એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓની ઘટના અવાર – નવાર સામે આવતી હોય છે
પરિવારજનોને મહિલાનો મૃતદેહ આપતા પહેલા RT-PCR રિપોર્ટ કઢાવ્યાની જાણ કરાઇ
છેલ્લા દોઢ કલાકથી એસએસજી હોસ્પિટલની લોબીમાં મૃતદેહ ખુલ્લામાં મુકી રાખવાને કારણે લોકોમાં રોષ
4 - 30 કલાકે જ્યારે લખાઇ રહ્યું છે ત્યારે પણ મહિલાનો મૃતદેહ યથા સ્થિતી છે
Watchgujarat. SSG હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાને પડતી અનેક મુશ્કેલીઓની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. રવિવારે મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી એસ.એસ.જી હોસ્પિટલમાં મૃતદેહ પરિવારજનોને નહિ આપતા મુશ્કેલી સર્જાઇ હતી. બપોરે 1 – 30 વાગ્યાથી મહિલાના મૃતદેહને હોસ્પિટલની લોબીમાં ખુલ્લો મુકી રાખવામાં આવ્યો હતો. જેને લઇને પરિવારજનો તથા આસપાસના લોકોમા રોષની લાગણી વ્યાપી છે.
https://youtu.be/IhcfkHTTXSQ
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યગુજરાતમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવેલી છે. હાલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રવિવારે એસએસજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલા સવિતાબેન રાઠોડ (ઉં-56) ના દેહને એસએસજી હોસ્પિટલના કોવિડ કેરની લોબીમાં મુકી રાખવામાં આવ્યો હતો.
પરિવારજનોએ દેહની માંગણી તંત્ર દ્વારા મહિલાનો RT-PCR રિપોર્ટ કઢાવવા મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. અને ત્યાર બાદ જ પરિવારજનોને મૃતદેહો આપવાનું જણાવ્યું હતું. જો કે, પ્રક્રિયા પુર્ણ કરવાનું કહ્યા બાદ પણ મહિલાના મૃતદેહને હોસ્પિટલની લોબીમાં ખુલ્લા મોંઢે મુકી રાખવામાં આવ્યો છે.
હોસ્પિટલની લોબીમાં દિવસ દરમિયાન સેંકડોથી વધુ લોકો તથા દર્દીઓ પસાર થાય છે. તેવા સમયે મૃતહેદને લોબીના ખુણામાં મુકી રાખવો તંત્રની બેદરકારી છતી કરે છે. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ અંગે કોઇ નિર્ણય નહિ લેવાના કારણે લોકો દ્વારા સામે રોષની લાગણી જોવા મળી હતી. RT-PCR રિપોર્ટ આવતા પહેલા મહિલાના દેહને ખુલ્લામાં રાખી મુકતા જો તેઓ કોરોના પોઝીટીવ હોય તો અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે. તેવા સમયે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી દેહને કોવિડ ગાઇડલાઇન પ્રમાણે રાખવો હિતાવહ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાને પડતી મુશ્કેલીઓ લઇ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે, અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ પણ દર્દીના પરિવારજનોને પડતી મુશ્કેલીઓનો સીલસીલો યથાવત છે.
એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓની ઘટના અવાર – નવાર સામે આવતી હોય છે
પરિવારજનોને મહિલાનો મૃતદેહ આપતા પહેલા RT-PCR રિપોર્ટ કઢાવ્યાની જાણ કરાઇ
4 - 30 કલાકે જ્યારે લખાઇ રહ્યું છે ત્યારે પણ મહિલાનો મૃતદેહ યથા સ્થિતી છે
Watchgujarat. SSG હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાને પડતી અનેક મુશ્કેલીઓની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. રવિવારે મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી એસ.એસ.જી હોસ્પિટલમાં મૃતદેહ પરિવારજનોને નહિ આપતા મુશ્કેલી સર્જાઇ હતી. બપોરે 1 – 30 વાગ્યાથી મહિલાના મૃતદેહને હોસ્પિટલની લોબીમાં ખુલ્લો મુકી રાખવામાં આવ્યો હતો. જેને લઇને પરિવારજનો તથા આસપાસના લોકોમા રોષની લાગણી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યગુજરાતમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવેલી છે. હાલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રવિવારે એસએસજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલા સવિતાબેન રાઠોડ (ઉં-56) ના દેહને એસએસજી હોસ્પિટલના કોવિડ કેરની લોબીમાં મુકી રાખવામાં આવ્યો હતો.
પરિવારજનોએ દેહની માંગણી તંત્ર દ્વારા મહિલાનો RT-PCR રિપોર્ટ કઢાવવા મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. અને ત્યાર બાદ જ પરિવારજનોને મૃતદેહો આપવાનું જણાવ્યું હતું. જો કે, પ્રક્રિયા પુર્ણ કરવાનું કહ્યા બાદ પણ મહિલાના મૃતદેહને હોસ્પિટલની લોબીમાં ખુલ્લા મોંઢે મુકી રાખવામાં આવ્યો છે.
હોસ્પિટલની લોબીમાં દિવસ દરમિયાન સેંકડોથી વધુ લોકો તથા દર્દીઓ પસાર થાય છે. તેવા સમયે મૃતહેદને લોબીના ખુણામાં મુકી રાખવો તંત્રની બેદરકારી છતી કરે છે. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ અંગે કોઇ નિર્ણય નહિ લેવાના કારણે લોકો દ્વારા સામે રોષની લાગણી જોવા મળી હતી. RT-PCR રિપોર્ટ આવતા પહેલા મહિલાના દેહને ખુલ્લામાં રાખી મુકતા જો તેઓ કોરોના પોઝીટીવ હોય તો અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે. તેવા સમયે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી દેહને કોવિડ ગાઇડલાઇન પ્રમાણે રાખવો હિતાવહ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાને પડતી મુશ્કેલીઓ લઇ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે, અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ પણ દર્દીના પરિવારજનોને પડતી મુશ્કેલીઓનો સીલસીલો યથાવત છે.