રાજ્યમાં પ્રથમ વખત ઘુંટણ અને થાપાના પ્રત્યારોપણ વડોદરામાં ટ્રાઇકલર હોસ્પિટલમાં કરવામાં આવ્યું
રોબોટનો ઉપયોગ કરવાને કારણે વ્યક્તિગત સાંધાના માપ પ્રમાણે જ આખુ મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. - ડો. વૈભવ અતેરકરે
રોબોટિક સર્જરીને કારણે ઓપરેશનનો ટાઇમ ઘટે છે. અને દર્દીના ઓપરેશન બાદની રીકવરી અત્યંત ઝડપી બની રહે છે
WatchGujarat. દિવસેને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ તબિબિ સર્જરીમાં વધી રહ્યો છે. તેના પરિણામ સ્વરૂપે હવે ઓછા સમયમાં સિમીત સંસાધનોની મદદથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. વડોદરામાં આવેલી ટ્રાઇકલર હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમ વખત અત્યાધુનિક રોબોટ અને 3 – ડી ટેકનોલોજીની મદદથી ઘુંટણ તથા થાપાનું પ્રત્યારોપણ શક્ય થયું છે. એટલું જ નહિ પરંતુ અકસ્મામાં ઘુંટણ તથા ખભાના સ્નાયુઓમાં થયેલી ઇજાઓને પણ રોબોટની મદદથી અત્યંત ચોક્સાઇ પુર્વક સારવાર થઇ શકશે.
રાજ્યમાં પ્રથમ વખત ઘુંટણ અને થાપાના પ્રત્યારોપણને લઇ ડો. વૈભવ અતેરકરે જણાવ્યું હતું કે, હાડકા સંબંધિત સારવારમાં મિકેનિકલ એન્જિનીયરીંગને લગતા અનેક પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં તકનીકી રીતે કામ કરવું પડે છે. વડોદરામાં પ્રથમ વખત ટ્રાયકલર હોસ્પિટલમાં રોબોટની મદદથી ઘુંટણ, થાપા તથા સ્નાયુંની સર્જરી કરવામાં આવી છે. અગાઉ કરવામાં આવતી સર્જરીની સરખામણીએ રોબોટ આધારિત સર્જરીના અનેક ફાયદાઓ છે. રોબોટનો ઉપયોગ કરવાને કારણે વ્યક્તિગત સાંધાના માપ પ્રમાણે જ આખુ મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. જેને લઇને પ્રત્યારોપણ બાદ વ્યક્તિની રિકવરી ખુબ જ ઝડપથી થાય છે.
રોબોટીક સર્જરીનામાં અગાઉની સરખામણીએ શરીર પર 40 ટકા ઓછા ટાંકા લેવા પડે
ડો. વૈભવ અતેરકરે જણાવ્યું હતું કે, રોબોટીક સર્જરીમાં સર્જરીના અન્ય વિકલ્પ કરતા 40 ટકા ઓછા ટાંકા લેવામાં આવે છે. અને દુખાવો 70 ટકા ઓછો થાય છે. આ અત્યંત કારગર ટેકનોલોજીની મદદથી થતા સર્જરીનો લાભ દર્દીઓ રાજ્યમાં એક માત્ર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ટ્રાઇકલર હોસ્પિટલમાં થઇ શકે છે.
રોબોટીક સર્જરીના ચાર કલાક બાદ દર્દીને ચલાવવામાં આવે છે
ડો. વૈભવ અતેરકરે ઉમેર્યું હતું કે, ઓપરેશન બાદ દર્દીને ચાર જ કલાકમાં ચલાવવામાં આવે છે. જેને લઇને રોબોટ આધારિત સર્જરીની સફળતાનો ખ્યાલ આવી શકે છે. રોબોટિક સર્જરીને કારણે ઓપરેશનનો ટાઇમ ઘટે છે. અને દર્દીના ઓપરેશન બાદની રીકવરી અત્યંત ઝડપી બની રહે છે. આમ, હવે ઘુંટણ અથવા થાપાનું પ્રતયારોપણ અથવાતો સારવાર માટે રોબોટિક સર્જરીનો વિકલ્પ જ પસંદ કરવો જોઇએ.
