ફ્રુટ માર્કેટના વેપારીઓ અને પથારાવાળા વચ્ચે ચાલતી મગજમારીનો વિવાદ વકર્યો
તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં દુકાનો સામેથી દબાણ દૂર ન થતાં સિંધી વેપારીઓનું આંદોલન
ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા દાદાગીરી કરી હોવાનો વેપારીઓનો આક્ષેપ
ખંડેરાવ માર્કેટના સિંધી વેપારીઓએ આજે બંધ પાડી અને હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો
WatchGujarat. શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા ફ્રૂટ માર્કેટના વેપારીઓ અને પથારાવાળા વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે ફ્રૂટ માર્કેટના વેપારીઓ દ્વારા આજે આંદોલન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરી રહેલા વેપારીઓએ માંગ કરી છે કે, તેમની દુકાન બહાર રહેલા પથારાવાળાના દબાણો દૂર કરવામાં આવે. અને ખંડેરાવ ફ્રુટ માર્કેટના વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલા અન્યાયને દૂર કરવામાં આવે.
વડોદરા શહેરના ખંડેરાવ ફ્રૂટ માર્કેટ પાસે આવેલા દબાણો હટાવવાનો વિવાદ વકર્યો છે. હવે વેપારીઓ પણ આક્રમક મૂડમાં આવી ગયા હોય તેમ સ્થાનિક કોર્પોરેટરની દાદાગીરી વિરુદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ખંડેરાવ ફ્રૂટ માર્કેટના સિંધી વેપારીઓ દ્વારા આજે દુકાનો બંધ રાખીને આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને અમને ન્યાય આપોના નારા સાંથે વિરોધ દાખવ્યો હતો. મહત્વનું છે કે ખંડેરાવ માર્કેટના વેપારીઓના સમર્થનમાં મંગળ બજાર, સીટાડેલ, મુનશીના ખાંચા, પદ્માવતીના સિંધી વેપારીઓએ પણ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી હતી.
શું છે સમગ્ર વિવાદ
આ અંગે વાત કરતાં વેપારી દીપક આહૂજાએ જણાવ્યું હતું કે, ખંડેરાવ ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં દૂકાનોની બહાર વેપારીઓના પાર્કિંગ માટે આપેલી જગ્યામાં પથારાવાળાઓએ કબજો કર્યો છે. જેના કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓ દ્વારા વડોદરા મનપાને અનેકવાર આ દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ઉપરાંત મનપાના કર્મચારીઓએ અહિંયા આવીને ફ્રૂટ માર્કેટના વેપારીઓને જ દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં જોગવાઈ કરતાં પણ વધારે દંડ વેપારીઓ પાસેથી મનપાએ વસૂલ્યો હોવાના દાવો દીપક આહૂજાએ કર્યો હતો.
નોંધનીય છે કે આ મુદ્દે ભાજપના ત્રણ કોર્પોરેટર સાથે પણ વેપારીઓનો સંઘર્ષ થતા વાત વણસી હતી. ખંડેરાવ ફ્રૂટ માર્કેટના વેપારીઓએ આ અંગે કહ્યું કે, તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે સ્થાનિક બિજેપી કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા પણ અહિંયા આવીને વેપારીઓ સાથએ દાદાગીરી કરી હતી. એટલું જ નહીં દુકાનમાં રહેલો ફ્રૂટ પણ તેઓ લઈ ગયા હતા. આ અંગે જ્યારે ભાજપ શહેર પ્રમુખ વિજય શાહને રજૂઆત કરાઈ ત્યારે તેઓએ પણ કોઈ નક્કર પગલા ન લેતા અમારો આંદોલન કરવાની ફરજ પડી છે. જો હજુ પણ અમારી માંગ સ્વિકારવામાં નહીં આવે તો આંદોલન ચાલું રાખીશું તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે ફ્રુટ માર્કેટ પાસેના દબાણો મુદ્દે ભાજપના કોર્પોરેટર અને શહેર ભાજપ મંત્રી પણ આમને સામને આવી ગયા હતા. જે બાદ આ વિવાદને લઈ વેપારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી ભાજપા કોર્પોરેટરોની દાદાગીરી સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સવારના 9 થી 3 વાગ્યા સુધી ખંડેરાવ માર્કેટનું ફ્રુટ બજાર બંધ રાખવામાં આવ્યું હતું. તેમ જ માર્કેટના મોટા વેપારીઓના સમર્થનમાં અન્ય વેપારીઓ પણ સામે આવ્યા હતા. સાથે પોતાના વેપાર ધંધાને બંધ રાખી મેયર સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ફ્રુટ માર્કેટના વેપારીઓ અને પથારાવાળા વચ્ચે ચાલતી મગજમારીનો વિવાદ વકર્યો
તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં દુકાનો સામેથી દબાણ દૂર ન થતાં સિંધી વેપારીઓનું આંદોલન
ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા દાદાગીરી કરી હોવાનો વેપારીઓનો આક્ષેપ
WatchGujarat. શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા ફ્રૂટ માર્કેટના વેપારીઓ અને પથારાવાળા વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે ફ્રૂટ માર્કેટના વેપારીઓ દ્વારા આજે આંદોલન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરી રહેલા વેપારીઓએ માંગ કરી છે કે, તેમની દુકાન બહાર રહેલા પથારાવાળાના દબાણો દૂર કરવામાં આવે. અને ખંડેરાવ ફ્રુટ માર્કેટના વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલા અન્યાયને દૂર કરવામાં આવે.
