માંજલપુર સ્થિત શ્રેયસ સ્કૂલ નજીક, કલાલી ગામ અને સયાજીગંજ પરશૂરામ ભટ્ટા પાસેથી ત્રણ મગરોને રેસ્ક્યૂ કરાયા હતા.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા મગરોને રેસ્ક્યૂ કરી વન વિભાગને સલામત સોંપી દેવામાં આવ્યાં
[caption id="attachment_1262" align="aligncenter" width="1280"] કલાલ ગામ પાસેના હોસ્પિટલ નજીકના રોડ પરથી રેસ્ક્યૂ કરાયેલો મગર[/caption]
વડોદરા. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અસંખ્યા મગરો વસવાટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ શહેર- જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીની સપાટી વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે વરસાદે વિરામ લેતા નદીમાંથી પાણી ઓસરતા હવે શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં મગરો દેખાવાના શરૂ થયા છે. ત્યારે ગત રાત્રીના સમયે શહેરના જુદા જુદા ત્રણ સ્થળેથી મગરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતા.
[caption id="attachment_1263" align="aligncenter" width="1040"] માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસેની વિશ્વજ્યોતિ સોસા. નજીકથી રેસ્ક્યૂ કરાયેલો મગર[/caption]
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી વધતા એક તબક્કે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના પરિણામે નદી કાંઠા અને નજીકના વિસ્તારોમાં પાણી પહોંચતા મગરો બહાર આવી પહોંચ્યાં હતા. જોકે હવે પાણી ઓસરયા છે, ત્યારે મગરો નદી તરફ પાછા વળતા રસ્તા પર જોવા મળી રહ્યાં છે. તેવામાં ગત મોડી રાત્રે શહેરના કલાલી ગામ નજીકના એક ખાનગી હોસ્પિટલ પાસેથી 5 ફુટના મગરનુ રેસ્કયૂ કરવામાં આવ્યું હતુ.
[caption id="attachment_1264" align="alignnone" width="873"] સયાજીગંજ પરશુરામ ભટ્ટા પાસેના રણજીતનગરમાંથી રેસ્કયૂ કરાયેલુ મગરનુ બચ્ચુ[/caption]
બીજી તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટા રણજીત નગર પાસેથી 2 ફુટ અને માંજલપુર સ્થિત શ્રેયસ સ્કૂલ નજીકની વિશ્વજ્યોત સોસાયટી પાસેથી 8 ફુટના એક મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આમ એક જ રાતમાં શહેરના ત્રણ જુદા જુદા સ્થળેથી ત્રણ મગરોને વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યાં હતા.
માંજલપુર સ્થિત શ્રેયસ સ્કૂલ નજીક, કલાલી ગામ અને સયાજીગંજ પરશૂરામ ભટ્ટા પાસેથી ત્રણ મગરોને રેસ્ક્યૂ કરાયા હતા.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા મગરોને રેસ્ક્યૂ કરી વન વિભાગને સલામત સોંપી દેવામાં આવ્યાં
[caption id="attachment_1262" align="aligncenter" width="1280"] કલાલ ગામ પાસેના હોસ્પિટલ નજીકના રોડ પરથી રેસ્ક્યૂ કરાયેલો મગર[/caption]
વડોદરા. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અસંખ્યા મગરો વસવાટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ શહેર- જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીની સપાટી વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે વરસાદે વિરામ લેતા નદીમાંથી પાણી ઓસરતા હવે શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં મગરો દેખાવાના શરૂ થયા છે. ત્યારે ગત રાત્રીના સમયે શહેરના જુદા જુદા ત્રણ સ્થળેથી મગરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતા.
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી વધતા એક તબક્કે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના પરિણામે નદી કાંઠા અને નજીકના વિસ્તારોમાં પાણી પહોંચતા મગરો બહાર આવી પહોંચ્યાં હતા. જોકે હવે પાણી ઓસરયા છે, ત્યારે મગરો નદી તરફ પાછા વળતા રસ્તા પર જોવા મળી રહ્યાં છે. તેવામાં ગત મોડી રાત્રે શહેરના કલાલી ગામ નજીકના એક ખાનગી હોસ્પિટલ પાસેથી 5 ફુટના મગરનુ રેસ્કયૂ કરવામાં આવ્યું હતુ.
બીજી તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટા રણજીત નગર પાસેથી 2 ફુટ અને માંજલપુર સ્થિત શ્રેયસ સ્કૂલ નજીકની વિશ્વજ્યોત સોસાયટી પાસેથી 8 ફુટના એક મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આમ એક જ રાતમાં શહેરના ત્રણ જુદા જુદા સ્થળેથી ત્રણ મગરોને વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યાં હતા.