બર્ડ ફ્લુ રોગની આશંકાને પગલે જિલ્લા પશુપાલન ની ટીમ તેમજ તાલુકાની આરોગ્ય ટીમોએ વિવિધ સર્વે ને કામગીરી હાથ ધરી
હેલ્થ ઓફિસર રાહુલ સિંગ ના માર્ગદર્શન હેઠળ આ પંથકમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની વિગતવાર માહિતી લઈ જરૂરી સૂચનો આપવામાં આવ્યા
WatchGujarat. સાવલી તાલુકાના વસંતપુરા ગામે ગત રોજ અચાનક ભેદી સંજોગોમાં 30 જેટલા કાગડાઓ ના મોતના પગલે તેમજ બર્ડ ફ્લુ રોગની આશંકાને પગલે જિલ્લા પશુપાલન ની ટીમ તેમજ તાલુકાની આરોગ્ય ટીમોએ વિવિધ સર્વે ને કામગીરી હાથ ધરી છે અને જરૂરી સૂચનો કર્યા છે
ગતરોજ સાંજના સમયે સાવલીના વસંત પુરા ગામે ભેદી સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દેશમાં બર્ડ ફ્લુ રોગની પગ પેસારો ની આશંકા છે. તેવામાં આ કાગડાઓ ના મોત થતાં સમગ્ર તાલુકામાં ફફડાટ ફેલાવી દીધો છે. ઉપરોક્ત ઘટના સામે આવતા જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લઇ મરણ થયેલ કાગડા સેમ્પલ ભોપાલ ખાતે મોકલી આપવા કવાયત હાથ ધરી છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાહુલ સિંગ ના માર્ગદર્શન હેઠળ આ પંથકમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની વિગતવાર માહિતી લઈ જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. વિસ્તારમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મરધાઓના મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે #વસંતપુરા
સમગ્ર ઘટના બાબતે જિલ્લા પશુપાલન અધિકારી પીઆર દરજીએ જણાવ્યું હતું કે, મૃત કાગડાઓ ના સેમ્પલ લઇને જરૂરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. અને કાગડાઓને મોતનું ચોક્કસ કારણ જાણ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. હાલ આ વિસ્તારના મરઘા કેન્દ્ર ના માલિકોને મરઘા ના મોત બાબતે યોગ્ય સૂચનો કર્યા છે.
સાવલી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાહુલ સિંગે જણાવ્યું હતું કે, સમગ્ર પંથકના મરઘા કેન્દ્ર માં મરઘા ઓની સંખ્યા નું લીસ્ટ બનાવ્યું છે અને જરૂરી સ્વચ્છતા તેમજ મરઘા કેન્દ્ર માં કામ કરતા કામદારોને અન્ય લોકો સાથે સંપર્કમાં ન આવવા દેવા તેમજ મૃત મરઘા ના યોગ્ય નિકાલ તેમજ મૃતકની સંખ્યાની રજીસ્ટર નિભાવણી માટેના સુચનો આપ્યા છે
More #વસંતપુરા #Savli #bird #flu #doubtful #case #investigation #started #Gujaratinews #Watchgujarat
બર્ડ ફ્લુ રોગની આશંકાને પગલે જિલ્લા પશુપાલન ની ટીમ તેમજ તાલુકાની આરોગ્ય ટીમોએ વિવિધ સર્વે ને કામગીરી હાથ ધરી
હેલ્થ ઓફિસર રાહુલ સિંગ ના માર્ગદર્શન હેઠળ આ પંથકમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની વિગતવાર માહિતી લઈ જરૂરી સૂચનો આપવામાં આવ્યા
WatchGujarat. સાવલી તાલુકાના વસંતપુરા ગામે ગત રોજ અચાનક ભેદી સંજોગોમાં 30 જેટલા કાગડાઓ ના મોતના પગલે તેમજ બર્ડ ફ્લુ રોગની આશંકાને પગલે જિલ્લા પશુપાલન ની ટીમ તેમજ તાલુકાની આરોગ્ય ટીમોએ વિવિધ સર્વે ને કામગીરી હાથ ધરી છે અને જરૂરી સૂચનો કર્યા છે
ગતરોજ સાંજના સમયે સાવલીના વસંત પુરા ગામે ભેદી સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દેશમાં બર્ડ ફ્લુ રોગની પગ પેસારો ની આશંકા છે. તેવામાં આ કાગડાઓ ના મોત થતાં સમગ્ર તાલુકામાં ફફડાટ ફેલાવી દીધો છે. ઉપરોક્ત ઘટના સામે આવતા જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લઇ મરણ થયેલ કાગડા સેમ્પલ ભોપાલ ખાતે મોકલી આપવા કવાયત હાથ ધરી છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાહુલ સિંગ ના માર્ગદર્શન હેઠળ આ પંથકમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની વિગતવાર માહિતી લઈ જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. વિસ્તારમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મરધાઓના મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે #વસંતપુરા
સમગ્ર ઘટના બાબતે જિલ્લા પશુપાલન અધિકારી પીઆર દરજીએ જણાવ્યું હતું કે, મૃત કાગડાઓ ના સેમ્પલ લઇને જરૂરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. અને કાગડાઓને મોતનું ચોક્કસ કારણ જાણ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. હાલ આ વિસ્તારના મરઘા કેન્દ્ર ના માલિકોને મરઘા ના મોત બાબતે યોગ્ય સૂચનો કર્યા છે.
સાવલી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાહુલ સિંગે જણાવ્યું હતું કે, સમગ્ર પંથકના મરઘા કેન્દ્ર માં મરઘા ઓની સંખ્યા નું લીસ્ટ બનાવ્યું છે અને જરૂરી સ્વચ્છતા તેમજ મરઘા કેન્દ્ર માં કામ કરતા કામદારોને અન્ય લોકો સાથે સંપર્કમાં ન આવવા દેવા તેમજ મૃત મરઘા ના યોગ્ય નિકાલ તેમજ મૃતકની સંખ્યાની રજીસ્ટર નિભાવણી માટેના સુચનો આપ્યા છે