સરપંચ, તલાટી, આચાર્યો, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ સાથે જનભાગીદારીથી કોરોનાને નાથવા માઈક્રો પ્લાનિંગ
200 થી વધુનો સ્ટાફ ફરજ બજાવી, ગામડાઓમાં તપાસ દરમિયાન માઈલ્ડ કે મોડરેટ લક્ષણો ધરાવતા લોકોને આઇસોલેટ કરી રહ્યાં છે
WatchGujarat. અંતરિયાળ વિસ્તારમાં કોરોના સામે ની લડત માં તંત્ર કામે લાગ્યું છે, ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામા TDO ડો. અલ્પના નાયરની તાબડતોડ કામગીરીમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ માં નેત્રંગ તાલુકાના 39 ગ્રામ પંચાયત ખાતે કોમમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. સરપંચો, તલાટીઓ, આચાર્યો, શિક્ષકો સહિત 200 થી વધુ આરોગ્ય સ્ટાફની મદદથી ઘરેઘરે તપાસ કરી માઈલ્ડ કે મોડરેટ લક્ષણો ધરાવતા ગ્રામજનોને શાળાઓમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાઈ રહ્યાં છે.
ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં કોરોના ના કેસો વધતા અને ગામે ગામ થી સંક્રમિત દર્દીઓ શરૂ થવા લાગતા તંત્ર હરકતમાં આવ્યું હતું. કોરોના સામે જંગ છેડી એક મહિલા ટી.ડી.ઓ એ આખું એક્શન પ્લાન બનાવીને 39 ગ્રામ પંચાયતોના લોકોને સંક્રમણ થી સુરક્ષિત રાખવાની પ્રસંશનીય પહેલ શરૂ કરી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં થઇ રહેલી આ માઇક્રો મેનેજમેન્ટ જેવી કામગીરી જોઈ તમારા પણ હોંશ ઉડી જશે અને કહેવાનું મન થશે કે આ મહામારી સામે લડત લડવા આ આયોજન જ સૌથી યોગ્ય ઉપાય છે.
દેશ સહિત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. કોરોના ના સંક્રમણ ના કારણે સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ છે. બેડ, રેમડેસીવર ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર ની અછત થી અત્યાર સુધી અનેક લોકો પીડા ભોગવી ચુક્યા છે. તંત્ર સામે પણ પડકાર રૂપી બનેલ કોરોના ની આ ઘાતક બીજી લહેરમાં વધતા સંક્રમણ ને અટકાવવા રાતદિવસ તમામ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે.
શહેરો બાદ સંક્રમણ ગામડાઓમાં પણ હવે વધુ પ્રસરી રહ્યું હોય સરકાર દ્વારા આ સંક્રમણ ની ચૅઇન ને તોડવા માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ જેવું અભિયાન પણ શરૂ કરાયું છે. ભરૂચ જિલ્લામાં અંતરિયાળ એવા આદિવાસી વિસ્તાર ના મોટા ભાગના ગામડાઓ કોરોના ની બીજી લહેર ની ઝપેટ માં આવ્યા છે.
