ગોત્રી મેડીકલ કોલેજના કોવિડ કેરમાં ફરજ દરમિયાન ફીઝીયોથેરાપીની વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ થયા બાદ તેની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરાઇ
એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત, સાથી મિત્રોની મૃતકના પરિવારને આર્થિક વળતર આપવા માંગ
કોવિડ કેરમાં ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને ડ્યુટી દરમિયાન દર્દીના ડાયપર બદલવા, પાણી પીવડાવવા સહિતના કામ સોંપવામાં આવતા હોવાનું જણાવ્યું
અન્ય મેડીકલ સ્ટાફની જેમ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને પણ ગણતરીમાં લેવા માંગ, સ્ટાયફંડ, કામના કલાકો સહિતના મામલે કાર્યવાહી કરવા રજુઆત
WatchGujarat. ગોત્રી મેડીકલ કોલોજના કોવિડ કેરમાં સેવારત ફીઝીયોથેરાપીની વિદ્યાર્થીની નેહલ રાઠવા કોરોના પોઝીટીવ થતા તેની SSG હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન ગત રોજ તેનું મૃત્યું થયું હતું. વિદ્યાર્થીનીએ પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવ્યા છતાં પણ તેણીને કોવિડ ડ્યુટીમાં જોડાવવા માટે ફરજ પાડવામાં આવી હોવાનું તેના સાથી મિત્રએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીને વળતર આપવા સહિતના મુદ્દે આજે ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની ઓફિસની બહાર ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
એસએસજી હોસ્પિટલમાં ફીઝીયોથેરાપીના એક્સટર્નલ વિદ્યાર્થીઓ સહિતના તમામને કોવિડ ડ્યુટીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવતી વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થતા તેની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગતરોજ યુવતિનું મોત નિપજ્યું હતું. જેને લઇને ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ આજે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર એકત્ર થયા હતા. અને બહેરા સત્તાધીશો સમક્ષ પોતાની રજુઆત પહોંચાડવા માટે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધમાં સામેલ વિદ્યાર્થીની વૈશાલી ભટ્ટે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી સાથી નેહલની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેને કોવિડ ડ્યુટી પર જવાની ફરજ પાડવામાં આવી હતી. કોરોનાના દર્દીઓના ડાયપર બદલવા, તેમને પાણી પીડવાવવા સહિતની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે. અમારી સાથીને કોરોના પોઝીટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગતરોજ તેનું મોત નિપજ્યું હતું. તેની સેવા બદલ તેના પરિવારને કોઇ વળતર આપવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે, કોરોના વોરીયર તરીકેની ભુમિકા ભજવતી અમારી સાથીને વળતર મળે. તેની સાથે અમને સ્ટાયફંડ પણ આપવામાં આવે. સરકાર દ્વારા સ્ટાયફંડ મુદ્દે મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તેનું અમલીકરણ થતું નથી.
વધુમાં વૈશાલી ભટ્ટે સત્તાધીશો સમક્ષ મુકવામાં આવતી માંગ અંગે જણાવ્યું હતું કે, અન્ય ડોક્ટર્સની જેમ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને પણ નોંધ લેવામાં આવે અને તેમને પણ આર્થિક ચુકવણી કરવામાં આવે. અન્ય ડોક્ટર્સને સોંપવામાં આવતા કલાકોની જેમ જ અમને પણ કામ સોંપવામાં આવે. અન્ય તબિબોને 7 દિવસની ડ્યુટી સોંપવામાં આવે છે, જ્યારે અમારે 15 દિવસની ડ્યુટી હોય છે. કોઇ પણ વિદ્યાર્થીની તબિયત ખરાબ હોય તો તેની મેડિકલ તપાસ કરાવવી જોઇએ. જો અમારી માંગ નહિ સંતોષાય તો અમારા દ્વારા વિરોધ ચાલુ રહેશે. બહેરા તંત્ર સમક્ષ પોતાની વાત રજુ કરવા માટે 50 થી વધુ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર એકત્ર થયા હતા. અને ભારે સુત્રોચ્ચાર કરીને હોસ્પિટલ પરિસર ગજવ્યું હતું.
