ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય નારાજગી પ્રકટ કરી
કેવડીયામાં ભરતી માટે ઇન્ટરવ્યુ રાખવા અને સ્થાનિકોને રોજગારી આપવા સરદાર સરોવરના MD ને MP નો પત્ર
વડોદરા ખાતે રવિવારે હોળીએ CIEL HR Services એ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટ માટે મૌખિક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] WatchGujarat. કેવડિયા SOU ખાતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટના મૌખિક ઇન્ટરવ્યૂ રવિવારે હોળીના તહેવારે જ વડોદરાની એજન્સી દ્વારા આયોજીત કરાયા હતા. આટલું ઓછું હોય તેમ આ ઇન્ટરવ્યૂ નું સ્થળ વડોદરા રખાતા સાંસદ MP મનસુખ વસાવા એ આવી રીતિ નીતિ સામે ભારો ભાર નારાજગી વ્યક્ત કરી છે.[/caption]
https://twitter.com/MansukhbhaiMp/status/1376100236607639558?s=20
ભરૂચ- નર્મદા લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવા એ કેવડિયા, નર્મદા અને ભરૂચ જિલ્લાના સ્થનિકોને અન્યાય સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તાંને પત્ર લખ્યો છે.
MP એ MD ને પત્રમાં જણાવ્યું છે કે, SSNL સરદાર સરોવર લીમીટેડમાં તમારા અંડરમાં CIEL HR SERVICES PVT . LTD . કંપની વડોદરાને કરાર આધારીત ટુરીસ્ટ ગાઈડ ( અંગ્રેજી ) , ટુરીસ્ટ ગાઈડ ( ગુજરાતી / હિન્દી ) તથા સુપરવાઈઝર , ટુરીઝયમ આસીટન્ટની ભરતી પ્રકિયા માટે મૌખિક ઈન્ટરવ્યુ હોળીના તહેવારે રાખવામાં આવ્યા હતા. તે ખરેખર યોગ્ય નથી.
સરદાર સરોવર નર્મદા કેવડીયા SOU ખાતે ઘણા બઘા મોટા અભ્યાસ વર્ગો , તાલીમ શિબીર , સાંસ્કૃતીક કાર્યક્રમો મોટી સંખ્યામાં થાય છે , તો ભરતીની પ્રકિયા કેવડીયા ખાતે કેમ ના થઈ શકે ? આ ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય તેવી બાબત મારી સમક્ષ આવી છે . જેનાથી હું ખુબ જ નારાજગી પ્રકટ કરૂ છું.
ખરેખર આ ભરતી પ્રક્રિયા વડોદરાની જગ્યાએ કેવડીયા SOU ખાતે કરવી જોઈએ અને હોળી જેવા પવિત્ર તહેવારના દિવસે આ ભરતી પ્રક્રિયા નહી હોવી જોઈએ. ભરતી પ્રક્રિયામાં પ્રથમ પસંદગી કેવડીયાના આસપાસ વિસ્તારના ગામોના સ્થાનિક યુવકોની હોવી જોઈએ અને બીજી પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનીટી સાથે જોડાયેલા નર્મદા જિલ્લા , ભરૂચ જિલ્લા તથા વડોદરા જિલ્લાના યુવાનોની હોવી જોઈએ , તેવી સ્થાનીક લોકોની તથા મારી માંગણી અને લાગણી છે.
ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય નારાજગી પ્રકટ કરી
કેવડીયામાં ભરતી માટે ઇન્ટરવ્યુ રાખવા અને સ્થાનિકોને રોજગારી આપવા સરદાર સરોવરના MD ને MP નો પત્ર
વડોદરા ખાતે રવિવારે હોળીએ CIEL HR Services એ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટ માટે મૌખિક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] WatchGujarat. કેવડિયા SOU ખાતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટના મૌખિક ઇન્ટરવ્યૂ રવિવારે હોળીના તહેવારે જ વડોદરાની એજન્સી દ્વારા આયોજીત કરાયા હતા. આટલું ઓછું હોય તેમ આ ઇન્ટરવ્યૂ નું સ્થળ વડોદરા રખાતા સાંસદ MP મનસુખ વસાવા એ આવી રીતિ નીતિ સામે ભારો ભાર નારાજગી વ્યક્ત કરી છે.[/caption]
https://twitter.com/MansukhbhaiMp/status/1376100236607639558?s=20
ભરૂચ- નર્મદા લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવા એ કેવડિયા, નર્મદા અને ભરૂચ જિલ્લાના સ્થનિકોને અન્યાય સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તાંને પત્ર લખ્યો છે.
MP એ MD ને પત્રમાં જણાવ્યું છે કે, SSNL સરદાર સરોવર લીમીટેડમાં તમારા અંડરમાં CIEL HR SERVICES PVT . LTD . કંપની વડોદરાને કરાર આધારીત ટુરીસ્ટ ગાઈડ ( અંગ્રેજી ) , ટુરીસ્ટ ગાઈડ ( ગુજરાતી / હિન્દી ) તથા સુપરવાઈઝર , ટુરીઝયમ આસીટન્ટની ભરતી પ્રકિયા માટે મૌખિક ઈન્ટરવ્યુ હોળીના તહેવારે રાખવામાં આવ્યા હતા. તે ખરેખર યોગ્ય નથી.
સરદાર સરોવર નર્મદા કેવડીયા SOU ખાતે ઘણા બઘા મોટા અભ્યાસ વર્ગો , તાલીમ શિબીર , સાંસ્કૃતીક કાર્યક્રમો મોટી સંખ્યામાં થાય છે , તો ભરતીની પ્રકિયા કેવડીયા ખાતે કેમ ના થઈ શકે ? આ ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય તેવી બાબત મારી સમક્ષ આવી છે . જેનાથી હું ખુબ જ નારાજગી પ્રકટ કરૂ છું.
ખરેખર આ ભરતી પ્રક્રિયા વડોદરાની જગ્યાએ કેવડીયા SOU ખાતે કરવી જોઈએ અને હોળી જેવા પવિત્ર તહેવારના દિવસે આ ભરતી પ્રક્રિયા નહી હોવી જોઈએ. ભરતી પ્રક્રિયામાં પ્રથમ પસંદગી કેવડીયાના આસપાસ વિસ્તારના ગામોના સ્થાનિક યુવકોની હોવી જોઈએ અને બીજી પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનીટી સાથે જોડાયેલા નર્મદા જિલ્લા , ભરૂચ જિલ્લા તથા વડોદરા જિલ્લાના યુવાનોની હોવી જોઈએ , તેવી સ્થાનીક લોકોની તથા મારી માંગણી અને લાગણી છે.