વર્ષ 2017માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ના હસ્તે રિમોટ કંન્ટ્રોલથી લહેરાવવામાં આવ્યો હતો
ગરીબોના આવાસો તોડીને એ જ સ્થળે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોર્પોરેશનનું ઊંચું આયોજન જમીન દોસ્ત થઈ ગયું
કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ અને શહીદ વનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો
WatchGujarat. શહેરના પ્રવેશદ્વાર ગણાતા સમા વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ પાંચ વર્ષ પહેલા લહેરાવવામાં આવ્યો હતો. તેની સાથે શહીદ વન બનાવવાનું આયોજન પણ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતું. પરંતુ તે પ્રોજેક્ટ અભરાઈએ ચડી જતા આજે વડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર બે ના આગેવાનોએ શહીદ દિન નિમિત્તે આ પ્રોજેક્ટ પુનઃશરૂ કરવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.
વડોદરા શહેરના સમા તળાવ પાસે પાસે ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. અને તેની સાથે વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવાનું અને શહીદ વન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યા પર હવે અવાવરું જંગલ થઈ ગયું છે.
ગરીબોના આવાસો તોડીને એ જ સ્થળે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોર્પોરેશનનું ઊંચું આયોજન જમીન દોસ્ત થઈ ગયું છે. કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ અને શહીદ વનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ના હસ્તે રિમોટ કંન્ટ્રોલથી લહેરાવવામાં આવ્યો હતો. શરૂઆતના બે વર્ષમાં ધ્વજ ફાટી જતાં આ જગ્યાએથી રાષ્ટ્રીય ધ્વજ કાયમી ધોરણે ઉતારી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સ્થળે વિશ્વના તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અને દેશના સંખ્યાબંધ શહીદો ના નામે વૃક્ષો વાવીને શહીદ વન ઊભું કરવાનું આયોજન કરાયું હતું તે સમગ્ર પ્રોજેક્ટ પડતો મૂકી દેવાયો છે.
આ અંગે વોર્ડ નંબર 2 કોંગ્રેસ ના આગેવાનો એલ્વિન થોમસ પારસ પ્રજાપતિ મનસુખ સવાણી અને મનસુખ ભગત સહિત કાર્યકર્તાઓએ સમા ખાતે પોસ્ટરો સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી ફરીથી આ જગ્યા પર રાષ્ટ્રીય ધ્વજ કાયમ માટે લહેરાવવા અને શહીદ વન ના પ્રોજેક્ટને. ફરીથી ચાલુ કરવાની માંગ કરી હતી.
વર્ષ 2017માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ના હસ્તે રિમોટ કંન્ટ્રોલથી લહેરાવવામાં આવ્યો હતો
ગરીબોના આવાસો તોડીને એ જ સ્થળે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોર્પોરેશનનું ઊંચું આયોજન જમીન દોસ્ત થઈ ગયું
કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ અને શહીદ વનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો
WatchGujarat. શહેરના પ્રવેશદ્વાર ગણાતા સમા વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ પાંચ વર્ષ પહેલા લહેરાવવામાં આવ્યો હતો. તેની સાથે શહીદ વન બનાવવાનું આયોજન પણ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતું. પરંતુ તે પ્રોજેક્ટ અભરાઈએ ચડી જતા આજે વડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર બે ના આગેવાનોએ શહીદ દિન નિમિત્તે આ પ્રોજેક્ટ પુનઃશરૂ કરવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.
વડોદરા શહેરના સમા તળાવ પાસે પાસે ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. અને તેની સાથે વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવાનું અને શહીદ વન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યા પર હવે અવાવરું જંગલ થઈ ગયું છે.
ગરીબોના આવાસો તોડીને એ જ સ્થળે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોર્પોરેશનનું ઊંચું આયોજન જમીન દોસ્ત થઈ ગયું છે. કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ અને શહીદ વનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ના હસ્તે રિમોટ કંન્ટ્રોલથી લહેરાવવામાં આવ્યો હતો. શરૂઆતના બે વર્ષમાં ધ્વજ ફાટી જતાં આ જગ્યાએથી રાષ્ટ્રીય ધ્વજ કાયમી ધોરણે ઉતારી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સ્થળે વિશ્વના તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અને દેશના સંખ્યાબંધ શહીદો ના નામે વૃક્ષો વાવીને શહીદ વન ઊભું કરવાનું આયોજન કરાયું હતું તે સમગ્ર પ્રોજેક્ટ પડતો મૂકી દેવાયો છે.
આ અંગે વોર્ડ નંબર 2 કોંગ્રેસ ના આગેવાનો એલ્વિન થોમસ પારસ પ્રજાપતિ મનસુખ સવાણી અને મનસુખ ભગત સહિત કાર્યકર્તાઓએ સમા ખાતે પોસ્ટરો સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી ફરીથી આ જગ્યા પર રાષ્ટ્રીય ધ્વજ કાયમ માટે લહેરાવવા અને શહીદ વન ના પ્રોજેક્ટને. ફરીથી ચાલુ કરવાની માંગ કરી હતી.