માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરોબો ધરાવતા હર્ષિલ લિંબાચિયા સામે એક પછી એક ત્રણ ગુના નોંધાયા
તાજેતરમાં ગાંધીનગરના યુવાનોને વીજ કંપનીમાં નોકરી અપાવવાની લાલચે લખો રૂપિયા પડાવી બોગસ જોબ લેટર આપ્યા હતા
અનેક ગુનાઓ છતાં કડક કાર્યવાહીના અભાવે હર્ષિલ લિંબાચિયા રીઢો બનતો ગયો અને ગુનાઓ આચરતો ગયો
નવા પોલીસ કમિશનર શમશેરસિંહ કડક છાપ ધરાવે છે, અને ગુનાખોરી ડામવા સક્રિય છે તેવો વિશ્વાસ અપાવે તેવો કિસ્સો
WatchGujarat. મંજલપુરમાં રહેતા માથાભારે યુવાન હર્ષિલ લિંબાચિયા સામે પ્રોહિબિશન, મારામારી અને GMERS મેડિકલ કોલેજમાં ગેરંટેડ એડમિશન અપાવવાનો વિશ્વાસ આપી રૂ. 25 લાખ પડાવવાના મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક સમયે હર્ષિલ લિંબાચિયા માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે ઘરોબો ધરાવતો હતો, પરંતુ આજે તે જ જગ્યાએ તેની સામે ગુનાઓની ઝડી લાગી રહી છે.
શહેરના કલાલી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હવનમાં રહેતો હર્ષિલ લિંબાચિયા ભૂતકાળમાં BJP નો કાર્યકર હોવાને કારણે નેતાઓ સાથેના કાર્યક્રમમાં અચૂક તેમની સાથે ફોટા પડાવલા હતો. અને તેવા ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકીને પોતે સમાજ અને સંસ્થાઓ તથા રાજકારણમાં અત્યંત વગદાર વ્યક્તિ હોય અને કોઈ પણ કામ કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે કરવા સક્ષમ હોય તેવું આભાસી ચિત્ર રજૂ કરતો હતો. તાજેતરમાં ગાંધીનગરના યુવાનોને વીજ કંપનીમાં પોતાની ઓળખ હોવાનું કહી હર્ષિલે નોકરી આપવાનું કહ્યું હતું. તે માટે અલગ અલગ ઉમેદવારો પાસેથી લખો રૂપિયા પડાવ્યા હતા. અને વીજ કંપનીમાં નોકરી મળી ગઈ હોય તેવા ઓફર લેટર પણ આપ્યા હતા. પરંતુ આખરે કૌભાંડ બહાર આવી જતા ગાંધીનગરના યુવકોએ પૈસા પાછા માંગ્યા હતા. પૈસા આપવાનું જણાવી હર્ષિલ લિંબાચિયા અને તેના મળતિયાઓએ ગાંધીનગરથી આવેલા લોકો ની કાર પર હુમલો કરી માર માર્યો હતો.
હર્ષિલ લિંબાચિયા માત્ર રાજકારણીઓ સાથે જ નહિ પણ પોલીસ કર્મીઓ સાથે પણ ધરોબો ધરાવતો હતો. પોલીસ અધિકારિયો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ધાક જમાવતો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનું ઘર માની બેઠો હતો. અને પોતે પોલીસ કર્મી છે તેવો વહેમ મનમાં પાળી તે પ્રમાણે વર્તન કરતો હતો. 16 જાન્યુઆરીના રોજ મંજલપુરના માથાભારે હર્ષિલ લિંબાચિયા પર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પહેલી પોલીસ ફરિયાદ પ્રોહિબીશન, બીજી ફરિયાદ મારામારી અને ત્રીજી ફરિયાદ મેડિકલ કોલેજમાં એડમિશન આવવાનું જણાવી રૂ. 25 લાખ પડાવ્યાની છે.
નવા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંહ કાયદાની આડે આવતા કોઈ પણ વ્યક્તિને પાઠ ભણાવી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના નવા નિમાયેલા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંહ કડક છાપ ધરાવે છે. અને કાયદાની આડે આવતા કોઈ પણ વ્યક્તિને પાઠ ભણાવી શકે છે. તેમની કડક કામગીરી અંગે વિશ્વાસ અપાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. હર્ષિલ લિંબાચિયા સામે અત્યાર સુધી અનેક ગુના નોંધાયા હતા. પરંતુ હવે નવા પોલીસ કમિશ્નરના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવતા પગલાં લોકોમાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ વધારશે.