ગોત્રી મેડીકલ કોલેજના કોવિડ કેરમાં ફરજ દરમિયાન ફીઝીયોથેરાપીની વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ થયા બાદ તેની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરાઇ
કોવિડ કેરમાં ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને ડ્યુટી દરમિયાન દર્દીના ડાયપર બદલવા, પાણી પીવડાવવા સહિતના કામ સોંપવામાં આવતા હોવાનું જણાવ્યું
અન્ય મેડીકલ સ્ટાફની જેમ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને પણ ગણતરીમાં લેવા માંગ, સ્ટાયફંડ, કામના કલાકો સહિતના મામલે કાર્યવાહી કરવા રજુઆત
WatchGujarat. ગોત્રી મેડીકલ કોલોજના કોવિડ કેરમાં સેવારત ફીઝીયોથેરાપીની વિદ્યાર્થીની નેહલ રાઠવા કોરોના પોઝીટીવ થતા તેની SSG હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન ગત રોજ તેનું મૃત્યું થયું હતું. વિદ્યાર્થીનીએ પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવ્યા છતાં પણ તેણીને કોવિડ ડ્યુટીમાં જોડાવવા માટે ફરજ પાડવામાં આવી હોવાનું તેના સાથી મિત્રએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીને વળતર આપવા સહિતના મુદ્દે આજે ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની ઓફિસની બહાર ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
એસએસજી હોસ્પિટલમાં ફીઝીયોથેરાપીના એક્સટર્નલ વિદ્યાર્થીઓ સહિતના તમામને કોવિડ ડ્યુટીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવતી વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થતા તેની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગતરોજ યુવતિનું મોત નિપજ્યું હતું. જેને લઇને ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ આજે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર એકત્ર થયા હતા. અને બહેરા સત્તાધીશો સમક્ષ પોતાની રજુઆત પહોંચાડવા માટે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધમાં સામેલ વિદ્યાર્થીની વૈશાલી ભટ્ટે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી સાથી નેહલની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેને કોવિડ ડ્યુટી પર જવાની ફરજ પાડવામાં આવી હતી. કોરોનાના દર્દીઓના ડાયપર બદલવા, તેમને પાણી પીડવાવવા સહિતની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે. અમારી સાથીને કોરોના પોઝીટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગતરોજ તેનું મોત નિપજ્યું હતું. તેની સેવા બદલ તેના પરિવારને કોઇ વળતર આપવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે, કોરોના વોરીયર તરીકેની ભુમિકા ભજવતી અમારી સાથીને વળતર મળે. તેની સાથે અમને સ્ટાયફંડ પણ આપવામાં આવે. સરકાર દ્વારા સ્ટાયફંડ મુદ્દે મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તેનું અમલીકરણ થતું નથી.
વધુમાં વૈશાલી ભટ્ટે સત્તાધીશો સમક્ષ મુકવામાં આવતી માંગ અંગે જણાવ્યું હતું કે, અન્ય ડોક્ટર્સની જેમ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને પણ નોંધ લેવામાં આવે અને તેમને પણ આર્થિક ચુકવણી કરવામાં આવે. અન્ય ડોક્ટર્સને સોંપવામાં આવતા કલાકોની જેમ જ અમને પણ કામ સોંપવામાં આવે. અન્ય તબિબોને 7 દિવસની ડ્યુટી સોંપવામાં આવે છે, જ્યારે અમારે 15 દિવસની ડ્યુટી હોય છે. કોઇ પણ વિદ્યાર્થીની તબિયત ખરાબ હોય તો તેની મેડિકલ તપાસ કરાવવી જોઇએ. જો અમારી માંગ નહિ સંતોષાય તો અમારા દ્વારા વિરોધ ચાલુ રહેશે. બહેરા તંત્ર સમક્ષ પોતાની વાત રજુ કરવા માટે 50 થી વધુ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર એકત્ર થયા હતા. અને ભારે સુત્રોચ્ચાર કરીને હોસ્પિટલ પરિસર ગજવ્યું હતું.