રાજ્યના મુખ્યમંત્રી ખુદ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું સ્વિકારી ચુક્યા છે
હોસ્પિટલોમાં રેમડીસીવીરની અછત સમયે સી. આર. પાટીલ દ્વારા 5 હજાર ઇન્જેક્શનની મફતમાં વહેંચણી કરી
ઇન્જેક્શનના કકળાટ વચ્ચે વડોદરામાં કાળાબજારીયાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ટીમ રિવોલ્યુશનના સક્રિય કાર્યકર સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવા રજુઆત કરી
WatchGujarat. રાજ્યમાં કોરોના કહેરમાં વધુ ઝડપથી લોકો સંક્રમીત થઇ રહ્યા છે. જેને લઇને હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે કોરોનાની સારવાર માટે જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. ઇન્જેક્શનની માંગમાં ઉછાળો આવતા હવે કાળાબજારીયાઓ એક્શનમાં આવ્યા છે. એક્સપાયરી ડેટના રેમડેસીવીર ઇન્જેક્શનના વાયલ પર નવી તારીખો વાળું સ્ટીકર મારીને વેચવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાળાબજારીયાઓ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શની તારીખોમાં ફેરફાર કરીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ખુદ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું અગાઉ સ્વિકારી ચુક્યા છે. હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. તો બીજી તરફ શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સુતરમાં ભાજપા કાર્યાલય ખાતે રેમડીસીવીર ઇન્જેક્શનની મફત વહેંચણી કરવામાં આવી હતી. જેને લઇ રાજકીય ક્ષેત્રે વિવાદ સર્જાયો છે. અને કોંગ્રેસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કકળાટ વચ્ચે વડોદરામાં કાળાબજારીયાઓ દ્વારા સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના પરિવારજનોએ રેમડીસીવીર કાળાબજારી કરનારા પાસેથી ઇન્જેક્શન ખરીદ્યું હતું.
જો કે, ઇન્જેક્શન દર્દીને આપતા પહેલા પરિવારજનોના ધ્યાને વાત આવી હતી કે, રેમડીસીવીર ઇન્જેક્શનના વાયલ પર એક્સપાયરી ડેટ, બેચ સહિતની વિગતો પર સ્ટીકર માર્યું હતું. પરિવારના સભ્યએ સાવચેતી પુર્વક રીતે સ્ટીકર ઉખાડવા જતા એક્સપારી ડેટ સહિતની વિગતો પર ચેકો માર્યો હોવાનું સામે આવ્યું હતું. અને કાળાબજારીયાઓ દ્વારા એક્સપાયટી ડેટને બદલીને જુની દવા આપી દેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.
લોકોના જીવ સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યાની આ ઘટના કાળાબજારીયાઓ પાસેથી દવા લેતા લોકો માટે સબક શીખવાડે તેવી છે. વડોદરામાં ટીમ રિવોલ્યુશનના સક્રિય કાર્યકર સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવા રજુઆત કરી હતી. સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારી વાત એ છે કે, વહીવટી તંત્ર આ પ્રકારે લોકોના જીવ સાથે ચેડા કરવાની ઘટનાથી અજાણ છે.
રાજ્યના મુખ્યમંત્રી ખુદ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું સ્વિકારી ચુક્યા છે
હોસ્પિટલોમાં રેમડીસીવીરની અછત સમયે સી. આર. પાટીલ દ્વારા 5 હજાર ઇન્જેક્શનની મફતમાં વહેંચણી કરી
ઇન્જેક્શનના કકળાટ વચ્ચે વડોદરામાં કાળાબજારીયાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ટીમ રિવોલ્યુશનના સક્રિય કાર્યકર સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવા રજુઆત કરી
WatchGujarat. રાજ્યમાં કોરોના કહેરમાં વધુ ઝડપથી લોકો સંક્રમીત થઇ રહ્યા છે. જેને લઇને હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે કોરોનાની સારવાર માટે જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. ઇન્જેક્શનની માંગમાં ઉછાળો આવતા હવે કાળાબજારીયાઓ એક્શનમાં આવ્યા છે. એક્સપાયરી ડેટના રેમડેસીવીર ઇન્જેક્શનના વાયલ પર નવી તારીખો વાળું સ્ટીકર મારીને વેચવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાળાબજારીયાઓ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શની તારીખોમાં ફેરફાર કરીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ખુદ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું અગાઉ સ્વિકારી ચુક્યા છે. હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે એક તરફ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. તો બીજી તરફ શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સુતરમાં ભાજપા કાર્યાલય ખાતે રેમડીસીવીર ઇન્જેક્શનની મફત વહેંચણી કરવામાં આવી હતી. જેને લઇ રાજકીય ક્ષેત્રે વિવાદ સર્જાયો છે. અને કોંગ્રેસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કકળાટ વચ્ચે વડોદરામાં કાળાબજારીયાઓ દ્વારા સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના પરિવારજનોએ રેમડીસીવીર કાળાબજારી કરનારા પાસેથી ઇન્જેક્શન ખરીદ્યું હતું.
જો કે, ઇન્જેક્શન દર્દીને આપતા પહેલા પરિવારજનોના ધ્યાને વાત આવી હતી કે, રેમડીસીવીર ઇન્જેક્શનના વાયલ પર એક્સપાયરી ડેટ, બેચ સહિતની વિગતો પર સ્ટીકર માર્યું હતું. પરિવારના સભ્યએ સાવચેતી પુર્વક રીતે સ્ટીકર ઉખાડવા જતા એક્સપારી ડેટ સહિતની વિગતો પર ચેકો માર્યો હોવાનું સામે આવ્યું હતું. અને કાળાબજારીયાઓ દ્વારા એક્સપાયટી ડેટને બદલીને જુની દવા આપી દેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.
લોકોના જીવ સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યાની આ ઘટના કાળાબજારીયાઓ પાસેથી દવા લેતા લોકો માટે સબક શીખવાડે તેવી છે. વડોદરામાં ટીમ રિવોલ્યુશનના સક્રિય કાર્યકર સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવા રજુઆત કરી હતી. સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારી વાત એ છે કે, વહીવટી તંત્ર આ પ્રકારે લોકોના જીવ સાથે ચેડા કરવાની ઘટનાથી અજાણ છે.