24 કલાકમાં શહેર – જિલ્લાના બે કેદીઓ નાસી જવાની ઘટના સામે આવતા કેદીઓ પર મુકવામાં આવેલા પોલીસના પહેરાની કામગીરી પર સવાલો ઉઠ્યા
ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મે ના રોજ સારવાર માટે દાખલ કરાયો
સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મે ના રોજ બપોરના સમયે મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થતા મચી દોડધામ
ગત રોજ પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેરમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો
બંને કિસ્સાઓમાં ફરાર કેદીઓની અત્યાર સુધી કોઇ સગડ મળી નથી
WatchGujarat. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલ ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી કુદરતી હાજતે જવાના બહાને હથકડી ખોલાવી જાપ્તાની પોલીસને ધક્કો મારીને ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને પકડવા માટે દોડાદોડ કરી હતી. પરંતુ ફરાર આરોપીની કોઇ સગડ મળી ન હતી. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેરમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જેને શોધવાની કામગીરી ચાલુ છે ત્યાં તો બીજો આરોપી ફરાર થઇ જવાની ઘટના સામે આવતા કેદીઓ પર રાખવામાં આવતા પોલીસ પહેરાની કામગીરી પર સવારો ઉઠ્યા છે.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મે ના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કાચા કામનો આરોપી સાથે ગોધરા પોલીસ હેડ ક્વાટર્રના પોલીસ જવાનો જાપ્તામાં ફરજ બજાવી રહ્યા હતા. સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મે ના રોજ બપોરના સમયે જાપ્તાના પોલીસ કર્મીને કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મીઓએ તેની હથકડી ખોલી લઇ જઇ રહ્યા હતા દરમિયાન તેણે ધક્કો મારીને કેદી નાસી છુટ્યો હતો. કેદીની સગડ મેળવવા માટે પોલીસ કર્મીઓએ આખી હોસ્પિટલ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. કેદી હોસ્પિટલના દિવાલ કુદીને ભાગી ગયો હોવાનું અનુમાન છે.
તા.24 મેના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવાના બહાને જાપ્તાની પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ પણ કરી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો.
દરમિયાન જાપ્તાની પોલીસે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે ફરાર આરોપી જયંતિ નાયક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે કારેલીબાગ પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, આરોપી મળી આવ્યો ન હતો. તે સાથે પંચમહાલ પોલીસે પણ હત્યાના કાચા કામના આરોપી જયંતિ નાયકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.
નોંધનીય છે કે, સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે આરોપી 48 કલાક પછી પણ પકડાયો નથી. ત્યાં ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી જયંતિ નાયક વડોદરા મેન્ટલ હોસ્પિટલમાંથી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જવાની બીજી ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી મુકી છે.
24 કલાકમાં શહેર – જિલ્લાના બે કેદીઓ નાસી જવાની ઘટના સામે આવતા કેદીઓ પર મુકવામાં આવેલા પોલીસના પહેરાની કામગીરી પર સવાલો ઉઠ્યા
ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મે ના રોજ સારવાર માટે દાખલ કરાયો
સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મે ના રોજ બપોરના સમયે મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થતા મચી દોડધામ
ગત રોજ પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેરમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો
બંને કિસ્સાઓમાં ફરાર કેદીઓની અત્યાર સુધી કોઇ સગડ મળી નથી
WatchGujarat. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલ ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી કુદરતી હાજતે જવાના બહાને હથકડી ખોલાવી જાપ્તાની પોલીસને ધક્કો મારીને ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને પકડવા માટે દોડાદોડ કરી હતી. પરંતુ ફરાર આરોપીની કોઇ સગડ મળી ન હતી. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેરમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જેને શોધવાની કામગીરી ચાલુ છે ત્યાં તો બીજો આરોપી ફરાર થઇ જવાની ઘટના સામે આવતા કેદીઓ પર રાખવામાં આવતા પોલીસ પહેરાની કામગીરી પર સવારો ઉઠ્યા છે.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મે ના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કાચા કામનો આરોપી સાથે ગોધરા પોલીસ હેડ ક્વાટર્રના પોલીસ જવાનો જાપ્તામાં ફરજ બજાવી રહ્યા હતા. સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મે ના રોજ બપોરના સમયે જાપ્તાના પોલીસ કર્મીને કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મીઓએ તેની હથકડી ખોલી લઇ જઇ રહ્યા હતા દરમિયાન તેણે ધક્કો મારીને કેદી નાસી છુટ્યો હતો. કેદીની સગડ મેળવવા માટે પોલીસ કર્મીઓએ આખી હોસ્પિટલ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. કેદી હોસ્પિટલના દિવાલ કુદીને ભાગી ગયો હોવાનું અનુમાન છે.
તા.24 મેના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવાના બહાને જાપ્તાની પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ પણ કરી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો.
દરમિયાન જાપ્તાની પોલીસે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે ફરાર આરોપી જયંતિ નાયક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે કારેલીબાગ પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, આરોપી મળી આવ્યો ન હતો. તે સાથે પંચમહાલ પોલીસે પણ હત્યાના કાચા કામના આરોપી જયંતિ નાયકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.
નોંધનીય છે કે, સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે આરોપી 48 કલાક પછી પણ પકડાયો નથી. ત્યાં ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી જયંતિ નાયક વડોદરા મેન્ટલ હોસ્પિટલમાંથી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જવાની બીજી ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી મુકી છે.