અવારનવાર પ્રાથમિક સુવિધા થી વંચિત રહેવા બાબતે ચર્ચામાં આવતા આ ગામડાઓ હવે "મારુ ગામ કોરોના મુક્ત ગામ"ની નેમ સાથે આગળ વધી રહ્યા છે. નેત્રંગ ટી.ડી.ઓ ડો.અલ્પના નાયરની પહેલ જાણે કે રંગ લાવી હોય તેમ તાલુકાની 39 જેટલી ગ્રામપંચાયત માં સંક્રમણ ને વધતું અટકાવવા માટે ગ્રામ પંચાયત અને લોક ભાગીદારી ની પહેલ વચ્ચે તમામ ગામ માં દર્દીઓને મુશ્કેલી ન પડે અને સંક્રમણ વધુ ન પ્રસરે તેવા ઉદ્દેશ સાથે કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર તાબડતોબ ઉભા કરી અન્ય ગામડાઓને સંક્રમણ સામે લડત આપવાનો સારો એવો મેસેજ આપ્યો છે,
મહત્વનું છે કે નેત્રંગ ટાઉન ને બાદ કરતાં તાલુકાના મોટા ભાગ ના ગામડાઓ અંતિયાળ વિસ્તારમાં આવેલા છે,જ્યાં કાચા પાકા રસ્તાઓ ના કારણે આજે પણ કેટલાક સ્થળે એમ્બ્યુલસ સહિતના વાહનો ને પહોંચવા માટે મુશ્કેલીઓ પડે છે,પરંતુ સંક્રમણ ની ચૅઇન ને ગામે ગામ થી તોડવા માટે ટીડીઓ ડો.અલ્પના નાયર દ્વારા એક ચોક્કસ રણનીતિ બનાવી પોતાની ટીમને કામે લગાડી હતી. જ્યાં સરપંચ થી લઇ તલાટી સુધી સતત સંકલન માં રહી ગામડાઓ ની શાળાઓમાં આઇશોલેટ અને કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં ગામ માંજ લોકો ને પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે.
39 ગ્રામ પંચાયતમાં કોરોના સામે જંગ લડવા 200 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા
તાલુકામાં વધતા સંક્રમણ ને લઈ જ્યાં આશા વર્કર બહેનો ઘરેઘરે ફરી સંક્રમિત કે લક્ષણ જણાતા દર્દીઓનું સર્વે કરી રહી છે. તો તલાટી ,સરપંચ અને ડોકટરો સતત સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી જો કોઈ કેસ સામે આવે તો તેની સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ પુરી કરી શકાય તેવા આયોજનમાં લાગ્યા છે. TDO પણ તમામ કર્મચારીઓના સંકલન માં રહી ને અંતરિયાળ વિસ્તારના ગામોમાં કોરોના ની ચેઇન તોડવા માટેની લડતમાં 200 કર્મચારીઓ લડત આપી રહ્યા છે.
200 થી વધુનો સ્ટાફ ફરજ બજાવી, ગામડાઓમાં તપાસ દરમિયાન માઈલ્ડ કે મોડરેટ લક્ષણો ધરાવતા લોકોને આઇસોલેટ કરી રહ્યાં છે
WatchGujarat. અંતરિયાળ વિસ્તારમાં કોરોના સામે ની લડત માં તંત્ર કામે લાગ્યું છે, ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામા TDO ડો. અલ્પના નાયરની તાબડતોડ કામગીરીમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ માં નેત્રંગ તાલુકાના 39 ગ્રામ પંચાયત ખાતે કોમમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. સરપંચો, તલાટીઓ, આચાર્યો, શિક્ષકો સહિત 200 થી વધુ આરોગ્ય સ્ટાફની મદદથી ઘરેઘરે તપાસ કરી માઈલ્ડ કે મોડરેટ લક્ષણો ધરાવતા ગ્રામજનોને શાળાઓમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાઈ રહ્યાં છે.
ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં કોરોના ના કેસો વધતા અને ગામે ગામ થી સંક્રમિત દર્દીઓ શરૂ થવા લાગતા તંત્ર હરકતમાં આવ્યું હતું. કોરોના સામે જંગ છેડી એક મહિલા ટી.ડી.ઓ એ આખું એક્શન પ્લાન બનાવીને 39 ગ્રામ પંચાયતોના લોકોને સંક્રમણ થી સુરક્ષિત રાખવાની પ્રસંશનીય પહેલ શરૂ કરી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં થઇ રહેલી આ માઇક્રો મેનેજમેન્ટ જેવી કામગીરી જોઈ તમારા પણ હોંશ ઉડી જશે અને કહેવાનું મન થશે કે આ મહામારી સામે લડત લડવા આ આયોજન જ સૌથી યોગ્ય ઉપાય છે.
