતે મેળવતો હોવાનુ તપાસ ખુલ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ રેકેટમાં રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર કોઇ મુસાફર આવે તો દિપેશ તેને વિશ્વાસમાં લઇ એક ટિકિટમાં અન્ય લોકોનુ નામ ઘુસાડી દઇ તેમને કન્ફર્મ ટિકિટ આપતો હતો. જેના કમિશન પેટે એજન્ટ યુસુફ પાસેથી તે રૂ. 200 વસુલતો હતો. જેથી આ પ્રકારનુ રેકેટ કેટલા સમયથી ચલાવવામાં આવતુ અને અન્ય કેટલા લોકો આમા શામીલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.