BJP ના કાર્યાલયમાં ઉદ્ઘાટન વેળાએ MLA નું વિવાદાસ્પદ નિવેદન
મીડિયા કર્મીને ધમકી આપવાનો મામલો હજી શાંત નથી થયો ત્યાંતો નવો વિવાદ સામે આવ્યો
કલેક્ટર તો શું કોઇપણ કર્મચારી માટે આવું બોલવું એ યોગ્ય નથી - ડેપ્યુટી સીએમ નીતિન પટેલ
WatchGujarat. વડોદરા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત વાણીવિલાસ કરી પોલીસ અને કલેકટરને હું ખિસ્સામાં રાખું છું મારો કોઈ કોલર પકડે તેવી તાકાત નથી તેમ કહ્યું હતું. તાજેતરમાં મીડિયા કર્મીને ધમકી આપવાના કેસમાં પોલીસે મધુ શ્રીવાસ્તવ સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. આ જ પોલીસ પર ધારાસભ્ય તાડૂકયા હતા અને BJP ના કાર્યાલયમાં ઉદ્ઘાટન વેળાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી અને ભાજપ તરફથી ટિકિટ ન મળતા તેમના પુત્રે અપક્ષ દાવેદારી કરી હતી. જોકે આ ફોર્મ રદ થતાં તેમના ટેકેદારોએ ચૂંટણી અધિકારીની ચેમ્બર પાસે તોડફોડ કરી હતી.
https://youtu.be/z9sld0vtM-8
આ વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં બુધવારે સયાજીપુરા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બેફામ નિવેદન આપ્યું હતું કે પોલીસ અને કલેક્ટરને કિસ્સામાં લઈને ફરું છું અને કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. પોલીસ અને કલેક્ટર આ બધા મારા ખિસ્સામાં છે.મધુ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું હતું કે હું તમને એમ કહેવા આવ્યો છું કે દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ ને આઝાદ તરીકે ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતીથી જીતાડી લાવીએ.
આવું બોલવું યોગ્ય નથી : નીતિન પટેલ
શહેરમાં જાહેરસભામાં ભાગ લેવા આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મધુ શ્રીવાસ્તવના વિવાદી નિવેદન અંગે કહ્યું હતું કે કલેક્ટર તો શું કોઇપણ કર્મચારી માટે આવું બોલવું એ યોગ્ય નથી. કોઇને ધમકી આપવાનો અધિકાર નથી, કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરવુ જોઇએ. કોંગ્રેસના ભરતસિંહે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ અને વડાપ્રધાન મોદીની માનસિકતામાં ઝાઝો ફેર નથી.
BJP ના કાર્યાલયમાં ઉદ્ઘાટન વેળાએ MLA નું વિવાદાસ્પદ નિવેદન
મીડિયા કર્મીને ધમકી આપવાનો મામલો હજી શાંત નથી થયો ત્યાંતો નવો વિવાદ સામે આવ્યો
કલેક્ટર તો શું કોઇપણ કર્મચારી માટે આવું બોલવું એ યોગ્ય નથી - ડેપ્યુટી સીએમ નીતિન પટેલ
WatchGujarat. વડોદરા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત વાણીવિલાસ કરી પોલીસ અને કલેકટરને હું ખિસ્સામાં રાખું છું મારો કોઈ કોલર પકડે તેવી તાકાત નથી તેમ કહ્યું હતું. તાજેતરમાં મીડિયા કર્મીને ધમકી આપવાના કેસમાં પોલીસે મધુ શ્રીવાસ્તવ સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. આ જ પોલીસ પર ધારાસભ્ય તાડૂકયા હતા અને BJP ના કાર્યાલયમાં ઉદ્ઘાટન વેળાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી અને ભાજપ તરફથી ટિકિટ ન મળતા તેમના પુત્રે અપક્ષ દાવેદારી કરી હતી. જોકે આ ફોર્મ રદ થતાં તેમના ટેકેદારોએ ચૂંટણી અધિકારીની ચેમ્બર પાસે તોડફોડ કરી હતી.
આ વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં બુધવારે સયાજીપુરા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બેફામ નિવેદન આપ્યું હતું કે પોલીસ અને કલેક્ટરને કિસ્સામાં લઈને ફરું છું અને કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. પોલીસ અને કલેક્ટર આ બધા મારા ખિસ્સામાં છે.મધુ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું હતું કે હું તમને એમ કહેવા આવ્યો છું કે દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ ને આઝાદ તરીકે ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતીથી જીતાડી લાવીએ.
આવું બોલવું યોગ્ય નથી : નીતિન પટેલ
શહેરમાં જાહેરસભામાં ભાગ લેવા આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મધુ શ્રીવાસ્તવના વિવાદી નિવેદન અંગે કહ્યું હતું કે કલેક્ટર તો શું કોઇપણ કર્મચારી માટે આવું બોલવું એ યોગ્ય નથી. કોઇને ધમકી આપવાનો અધિકાર નથી, કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરવુ જોઇએ. કોંગ્રેસના ભરતસિંહે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ અને વડાપ્રધાન મોદીની માનસિકતામાં ઝાઝો ફેર નથી.