સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઇ
તાજેતરમાં આર્મીની ત્રણેય વિંગની સિક્યુરીટીની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું
જેમાં પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ હાજરી આપી હતી
પાયલટે સમયસુચકતા વાપરીને સાવચેતી પુર્વક નડીયાદથી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવ્યું
હેલિકોપ્ટરમાં હાઇડ્રોલીક સિસ્ટમમાં ખામી સર્જાઇ હોવાનું સિગ્નલ જોવા મળ્યુ હતું
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આર્મીની ત્રણ વિંગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની ત્રિદીવસીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ભાગ લઇને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાઇ હતી. જેને લઇને નડિયાદ નજીક રસ્તાની બાજુમાં આવેલી ખાલી જગ્યાએ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઇ જવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઇ હતી. તાજેતરમાં આર્મીની ત્રણ પાંખને સાંકળતી ત્રિદીવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંરક્ષણ મંત્રી અને પ્રધાનમંત્રી પણ હાજર રહ્યા હતા. શનિવારે કોન્ફરન્સનું સમાપન હતું. કાર્યક્રમમાં હાજરી બાદ પરત ફરતી વેળાએ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ ખાતે જવા નિકળ્યા હતા.
https://youtu.be/WNGbtDWMFTc
દરમિયાન નડીયાદ પાસે હેલીકોપ્ટરના પાયલટને રેડ સિગ્નલ જોવા મળ્યું હતું. જેમાં યાંત્રિક ખામી સર્જાઇ હોવાનો સંકેત હતો. પાયલટે સમયસુચકતા વાપરીને સાવચેતી પુર્વક નડીયાદથી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઇમરન્સી લેન્ડીંગ કરાવ્યું હતું. અને અંદર બેઠેલા આર્મીના ઉચ્ચ અધિકારીઓને બહાર કાઢ્યા હતા. રસ્તાની બાજુમાં આર્મીના હેલીકોપ્ટરનું લેન્ડીંગ થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. અને એક તબક્કે હેલીકોપ્ટરની આસપાસ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાની સાથે મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આર્મી ઓફિસરને અમદાવાદ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી.
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આર્મીના હેલીકોપ્ટરમાં ઓફિસર AOC એરમાર્શલ ગોટીયા અને સિમલા ટ્રેનિંગ સેન્ટરમાં લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા હાજર હતા. બંનેને સલામત રીતે હેલીકોપ્ટરમાંથી બહાર લાવી સર્કીટ હાઉસ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી આર્મીના ઉચ્ચ અધિકારીઓને માર્ગ મારફતે અમદાવાદ મોકલવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઇ
તાજેતરમાં આર્મીની ત્રણેય વિંગની સિક્યુરીટીની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું
જેમાં પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ હાજરી આપી હતી
હેલિકોપ્ટરમાં હાઇડ્રોલીક સિસ્ટમમાં ખામી સર્જાઇ હોવાનું સિગ્નલ જોવા મળ્યુ હતું
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આર્મીની ત્રણ વિંગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની ત્રિદીવસીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ભાગ લઇને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાઇ હતી. જેને લઇને નડિયાદ નજીક રસ્તાની બાજુમાં આવેલી ખાલી જગ્યાએ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઇ જવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઇ હતી. તાજેતરમાં આર્મીની ત્રણ પાંખને સાંકળતી ત્રિદીવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંરક્ષણ મંત્રી અને પ્રધાનમંત્રી પણ હાજર રહ્યા હતા. શનિવારે કોન્ફરન્સનું સમાપન હતું. કાર્યક્રમમાં હાજરી બાદ પરત ફરતી વેળાએ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ ખાતે જવા નિકળ્યા હતા.
દરમિયાન નડીયાદ પાસે હેલીકોપ્ટરના પાયલટને રેડ સિગ્નલ જોવા મળ્યું હતું. જેમાં યાંત્રિક ખામી સર્જાઇ હોવાનો સંકેત હતો. પાયલટે સમયસુચકતા વાપરીને સાવચેતી પુર્વક નડીયાદથી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઇમરન્સી લેન્ડીંગ કરાવ્યું હતું. અને અંદર બેઠેલા આર્મીના ઉચ્ચ અધિકારીઓને બહાર કાઢ્યા હતા. રસ્તાની બાજુમાં આર્મીના હેલીકોપ્ટરનું લેન્ડીંગ થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. અને એક તબક્કે હેલીકોપ્ટરની આસપાસ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાની સાથે મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આર્મી ઓફિસરને અમદાવાદ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી.
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આર્મીના હેલીકોપ્ટરમાં ઓફિસર AOC એરમાર્શલ ગોટીયા અને સિમલા ટ્રેનિંગ સેન્ટરમાં લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા હાજર હતા. બંનેને સલામત રીતે હેલીકોપ્ટરમાંથી બહાર લાવી સર્કીટ હાઉસ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી આર્મીના ઉચ્ચ અધિકારીઓને માર્ગ મારફતે અમદાવાદ મોકલવામાં આવશે.