દેશ સહિત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. કોરોના ના સંક્રમણ ના કારણે સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ છે. બેડ, રેમડેસીવર ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર ની અછત થી અત્યાર સુધી અનેક લોકો પીડા ભોગવી ચુક્યા છે. તંત્ર સામે પણ પડકાર રૂપી બનેલ કોરોના ની આ ઘાતક બીજી લહેરમાં વધતા સંક્રમણ ને અટકાવવા રાતદિવસ તમામ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે.
શહેરો બાદ સંક્રમણ ગામડાઓમાં પણ હવે વધુ પ્રસરી રહ્યું હોય સરકાર દ્વારા આ સંક્રમણ ની ચૅઇન ને તોડવા માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ જેવું અભિયાન પણ શરૂ કરાયું છે. ભરૂચ જિલ્લામાં અંતરિયાળ એવા આદિવાસી વિસ્તાર ના મોટા ભાગના ગામડાઓ કોરોના ની બીજી લહેર ની ઝપેટ માં આવ્યા છે.
અવારનવાર પ્રાથમિક સુવિધા થી વંચિત રહેવા બાબતે ચર્ચામાં આવતા આ ગામડાઓ હવે "મારુ ગામ કોરોના મુક્ત ગામ"ની નેમ સાથે આગળ વધી રહ્યા છે. નેત્રંગ ટી.ડી.ઓ ડો.અલ્પના નાયરની પહેલ જાણે કે રંગ લાવી હોય તેમ તાલુકાની 39 જેટલી ગ્રામપંચાયત માં સંક્રમણ ને વધતું અટકાવવા માટે ગ્રામ પંચાયત અને લોક ભાગીદારી ની પહેલ વચ્ચે તમામ ગામ માં દર્દીઓને મુશ્કેલી ન પડે અને સંક્રમણ વધુ ન પ્રસરે તેવા ઉદ્દેશ સાથે કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર તાબડતોબ ઉભા કરી અન્ય ગામડાઓને સંક્રમણ સામે લડત આપવાનો સારો એવો મેસેજ આપ્યો છે,
મહત્વનું છે કે નેત્રંગ ટાઉન ને બાદ કરતાં તાલુકાના મોટા ભાગ ના ગામડાઓ અંતિયાળ વિસ્તારમાં આવેલા છે,જ્યાં કાચા પાકા રસ્તાઓ ના કારણે આજે પણ કેટલાક સ્થળે એમ્બ્યુલસ સહિતના વાહનો ને પહોંચવા માટે મુશ્કેલીઓ પડે છે,પરંતુ સંક્રમણ ની ચૅઇન ને ગામે ગામ થી તોડવા માટે ટીડીઓ ડો.અલ્પના નાયર દ્વારા એક ચોક્કસ રણનીતિ બનાવી પોતાની ટીમને કામે લગાડી હતી. જ્યાં સરપંચ થી લઇ તલાટી સુધી સતત સંકલન માં રહી ગામડાઓ ની શાળાઓમાં આઇશોલેટ અને કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં ગામ માંજ લોકો ને પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે.
39 ગ્રામ પંચાયતમાં કોરોના સામે જંગ લડવા 200 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા
તાલુકામાં વધતા સંક્રમણ ને લઈ જ્યાં આશા વર્કર બહેનો ઘરેઘરે ફરી સંક્રમિત કે લક્ષણ જણાતા દર્દીઓનું સર્વે કરી રહી છે. તો તલાટી ,સરપંચ અને ડોકટરો સતત સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી જો કોઈ કેસ સામે આવે તો તેની સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ પુરી કરી શકાય તેવા આયોજનમાં લાગ્યા છે. TDO પણ તમામ કર્મચારીઓના સંકલન માં રહી ને અંતરિયાળ વિસ્તારના ગામોમાં કોરોના ની ચેઇન તોડવા માટેની લડતમાં 200 કર્મચારીઓ લડત આપી રહ્યા છે.