વડોદરા શહેરના ખંડેરાવ ફ્રૂટ માર્કેટ પાસે આવેલા દબાણો હટાવવાનો વિવાદ વકર્યો છે. હવે વેપારીઓ પણ આક્રમક મૂડમાં આવી ગયા હોય તેમ સ્થાનિક કોર્પોરેટરની દાદાગીરી વિરુદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ખંડેરાવ ફ્રૂટ માર્કેટના સિંધી વેપારીઓ દ્વારા આજે દુકાનો બંધ રાખીને આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને અમને ન્યાય આપોના નારા સાંથે વિરોધ દાખવ્યો હતો. મહત્વનું છે કે ખંડેરાવ માર્કેટના વેપારીઓના સમર્થનમાં મંગળ બજાર, સીટાડેલ, મુનશીના ખાંચા, પદ્માવતીના સિંધી વેપારીઓએ પણ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી હતી.
શું છે સમગ્ર વિવાદ
આ અંગે વાત કરતાં વેપારી દીપક આહૂજાએ જણાવ્યું હતું કે, ખંડેરાવ ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં દૂકાનોની બહાર વેપારીઓના પાર્કિંગ માટે આપેલી જગ્યામાં પથારાવાળાઓએ કબજો કર્યો છે. જેના કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓ દ્વારા વડોદરા મનપાને અનેકવાર આ દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ઉપરાંત મનપાના કર્મચારીઓએ અહિંયા આવીને ફ્રૂટ માર્કેટના વેપારીઓને જ દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં જોગવાઈ કરતાં પણ વધારે દંડ વેપારીઓ પાસેથી મનપાએ વસૂલ્યો હોવાના દાવો દીપક આહૂજાએ કર્યો હતો.
નોંધનીય છે કે આ મુદ્દે ભાજપના ત્રણ કોર્પોરેટર સાથે પણ વેપારીઓનો સંઘર્ષ થતા વાત વણસી હતી. ખંડેરાવ ફ્રૂટ માર્કેટના વેપારીઓએ આ અંગે કહ્યું કે, તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે સ્થાનિક બિજેપી કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા પણ અહિંયા આવીને વેપારીઓ સાથએ દાદાગીરી કરી હતી. એટલું જ નહીં દુકાનમાં રહેલો ફ્રૂટ પણ તેઓ લઈ ગયા હતા. આ અંગે જ્યારે ભાજપ શહેર પ્રમુખ વિજય શાહને રજૂઆત કરાઈ ત્યારે તેઓએ પણ કોઈ નક્કર પગલા ન લેતા અમારો આંદોલન કરવાની ફરજ પડી છે. જો હજુ પણ અમારી માંગ સ્વિકારવામાં નહીં આવે તો આંદોલન ચાલું રાખીશું તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે ફ્રુટ માર્કેટ પાસેના દબાણો મુદ્દે ભાજપના કોર્પોરેટર અને શહેર ભાજપ મંત્રી પણ આમને સામને આવી ગયા હતા. જે બાદ આ વિવાદને લઈ વેપારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી ભાજપા કોર્પોરેટરોની દાદાગીરી સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સવારના 9 થી 3 વાગ્યા સુધી ખંડેરાવ માર્કેટનું ફ્રુટ બજાર બંધ રાખવામાં આવ્યું હતું. તેમ જ માર્કેટના મોટા વેપારીઓના સમર્થનમાં અન્ય વેપારીઓ પણ સામે આવ્યા હતા. સાથે પોતાના વેપાર ધંધાને બંધ રાખી મેયર સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.