ચિક્કાર દારૂ પીધેલા હર્ષિલે તોતળાતી જીભે પોતાનું નામ જણાવ્યું
પ્રથમ ફરિયાદ અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી PCR વાનને એક ઈસમ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અટલાદરા વૃંદાવન સોસાયટી પાસેથી જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મેસેજ મળતા જ PCR વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી ચિક્કાર દારુપીચેલી હાલતમાં લથ્થડીયા ખાતો મળી આવ્યો હતો. પોલીસ કર્મીએ તેનું નામ પૂછતાં હર્ષિલ લિંબાચિયા હોવાનું જણાવ્યું હતું. ચિક્કાર દારૂ પીધેલા હર્ષિલે તોતળાતી જીભે પોતાનું નામ જણાવ્યું હતું. મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિંબાચિયા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
હાથમાં ઓપરેશન કરાયેલા વ્યક્તિને જૂની અદાવત રાખીને મુક્કા માર્યા
બીજી ફરિયાદ અનુસાર, કલાલી સિદ્ધેશ્વર હવનમાં રહેતો હર્ષિલ લિંબાચિયા બ્લોક નો પ્રેસિડેન્ટ બન્યો હતો. પોતાની મનમાની કરતો હોવાને કારણે બ્લોક પ્રેસિડેન્ટ તરીકે દોઢ વર્ષ પહેલા ઉદયભાઈ કાશીરામ તળેકરને મુકવામાં આવ્યા હતા. હર્ષિલ ની જગ્યાએ ઉદયભાઈને મુકવાને કારણે તેના પર રીઝ રાખી હતી. વાસી ઉત્તરાયણના દિવસે ઉદયભાઈને ત્યાં પરિવારજનો આવ્યા હતા. પરિવારજનોને મુકવા માટે તેઓ ગેટ પર આવ્યા હતા. દરમિયાન હર્ષિલે ફ્લેટના ગેટ પાસે આવીને ઉદયભાઈને ગાળો આપવાનું શરુ કરી દીધું હતું. અને ત્યાર બાદ ઉશ્કેરાઈને ઉદયભાઈને માર મારવાનો શરુ કર્યો હતો. મારામારીમાં પોતાના ઓપરેશન વાળા હાથ ને બચાવવા જતા ઉદયભાઈએ મુક્કા પડ્યા હતા. આખરે ફ્લેટના સિકયુટીટી ગાર્ડ અને અન્ય લોકોએ વચ્ચે પડીને ઉદયભાઈને માથાભારે હર્ષિલ પાસેથી છોડાવ્યા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિંબાચિયા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીનો નેતા અને સેનેટ મેમ્બર હોવાની ઓળખ આપી ગોત્રી GMERS કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી
ત્રીજી ફરિયાદ અનુસાર, શહેરના વાસના રોડ પર રહેતા સત્ય આનંદકુમાર રઘુ ની પુત્રી એ વર્ષ 2017 માં 12 સાયન્સ અને નીટ ની એક્ઝામ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી. અને MBBS માટે એડમિશન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોતાની એક ની એક દીકરીને વડોદરામાં જ MBBS માં એડમિશન મળે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. દરમિયાન સત્ય આનંદકુમાર રઘુનો ભેટો ઠગ હર્ષિલ લીમ્બાચીયા સાથે થયો હતો. હર્ષિલ પોતે યુનિવર્સિટીનો નેતા અને સેનેટ મેમ્બર હોવાની ઓળખ આપી ગોત્રી GMERS કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી હતી. ઠગની વાતોમાં આવીને સત્ય આનંદકુમાર રઘુએ તેને વિવિધ પ્રકારે રૂ. 25 લાખ ચૂકવ્યા હતા. ક્યારેક મેનેજમેન્ટ ક્વોટા તો ક્યારેક NRI ક્વોટામાં એડમિશન અપાવવાનું કહીને પૈસા પડાવવામાં આવ્યા હતા.
