પરમાર પરિવારના સભ્યો ખેતમજુરી કરીને જીવન ગુજરાન ચલાવા હતા
પુત્રને મુકીને મજુરી કરવા ગયા બાદ ઘરમાં અકસ્માતે આગ લાગી હતી
સ્થાનિકો આગ પર કાબુ મેળવે ત્યાં તો માસુમ આગમાં હોમાઇ ગયો હતો
આગ અકસ્માતની ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી
WatchGujarat. વાઘોડિયા તાલુકાના તરસવા ગામ ખાતે મંદિરવાળા ફળિયામાં એક મકાનમાં આગ લાગતા 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જેને લઇને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, તરસવા ગામના મંદિરવાળા ફળિયામાં રહેતા પરમાન નિતીનભાઇ તેમના પત્ની અને બે સંતાનો સાથે ખેતમજુરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. નિતીનભાઇ પરમાર અને તેમના પત્ની મમતાબેન બે પુત્રોને ઘરે મુકીને ખેતીકામ કરવા માટે ખેતરમાં ગયા હતા. તેમના પુત્રો ઘરે હતા ત્યારે અચાનક આગ લાગી હતી. અને ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોવા મળ્યા હતા. વાત ધ્યાને આવતા આસપાસના ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. નિતિન ભાઇને 6 વર્ષનો પુત્ર ધ્રુવિલ ઘરમાં હતો. અને તે આગ વચ્ચે ઘરમાંથી બહાર નિકળી શક્યો ન હતો. આ બનાવમાં ધ્રવિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પુત્રનો બચાવ થયો હતો.
સમગ્ર મામલાની જાણ થતા ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને વાઘોડિયા પોલીસને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
પરમાર પરિવારના સભ્યો ખેતમજુરી કરીને જીવન ગુજરાન ચલાવા હતા
પુત્રને મુકીને મજુરી કરવા ગયા બાદ ઘરમાં અકસ્માતે આગ લાગી હતી
સ્થાનિકો આગ પર કાબુ મેળવે ત્યાં તો માસુમ આગમાં હોમાઇ ગયો હતો
આગ અકસ્માતની ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી
WatchGujarat. વાઘોડિયા તાલુકાના તરસવા ગામ ખાતે મંદિરવાળા ફળિયામાં એક મકાનમાં આગ લાગતા 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જેને લઇને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, તરસવા ગામના મંદિરવાળા ફળિયામાં રહેતા પરમાન નિતીનભાઇ તેમના પત્ની અને બે સંતાનો સાથે ખેતમજુરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. નિતીનભાઇ પરમાર અને તેમના પત્ની મમતાબેન બે પુત્રોને ઘરે મુકીને ખેતીકામ કરવા માટે ખેતરમાં ગયા હતા. તેમના પુત્રો ઘરે હતા ત્યારે અચાનક આગ લાગી હતી. અને ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોવા મળ્યા હતા. વાત ધ્યાને આવતા આસપાસના ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. નિતિન ભાઇને 6 વર્ષનો પુત્ર ધ્રુવિલ ઘરમાં હતો. અને તે આગ વચ્ચે ઘરમાંથી બહાર નિકળી શક્યો ન હતો. આ બનાવમાં ધ્રવિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પુત્રનો બચાવ થયો હતો.
સમગ્ર મામલાની જાણ થતા ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને વાઘોડિયા પોલીસને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.