WatchGujarat. દેશભરમાં રંગેચંગે 72 માં પ્રજાસત્તાક દિવસની ઉવજણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડોદરામાં ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2020 પડકારો નું વર્ષ હતું. 2021 નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે.પ્રધાનમંત્રીની કુશાગ્રતા ને પગલે ભારત કોરોના ની રસી બનાવવામાં આત્મ નિર્ભર બન્યો છે. તેમના પ્રોત્સાહન થી દેશના વૈજ્ઞાનિકો એ સ્વદેશી રસી વિકસાવી છે.
કોરોનાના રસીકરણ નું કામ આખા દેશમાં પૂરું થઈ જાય અને વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતને કોરોના મુક્ત જાહેર કરે ત્યાં સુધી માસ્ક,સેનીટાઈઝરનો ઉપયોગ સહિત ની તકેદારીઓ સહુએ પાળવી પડશે. મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોરોના નિયંત્રણ અને લોકોની જીવન રક્ષાનું શ્રેષ્ઠ કામ કર્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરી ને પ્રમાણિત કરી એ ખૂબ ગૌરવની વાત છે.
દરમિયાન ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ હટાવી લેવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે કોરોના ની પરિસ્થિતિ ની સમીક્ષા કરીને તબક્કાવાર ઉચિત જણાઈ તેવી છૂટછાટો જન જીવન ને સામાન્ય કરવા માટે આપી છે.રાજ્યના 4 શહેરોમાં જ રાત્રિ કરફ્યુ છે અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ તહેવારો અને ઉત્સવો ભારત સરકારની ગાઈડ લાઈનની મર્યાદામાં રહીને સંયમિત રીતે ઉજવી સહયોગ આપવા માટે નાગરિકો ને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે. 2021 નું વર્ષ નવી આશાઓ નું વર્ષ છે. પ્રધાનમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ દેશ અભૂતપૂર્વ વિકાસના માર્ગે છે ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની શીખ પ્રમાણે છેવાડાના માનવીઓના ઘરો સુધી વિકાસ અને સમૃદ્ધિને લઈ જવામાં યોગદાન આપીએ.
દેશ શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બની રહ્યો છે.
તાજેતરમાં ગુજરાતમાં બનેલી વજ્ર ટેન્ક ભારતીય સેનામાં જોડાઈ છે એ આપના માટે ગર્વની વાત છે. કોરોના કાળમાં ગુજરાતે રાજ્ય શાસન,વહીવટી તંત્ર અને લોક શક્તિના સંકલન થી જીવન રક્ષાનો નવો અને ઉજળો ઇતિહાસ રચ્યો છે.વિશ્વની મહાસત્તાઓ ની સરખામણીમાં કોરોના નું શ્રેષ્ઠ વ્યવસ્થાપન ભારતે કર્યું છે.
મીડિયાએ કોરોના કાળમાં લોક જાગૃતિ કેળવવાની અને સતર્કતા સાથે જીવન રક્ષાનું લોક શિક્ષણ આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. આજે 130 કરોડ ભારતીયોની સાથે વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયો વિશ્વની મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતનું ગણતંત્ર પર્વ આનંદ અને ગૌરવ સાથે ઉજવી રહ્યાં છે.હું આ ઉજવણીમાં જોડાનારા સહુનું હાર્દિક અભિવાદન કરું છું. મહાન રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારત નું બંધારણ આ દિવસે અમલમાં મુકાયું.એટલે આ આપણા માટે અણમોલ દિવસ છે.
WatchGujarat. દેશભરમાં રંગેચંગે 72 માં પ્રજાસત્તાક દિવસની ઉવજણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડોદરામાં ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2020 પડકારો નું વર્ષ હતું. 2021 નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે.પ્રધાનમંત્રીની કુશાગ્રતા ને પગલે ભારત કોરોના ની રસી બનાવવામાં આત્મ નિર્ભર બન્યો છે. તેમના પ્રોત્સાહન થી દેશના વૈજ્ઞાનિકો એ સ્વદેશી રસી વિકસાવી છે.
કોરોનાના રસીકરણ નું કામ આખા દેશમાં પૂરું થઈ જાય અને વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતને કોરોના મુક્ત જાહેર કરે ત્યાં સુધી માસ્ક,સેનીટાઈઝરનો ઉપયોગ સહિત ની તકેદારીઓ સહુએ પાળવી પડશે. મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોરોના નિયંત્રણ અને લોકોની જીવન રક્ષાનું શ્રેષ્ઠ કામ કર્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરી ને પ્રમાણિત કરી એ ખૂબ ગૌરવની વાત છે.
દરમિયાન ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ હટાવી લેવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે કોરોના ની પરિસ્થિતિ ની સમીક્ષા કરીને તબક્કાવાર ઉચિત જણાઈ તેવી છૂટછાટો જન જીવન ને સામાન્ય કરવા માટે આપી છે.રાજ્યના 4 શહેરોમાં જ રાત્રિ કરફ્યુ છે અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ તહેવારો અને ઉત્સવો ભારત સરકારની ગાઈડ લાઈનની મર્યાદામાં રહીને સંયમિત રીતે ઉજવી સહયોગ આપવા માટે નાગરિકો ને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે. 2021 નું વર્ષ નવી આશાઓ નું વર્ષ છે. પ્રધાનમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ દેશ અભૂતપૂર્વ વિકાસના માર્ગે છે ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની શીખ પ્રમાણે છેવાડાના માનવીઓના ઘરો સુધી વિકાસ અને સમૃદ્ધિને લઈ જવામાં યોગદાન આપીએ.
દેશ શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બની રહ્યો છે.
તાજેતરમાં ગુજરાતમાં બનેલી વજ્ર ટેન્ક ભારતીય સેનામાં જોડાઈ છે એ આપના માટે ગર્વની વાત છે. કોરોના કાળમાં ગુજરાતે રાજ્ય શાસન,વહીવટી તંત્ર અને લોક શક્તિના સંકલન થી જીવન રક્ષાનો નવો અને ઉજળો ઇતિહાસ રચ્યો છે.વિશ્વની મહાસત્તાઓ ની સરખામણીમાં કોરોના નું શ્રેષ્ઠ વ્યવસ્થાપન ભારતે કર્યું છે.
મીડિયાએ કોરોના કાળમાં લોક જાગૃતિ કેળવવાની અને સતર્કતા સાથે જીવન રક્ષાનું લોક શિક્ષણ આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. આજે 130 કરોડ ભારતીયોની સાથે વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયો વિશ્વની મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતનું ગણતંત્ર પર્વ આનંદ અને ગૌરવ સાથે ઉજવી રહ્યાં છે.હું આ ઉજવણીમાં જોડાનારા સહુનું હાર્દિક અભિવાદન કરું છું. મહાન રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારત નું બંધારણ આ દિવસે અમલમાં મુકાયું.એટલે આ આપણા માટે અણમોલ દિવસ છે.