દરમિયાન હર્ષિલે બોગસ એડમિશન મળ્યા વગર બોગસ પ્રોવિઝનલ એડમિશન લેટર , ID કાર્ડ, સહિતના કાગળિયા પણ આપ્યા હતા. અને રૂ. 2 લાખથી વધુના ખર્ચે સ્ટડી મટીરીયલ પણ ખરીદાવડાવ્યું હતું. આખરે 27/10/17 ના રોજ હર્ષિલ લીમ્બાચીયા એ એડમિશન હેડ સાથે મળવા માટે બોલાવ્યા હતા. પરિવારજનો દરવાજા પર રાહ જોઈને બેઠા પણ હર્ષિલ આવ્યો ન હતો. આખરે પરિવારને છેતરાયા હોવાનો અંદાજ આવી ગયો હતો. સમગ્ર મામલે હર્ષિલ લિંબાચિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરોબો ધરાવતા હર્ષિલ લિંબાચિયા સામે એક પછી એક ત્રણ ગુના નોંધાયા
અનેક ગુનાઓ છતાં કડક કાર્યવાહીના અભાવે હર્ષિલ લિંબાચિયા રીઢો બનતો ગયો અને ગુનાઓ આચરતો ગયો
નવા પોલીસ કમિશનર શમશેરસિંહ કડક છાપ ધરાવે છે, અને ગુનાખોરી ડામવા સક્રિય છે તેવો વિશ્વાસ અપાવે તેવો કિસ્સો
WatchGujarat. મંજલપુરમાં રહેતા માથાભારે યુવાન હર્ષિલ લિંબાચિયા સામે પ્રોહિબિશન, મારામારી અને GMERS મેડિકલ કોલેજમાં ગેરંટેડ એડમિશન અપાવવાનો વિશ્વાસ આપી રૂ. 25 લાખ પડાવવાના મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક સમયે હર્ષિલ લિંબાચિયા માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે ઘરોબો ધરાવતો હતો, પરંતુ આજે તે જ જગ્યાએ તેની સામે ગુનાઓની ઝડી લાગી રહી છે.
શહેરના કલાલી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હવનમાં રહેતો હર્ષિલ લિંબાચિયા ભૂતકાળમાં BJP નો કાર્યકર હોવાને કારણે નેતાઓ સાથેના કાર્યક્રમમાં અચૂક તેમની સાથે ફોટા પડાવલા હતો. અને તેવા ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકીને પોતે સમાજ અને સંસ્થાઓ તથા રાજકારણમાં અત્યંત વગદાર વ્યક્તિ હોય અને કોઈ પણ કામ કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે કરવા સક્ષમ હોય તેવું આભાસી ચિત્ર રજૂ કરતો હતો. તાજેતરમાં ગાંધીનગરના યુવાનોને વીજ કંપનીમાં પોતાની ઓળખ હોવાનું કહી હર્ષિલે નોકરી આપવાનું કહ્યું હતું. તે માટે અલગ અલગ ઉમેદવારો પાસેથી લખો રૂપિયા પડાવ્યા હતા. અને વીજ કંપનીમાં નોકરી મળી ગઈ હોય તેવા ઓફર લેટર પણ આપ્યા હતા. પરંતુ આખરે કૌભાંડ બહાર આવી જતા ગાંધીનગરના યુવકોએ પૈસા પાછા માંગ્યા હતા. પૈસા આપવાનું જણાવી હર્ષિલ લિંબાચિયા અને તેના મળતિયાઓએ ગાંધીનગરથી આવેલા લોકો ની કાર પર હુમલો કરી માર માર્યો હતો.
હર્ષિલ લિંબાચિયા માત્ર રાજકારણીઓ સાથે જ નહિ પણ પોલીસ કર્મીઓ સાથે પણ ધરોબો ધરાવતો હતો. પોલીસ અધિકારિયો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ધાક જમાવતો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનું ઘર માની બેઠો હતો. અને પોતે પોલીસ કર્મી છે તેવો વહેમ મનમાં પાળી તે પ્રમાણે વર્તન કરતો હતો. 16 જાન્યુઆરીના રોજ મંજલપુરના માથાભારે હર્ષિલ લિંબાચિયા પર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પહેલી પોલીસ ફરિયાદ પ્રોહિબીશન, બીજી ફરિયાદ મારામારી અને ત્રીજી ફરિયાદ મેડિકલ કોલેજમાં એડમિશન આવવાનું જણાવી રૂ. 25 લાખ પડાવ્યાની છે.
નવા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંહ કાયદાની આડે આવતા કોઈ પણ વ્યક્તિને પાઠ ભણાવી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના નવા નિમાયેલા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંહ કડક છાપ ધરાવે છે. અને કાયદાની આડે આવતા કોઈ પણ વ્યક્તિને પાઠ ભણાવી શકે છે. તેમની કડક કામગીરી અંગે વિશ્વાસ અપાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. હર્ષિલ લિંબાચિયા સામે અત્યાર સુધી અનેક ગુના નોંધાયા હતા. પરંતુ હવે નવા પોલીસ કમિશ્નરના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવતા પગલાં લોકોમાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ વધારશે.