રાજ્યમાં પ્રથમ વખત ઘુંટણ અને થાપાના પ્રત્યારોપણ વડોદરામાં ટ્રાઇકલર હોસ્પિટલમાં કરવામાં આવ્યું
રોબોટનો ઉપયોગ કરવાને કારણે વ્યક્તિગત સાંધાના માપ પ્રમાણે જ આખુ મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. - ડો. વૈભવ અતેરકરે
રોબોટિક સર્જરીને કારણે ઓપરેશનનો ટાઇમ ઘટે છે. અને દર્દીના ઓપરેશન બાદની રીકવરી અત્યંત ઝડપી બની રહે છે
WatchGujarat. દિવસેને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ તબિબિ સર્જરીમાં વધી રહ્યો છે. તેના પરિણામ સ્વરૂપે હવે ઓછા સમયમાં સિમીત સંસાધનોની મદદથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. વડોદરામાં આવેલી ટ્રાઇકલર હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમ વખત અત્યાધુનિક રોબોટ અને 3 – ડી ટેકનોલોજીની મદદથી ઘુંટણ તથા થાપાનું પ્રત્યારોપણ શક્ય થયું છે. એટલું જ નહિ પરંતુ અકસ્મામાં ઘુંટણ તથા ખભાના સ્નાયુઓમાં થયેલી ઇજાઓને પણ રોબોટની મદદથી અત્યંત ચોક્સાઇ પુર્વક સારવાર થઇ શકશે.
રાજ્યમાં પ્રથમ વખત ઘુંટણ અને થાપાના પ્રત્યારોપણને લઇ ડો. વૈભવ અતેરકરે જણાવ્યું હતું કે, હાડકા સંબંધિત સારવારમાં મિકેનિકલ એન્જિનીયરીંગને લગતા અનેક પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં તકનીકી રીતે કામ કરવું પડે છે. વડોદરામાં પ્રથમ વખત ટ્રાયકલર હોસ્પિટલમાં રોબોટની મદદથી ઘુંટણ, થાપા તથા સ્નાયુંની સર્જરી કરવામાં આવી છે. અગાઉ કરવામાં આવતી સર્જરીની સરખામણીએ રોબોટ આધારિત સર્જરીના અનેક ફાયદાઓ છે. રોબોટનો ઉપયોગ કરવાને કારણે વ્યક્તિગત સાંધાના માપ પ્રમાણે જ આખુ મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. જેને લઇને પ્રત્યારોપણ બાદ વ્યક્તિની રિકવરી ખુબ જ ઝડપથી થાય છે.
રોબોટીક સર્જરીનામાં અગાઉની સરખામણીએ શરીર પર 40 ટકા ઓછા ટાંકા લેવા પડે
ડો. વૈભવ અતેરકરે જણાવ્યું હતું કે, રોબોટીક સર્જરીમાં સર્જરીના અન્ય વિકલ્પ કરતા 40 ટકા ઓછા ટાંકા લેવામાં આવે છે. અને દુખાવો 70 ટકા ઓછો થાય છે. આ અત્યંત કારગર ટેકનોલોજીની મદદથી થતા સર્જરીનો લાભ દર્દીઓ રાજ્યમાં એક માત્ર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ટ્રાઇકલર હોસ્પિટલમાં થઇ શકે છે.
રોબોટીક સર્જરીના ચાર કલાક બાદ દર્દીને ચલાવવામાં આવે છે
ડો. વૈભવ અતેરકરે ઉમેર્યું હતું કે, ઓપરેશન બાદ દર્દીને ચાર જ કલાકમાં ચલાવવામાં આવે છે. જેને લઇને રોબોટ આધારિત સર્જરીની સફળતાનો ખ્યાલ આવી શકે છે. રોબોટિક સર્જરીને કારણે ઓપરેશનનો ટાઇમ ઘટે છે. અને દર્દીના ઓપરેશન બાદની રીકવરી અત્યંત ઝડપી બની રહે છે. આમ, હવે ઘુંટણ અથવા થાપાનું પ્રતયારોપણ અથવાતો સારવાર માટે રોબોટિક સર્જરીનો વિકલ્પ જ પસંદ કરવો જોઇએ.