રાવપુરા વિસ્તારમાં જુનુ માર્કેટ આવેલું હોવાથી લોકોની ચહલ પહલ વધારે રહે છે
ટ્રાફીકના નિયમોને કારણે ગ્રાહકો તુટી જવાના ભયને કારણે વેપારીઓમાં રોષ
અમે ગ્રાહકોને વાહન પીળા પટ્ટાની અંદર જ મુકવા માટેનો આગ્રહ રાખીએ છીએ - વેપારી અગ્રણી ભરતભાઇ રાણા
WatchGujarat. કોરોના કાળમાંથી માંડ બહાર આવી રહેલા વેપાર ધંધા કરતા રાવપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડકાઇ પુર્વક પાલન કરવામાં આવતું હતું. જેને લઇને વેપારીઓમાં રોષ જોવા મળતો હતો. પોલીસ દ્વારા સતત કડાકઇભર્યા વર્તનને કારણે આજે જ્યુબિલી બાગથી લઇને રાવપુરા ટેકરા સુધીના દુકાનદારોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા મામલે કાર્યવાહી કરવાની બાંહેધારી અપાતા ચાર કલાકમાં જ બજારો પુન: ખુલી ગયા હતા.
કોરોના કાળ બાદ ધીરે ધીરે બજારોની રોનક પાછી આવી રહી છે. બજારમાં ગ્રાહકોની ચહલ-પહલ વધતા વેપાર ધંધામાં ધીરે ધીરે પ્રાણ ફુંકાઇ રહ્યા છે. તેવા સમયે શહેરના જ્યુબિલી બાગથી લઇને રાવપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઇ પુર્વક નિયમોનું પાલન કરાવાતા વેપરીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. જેને લઇને શનિવારે વેપારીઓ દ્વારા બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
વેપારી અગ્રણી ભરતભાઇ રાણાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાવપુરા વિસ્તારમાં ઓડ- ઇવન પાર્કિંગ છે. જેનું અમે પાલન કરીએ છીએ. અને અમે ગ્રાહકોને વાહન પીળા પટ્ટાની અંદર જ મુકવા માટેનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ પીળા પટ્ટા આગળ ખાડો આવે અથવા તો જગ્યાના અભાવે જો વાહન પટ્ટા પર આવી જાય તો પોલીસ દ્વારા સીધો જ દંડ ફટકારી દેવામાં આવે છે. જેને કારણે ગ્રાહકો જતા રહે છે. કેટલીક વખત તો ખરીદેલો માલ પણ કેન્સલ કરીને ટ્રાફીક પોલીસનો દંડ ભરીને ગ્રાહકો ગુસ્સામાં જતા રહે છે. આ સમસ્યા અહિંયા દુકાનો ધરાવતા તમામ લોકોને નડી રહી છે.
ભરતભાઇ રાણાએ ઉમેર્યું હતું કે, અમે ટ્રાફીક પોલીસને સહકાર આપવા માંગીએ છીએ. અને સમસ્યાનું વ્યવહારૂ નિરાકરણ ઇચ્છીએ છીએ. જેના ભાગ રૂપે આજે સવારથી જ દુકાનો બંધ કરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ અમારી વાત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી. બાંહેધારી આપતા જ અમે દુકાનો ખોલી નાંખી હતી. ચાર કલાક જેટલી દુકાન બંધ રાખવી પડી હતી.
રાવપુરા વિસ્તારમાં જુનુ માર્કેટ આવેલું હોવાથી લોકોની ચહલ પહલ વધારે રહે છે
ટ્રાફીકના નિયમોને કારણે ગ્રાહકો તુટી જવાના ભયને કારણે વેપારીઓમાં રોષ
WatchGujarat. કોરોના કાળમાંથી માંડ બહાર આવી રહેલા વેપાર ધંધા કરતા રાવપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડકાઇ પુર્વક પાલન કરવામાં આવતું હતું. જેને લઇને વેપારીઓમાં રોષ જોવા મળતો હતો. પોલીસ દ્વારા સતત કડાકઇભર્યા વર્તનને કારણે આજે જ્યુબિલી બાગથી લઇને રાવપુરા ટેકરા સુધીના દુકાનદારોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા મામલે કાર્યવાહી કરવાની બાંહેધારી અપાતા ચાર કલાકમાં જ બજારો પુન: ખુલી ગયા હતા.
કોરોના કાળ બાદ ધીરે ધીરે બજારોની રોનક પાછી આવી રહી છે. બજારમાં ગ્રાહકોની ચહલ-પહલ વધતા વેપાર ધંધામાં ધીરે ધીરે પ્રાણ ફુંકાઇ રહ્યા છે. તેવા સમયે શહેરના જ્યુબિલી બાગથી લઇને રાવપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઇ પુર્વક નિયમોનું પાલન કરાવાતા વેપરીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. જેને લઇને શનિવારે વેપારીઓ દ્વારા બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
વેપારી અગ્રણી ભરતભાઇ રાણાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાવપુરા વિસ્તારમાં ઓડ- ઇવન પાર્કિંગ છે. જેનું અમે પાલન કરીએ છીએ. અને અમે ગ્રાહકોને વાહન પીળા પટ્ટાની અંદર જ મુકવા માટેનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ પીળા પટ્ટા આગળ ખાડો આવે અથવા તો જગ્યાના અભાવે જો વાહન પટ્ટા પર આવી જાય તો પોલીસ દ્વારા સીધો જ દંડ ફટકારી દેવામાં આવે છે. જેને કારણે ગ્રાહકો જતા રહે છે. કેટલીક વખત તો ખરીદેલો માલ પણ કેન્સલ કરીને ટ્રાફીક પોલીસનો દંડ ભરીને ગ્રાહકો ગુસ્સામાં જતા રહે છે. આ સમસ્યા અહિંયા દુકાનો ધરાવતા તમામ લોકોને નડી રહી છે.
ભરતભાઇ રાણાએ ઉમેર્યું હતું કે, અમે ટ્રાફીક પોલીસને સહકાર આપવા માંગીએ છીએ. અને સમસ્યાનું વ્યવહારૂ નિરાકરણ ઇચ્છીએ છીએ. જેના ભાગ રૂપે આજે સવારથી જ દુકાનો બંધ કરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ અમારી વાત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી. બાંહેધારી આપતા જ અમે દુકાનો ખોલી નાંખી હતી. ચાર કલાક જેટલી દુકાન બંધ રાખવી પડી હતી.