માસ્ક સિવાય અન્ય દંડ નહીં વસૂલવાનો મુખ્યમંત્રીએ આદેશ નહીં કર્યો હોવા છતાં મંત્રી યોગેશ પટેલે જાહેરાત કરી દીધી હતી.
ઓક્સિજનની અછત મામલે મંત્રી યોગેશ પટેલનો ચંચૂપાત મુખ્યમંત્રીએ ફોન પર જ સાંભળી લીધો.
WatchGujarat. ‘શિવજી કી સવારી’ ફેઈમ રાજ્યમંત્રી યોગેશ પટેલે તાજેતરમાં આર.ટી.ઓ. દંડ મુદ્દે મુખ્યમંત્રીની જાહેરાત થતાં પહેલાં જ ઢોલ પીટી દીધો હતો. બાદમાં સરકારે ફેરવી તોળવું પડ્યું હતું. આ મામલે દાઝેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજનના અભાવ અંગે રજૂઆત કરવા માટે રાજ્યમંત્રીને સમય આપવાને બદલે, ફોન જ પર વાત પતાવી દીધી હોવાનું જાણવા મળે છે.
ગત 22 એપ્રિલે મુખ્યમંત્રીને મળીને મંત્રી યોગેશ પટેલે કોરોના કાળ અન્ય મહત્વની અનેક બાબતોને બાજુએ મુકી, વાહનો ડિટેઈન કરાતાં હોવાના મામલે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ મંત્રીએ જાહેરાત કરી દીધી હતી કે, મંત્રી યોગેશ પટેલની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક નિર્ણય લીધો છે કે, પોલીસ દ્વારા માત્ર માસ્કનો દંડ ઉઘરાવાશે, ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ પોલીસ કોઈ દંડ વસૂલશે નહીં. જોકે, બાદમાં રૂપાણી સરકારને સ્પષ્ટતા કરવી પડી હતી.
વડોદરા શહેરમાં ઓક્સિજનની અછતને મુદ્દે તા. 24 એપ્રિલના રોજ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રી દ્વારા રાજ્ય સરકારને સારું લાગે – રૂપાણી સરકારની નારાજગી દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં હાલ ખાનગી – સરકારી હોસ્પિટલમાં સેંકડો લોકોના મૃત્યુ નિપજી રહ્યાં છે ત્યારે મંત્રી યોગેશ પટેલે ‘ઓક્સિજનના અભાવે કોઈ મર્યું હોય તો બતાવો’ એવી તર્કવિહીન દલીલ કરી હતી.
શહેરના કોરોના દર્દીઓની સારવાર માટે રોજ 170 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત સામે રાજ્ય સરકાર દ્વારા 160 મેટ્રીક ટન જથ્થો આપવામાં આવી રહ્યો છે. ત્યારે 10 મેટ્રીક ટનની ઘટ પૂરી કરવા માટે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે, એમ પત્રકાર પરિષદમાં મંત્રીએ જણાવ્યું હતું.
શહેરની ઓક્સિજનની પરિસ્થિતિ અંગે રજૂઆત કરવા માટે આજે મુખ્યમંત્રીની મુલાકાત થઈ કે કેમ? એ પ્રશ્નના જવાબમાં મંત્રી યોગેશ પટેલે Watch Gujaratને જણાવ્યું હતું કે, ફોન પર વાત થઈ ગઈ છે. મળવાનું કેન્સલ રહ્યું છે. જ્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રીએ મંત્રીને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એકંદરે, આરટીઓના દંડના મામલે દાઝેલાં મુખ્યમંત્રી ઓક્સિજન મુદ્દે ચર્ચા કરવા મંત્રીને મળવા તૈયાર નથી. એમ સ્પષ્ટ થાય છે.
માસ્ક સિવાય અન્ય દંડ નહીં વસૂલવાનો મુખ્યમંત્રીએ આદેશ નહીં કર્યો હોવા છતાં મંત્રી યોગેશ પટેલે જાહેરાત કરી દીધી હતી.
ઓક્સિજનની અછત મામલે મંત્રી યોગેશ પટેલનો ચંચૂપાત મુખ્યમંત્રીએ ફોન પર જ સાંભળી લીધો.
WatchGujarat. ‘શિવજી કી સવારી’ ફેઈમ રાજ્યમંત્રી યોગેશ પટેલે તાજેતરમાં આર.ટી.ઓ. દંડ મુદ્દે મુખ્યમંત્રીની જાહેરાત થતાં પહેલાં જ ઢોલ પીટી દીધો હતો. બાદમાં સરકારે ફેરવી તોળવું પડ્યું હતું. આ મામલે દાઝેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજનના અભાવ અંગે રજૂઆત કરવા માટે રાજ્યમંત્રીને સમય આપવાને બદલે, ફોન જ પર વાત પતાવી દીધી હોવાનું જાણવા મળે છે.
ગત 22 એપ્રિલે મુખ્યમંત્રીને મળીને મંત્રી યોગેશ પટેલે કોરોના કાળ અન્ય મહત્વની અનેક બાબતોને બાજુએ મુકી, વાહનો ડિટેઈન કરાતાં હોવાના મામલે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ મંત્રીએ જાહેરાત કરી દીધી હતી કે, મંત્રી યોગેશ પટેલની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક નિર્ણય લીધો છે કે, પોલીસ દ્વારા માત્ર માસ્કનો દંડ ઉઘરાવાશે, ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ પોલીસ કોઈ દંડ વસૂલશે નહીં. જોકે, બાદમાં રૂપાણી સરકારને સ્પષ્ટતા કરવી પડી હતી.
વડોદરા શહેરમાં ઓક્સિજનની અછતને મુદ્દે તા. 24 એપ્રિલના રોજ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રી દ્વારા રાજ્ય સરકારને સારું લાગે – રૂપાણી સરકારની નારાજગી દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં હાલ ખાનગી – સરકારી હોસ્પિટલમાં સેંકડો લોકોના મૃત્યુ નિપજી રહ્યાં છે ત્યારે મંત્રી યોગેશ પટેલે ‘ઓક્સિજનના અભાવે કોઈ મર્યું હોય તો બતાવો’ એવી તર્કવિહીન દલીલ કરી હતી.
શહેરના કોરોના દર્દીઓની સારવાર માટે રોજ 170 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત સામે રાજ્ય સરકાર દ્વારા 160 મેટ્રીક ટન જથ્થો આપવામાં આવી રહ્યો છે. ત્યારે 10 મેટ્રીક ટનની ઘટ પૂરી કરવા માટે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે, એમ પત્રકાર પરિષદમાં મંત્રીએ જણાવ્યું હતું.
શહેરની ઓક્સિજનની પરિસ્થિતિ અંગે રજૂઆત કરવા માટે આજે મુખ્યમંત્રીની મુલાકાત થઈ કે કેમ? એ પ્રશ્નના જવાબમાં મંત્રી યોગેશ પટેલે Watch Gujaratને જણાવ્યું હતું કે, ફોન પર વાત થઈ ગઈ છે. મળવાનું કેન્સલ રહ્યું છે. જ્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રીએ મંત્રીને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એકંદરે, આરટીઓના દંડના મામલે દાઝેલાં મુખ્યમંત્રી ઓક્સિજન મુદ્દે ચર્ચા કરવા મંત્રીને મળવા તૈયાર નથી. એમ સ્પષ્ટ થાય છે.