ચિક્કાર દારૂ પીધેલા હર્ષિલે તોતળાતી જીભે પોતાનું નામ જણાવ્યું
પ્રથમ ફરિયાદ અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી PCR વાનને એક ઈસમ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અટલાદરા વૃંદાવન સોસાયટી પાસેથી જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મેસેજ મળતા જ PCR વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી ચિક્કાર દારુપીચેલી હાલતમાં લથ્થડીયા ખાતો મળી આવ્યો હતો. પોલીસ કર્મીએ તેનું નામ પૂછતાં હર્ષિલ લિંબાચિયા હોવાનું જણાવ્યું હતું. ચિક્કાર દારૂ પીધેલા હર્ષિલે તોતળાતી જીભે પોતાનું નામ જણાવ્યું હતું. મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિંબાચિયા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજી ફરિયાદ અનુસાર, કલાલી સિદ્ધેશ્વર હવનમાં રહેતો હર્ષિલ લિંબાચિયા બ્લોક નો પ્રેસિડેન્ટ બન્યો હતો. પોતાની મનમાની કરતો હોવાને કારણે બ્લોક પ્રેસિડેન્ટ તરીકે દોઢ વર્ષ પહેલા ઉદયભાઈ કાશીરામ તળેકરને મુકવામાં આવ્યા હતા. હર્ષિલ ની જગ્યાએ ઉદયભાઈને મુકવાને કારણે તેના પર રીઝ રાખી હતી. વાસી ઉત્તરાયણના દિવસે ઉદયભાઈને ત્યાં પરિવારજનો આવ્યા હતા. પરિવારજનોને મુકવા માટે તેઓ ગેટ પર આવ્યા હતા. દરમિયાન હર્ષિલે ફ્લેટના ગેટ પાસે આવીને ઉદયભાઈને ગાળો આપવાનું શરુ કરી દીધું હતું. અને ત્યાર બાદ ઉશ્કેરાઈને ઉદયભાઈને માર મારવાનો શરુ કર્યો હતો. મારામારીમાં પોતાના ઓપરેશન વાળા હાથ ને બચાવવા જતા ઉદયભાઈએ મુક્કા પડ્યા હતા. આખરે ફ્લેટના સિકયુટીટી ગાર્ડ અને અન્ય લોકોએ વચ્ચે પડીને ઉદયભાઈને માથાભારે હર્ષિલ પાસેથી છોડાવ્યા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષિલ લિંબાચિયા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીનો નેતા અને સેનેટ મેમ્બર હોવાની ઓળખ આપી ગોત્રી GMERS કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી
ત્રીજી ફરિયાદ અનુસાર, શહેરના વાસના રોડ પર રહેતા સત્ય આનંદકુમાર રઘુ ની પુત્રી એ વર્ષ 2017 માં 12 સાયન્સ અને નીટ ની એક્ઝામ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી. અને MBBS માટે એડમિશન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોતાની એક ની એક દીકરીને વડોદરામાં જ MBBS માં એડમિશન મળે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. દરમિયાન સત્ય આનંદકુમાર રઘુનો ભેટો ઠગ હર્ષિલ લીમ્બાચીયા સાથે થયો હતો. હર્ષિલ પોતે યુનિવર્સિટીનો નેતા અને સેનેટ મેમ્બર હોવાની ઓળખ આપી ગોત્રી GMERS કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી હતી. ઠગની વાતોમાં આવીને સત્ય આનંદકુમાર રઘુએ તેને વિવિધ પ્રકારે રૂ. 25 લાખ ચૂકવ્યા હતા. ક્યારેક મેનેજમેન્ટ ક્વોટા તો ક્યારેક NRI ક્વોટામાં એડમિશન અપાવવાનું કહીને પૈસા પડાવવામાં આવ્યા હતા.
દરમિયાન હર્ષિલે બોગસ એડમિશન મળ્યા વગર બોગસ પ્રોવિઝનલ એડમિશન લેટર , ID કાર્ડ, સહિતના કાગળિયા પણ આપ્યા હતા. અને રૂ. 2 લાખથી વધુના ખર્ચે સ્ટડી મટીરીયલ પણ ખરીદાવડાવ્યું હતું. આખરે 27/10/17 ના રોજ હર્ષિલ લીમ્બાચીયા એ એડમિશન હેડ સાથે મળવા માટે બોલાવ્યા હતા. પરિવારજનો દરવાજા પર રાહ જોઈને બેઠા પણ હર્ષિલ આવ્યો ન હતો. આખરે પરિવારને છેતરાયા હોવાનો અંદાજ આવી ગયો હતો. સમગ્ર મામલે હર્ષિલ લિંબાચિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.