ડી.બી.એસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર
રાગેશ શાહ ઓસ્ટ્રેલિયા હોવાનું તેમજ અજય શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાનું ઘર નાસી ગયો
રૂપિયા ઉઘરાવ્યા બાદ બિલ્ડરોએ મકાન ન બાંધ્યાં, સાઈટ પર મજૂરો પણ આવતા બંધ થયા અને બિલ્ડરોએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો
WatchGujarat. વાઘોડિયા રોડ પર સંસ્કારનગર નામની લોભામણી લાલચ આપી 21 લોકો પાસેથી રૂ.1.54 કરોડ ખંખેરનાર ડી.બી.એસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે એલસીબીની તપાસમાં સંજય શાહ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અમદાવાદમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર ડાયરેક્ટરોમાં રાગેશ શાહ ઓસ્ટ્રેલિયા હોવાનું તેમજ અજય શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાનું ઘર નાસી ગયો છે. હાલ પોલીસ અજય શાહના ઘરની બહાર વોચ ગોઠવી છે.
એલસીબીના જણાવ્યા અનુસાર, આરોપી બિલ્ડર સંજય રમેશચંદ્ર શાહ (રહે- સુર બંગલોઝ, નડિયાદ)ની ધરપકડ કરી લેવાઈ છે. તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ હવે ડી.બી.એસ.પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહ, ફરાર આરોપી ડાયરેક્ટર રાગેશ દ્વારકાદાસ શાહ (રહે-કમલાપુરા) અને અજય જશવંતલાલ શાહ (રહે-અમદાવાદ) સિવાય અન્ય કેટલા ડાયરેક્ટરો છે ? કોનું કોનું રોકાણ છે? તેમજ આરોપી ડાયરેક્ટરોએ 22 લોકો પાસેથી ઉઘરાવેલા રૂ.1.54 કરોડ રૂપિયાનું શું કર્યું તે અંગે તપાસ હાથ ધરી છે.
એલસીબીના જણાવ્યા અનુસાર, વડોદરા-વાઘોડિયા રોડ પર કમલાપુરા ગામના સ્ટેન્ડ પાસે ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાંક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો બુક કરાવનાર 22 લોકો પાસેથી 1.54 કરોડ ખંખેરી છેતરપિંડી કરાતા નિવૃત્ત સરકારી કર્મચારી પ્રબોધચન્દ્ર માણેકલાલ દવેએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સ્કિમના ડિરેક્ટરોએ કુલ 122 લોકો જોડે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જોકે રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ બિલ્ડરોએ મકાન બાંધ્યાં ન હતાં. સાઈટ પર મજૂરો પણ આવતા બંધ થઈ ગયા હતા અને બિલ્ડરોએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આખરે સ્કીમમાં રૂપિયા ભરનાર લોકોએ બિલ્ડરો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઠગાઇનાં નાણાંથી મિલકતો ખરીદાઇ ?
બિલ્ડર સંજય શાહ સહિતના આરોપી બિલ્ડરોએ 21 લોકો પાસેથી લીધેલા રૂ.1.54 કરોડ પોતાના મોજશોખ પાછળ ઉપરાંત અન્ય શહેરોમાં મિલકતો ખરીદવા માટે પણ ઉપયોગ કર્યો હોવા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ડી.બી.એસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર
રાગેશ શાહ ઓસ્ટ્રેલિયા હોવાનું તેમજ અજય શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાનું ઘર નાસી ગયો
રૂપિયા ઉઘરાવ્યા બાદ બિલ્ડરોએ મકાન ન બાંધ્યાં, સાઈટ પર મજૂરો પણ આવતા બંધ થયા અને બિલ્ડરોએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો
WatchGujarat. વાઘોડિયા રોડ પર સંસ્કારનગર નામની લોભામણી લાલચ આપી 21 લોકો પાસેથી રૂ.1.54 કરોડ ખંખેરનાર ડી.બી.એસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે એલસીબીની તપાસમાં સંજય શાહ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અમદાવાદમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર ડાયરેક્ટરોમાં રાગેશ શાહ ઓસ્ટ્રેલિયા હોવાનું તેમજ અજય શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાનું ઘર નાસી ગયો છે. હાલ પોલીસ અજય શાહના ઘરની બહાર વોચ ગોઠવી છે.
એલસીબીના જણાવ્યા અનુસાર, આરોપી બિલ્ડર સંજય રમેશચંદ્ર શાહ (રહે- સુર બંગલોઝ, નડિયાદ)ની ધરપકડ કરી લેવાઈ છે. તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ હવે ડી.બી.એસ.પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય શાહ, ફરાર આરોપી ડાયરેક્ટર રાગેશ દ્વારકાદાસ શાહ (રહે-કમલાપુરા) અને અજય જશવંતલાલ શાહ (રહે-અમદાવાદ) સિવાય અન્ય કેટલા ડાયરેક્ટરો છે ? કોનું કોનું રોકાણ છે? તેમજ આરોપી ડાયરેક્ટરોએ 22 લોકો પાસેથી ઉઘરાવેલા રૂ.1.54 કરોડ રૂપિયાનું શું કર્યું તે અંગે તપાસ હાથ ધરી છે.
એલસીબીના જણાવ્યા અનુસાર, વડોદરા-વાઘોડિયા રોડ પર કમલાપુરા ગામના સ્ટેન્ડ પાસે ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાંક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો બુક કરાવનાર 22 લોકો પાસેથી 1.54 કરોડ ખંખેરી છેતરપિંડી કરાતા નિવૃત્ત સરકારી કર્મચારી પ્રબોધચન્દ્ર માણેકલાલ દવેએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સ્કિમના ડિરેક્ટરોએ કુલ 122 લોકો જોડે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જોકે રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ બિલ્ડરોએ મકાન બાંધ્યાં ન હતાં. સાઈટ પર મજૂરો પણ આવતા બંધ થઈ ગયા હતા અને બિલ્ડરોએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આખરે સ્કીમમાં રૂપિયા ભરનાર લોકોએ બિલ્ડરો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઠગાઇનાં નાણાંથી મિલકતો ખરીદાઇ ?
બિલ્ડર સંજય શાહ સહિતના આરોપી બિલ્ડરોએ 21 લોકો પાસેથી લીધેલા રૂ.1.54 કરોડ પોતાના મોજશોખ પાછળ ઉપરાંત અન્ય શહેરોમાં મિલકતો ખરીદવા માટે પણ ઉપયોગ કર્યો હોવા અંગે પોલીસ તપાસ કરી રહી છે.