વડોદરા મહાનગર સેવાસદન પૂર્વ વિસ્તારને ચોખ્ખુ પીવાનું પાણી પુરું પાડવામાં હજી નિષ્ફળ.
વાઘોડીયા રોડ પરની પુષ્ટિદ્વાર સોસાયટીમાં રોજ સવારે કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે.
કાળા પાણી અંગે ટોલ ફ્રિ નંબર પર ફરિયાદ કરવામાં આવી, પરંતુ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી.
Watch Gujarat. શહેરના પૂર્વ વિસ્તારની એક સોસાયટીમાં છેલ્લાં 10 દિવસથી કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. કાળા પાણીથી હેરાન પરેશાન રહીશોએ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી છે પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. શક્ય છે કાળા પાણીની સમસ્યા દૂર કરનાર કર્મચારીઓ – અધિકારીઓ ચુંટણીમાં વ્યસ્ત રહ્યાં હશે. જોકે, હવે જ્યારે ચુંટણી પરિણામો આવી ગયા પછી નવરાં પડ્યાં હશે ત્યારે આશા રાખી શકાય કે, ટૂંક સમયમાં રહીશોને કાળા પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવે.
ગત વર્ષે કાળા દુર્ગંધ મારતાં પાણીની સમસ્યાએ પૂર્વ વિસ્તારનાં હજારો પ્રજાજનોને મહિનાઓ સુધી હેરાન પરેશાન કર્યા હતાં. મહિનાઓના લોહી ઉકાળા બાદ આખરે તત્કાલિક આઈફોનધારી મેયરે પૂર્વ વિસ્તારના રહીશોની કાળા પાણીની સમસ્યા દૂર કરી દેવામાં આવી છે એવી જાહેરાત કરી દીધી હતી. જોકે, કાળા પાણીની સમસ્યાનો સંપૂર્ણ નિકાલ થયો નથી તેનો પૂરાવો વાઘોડીયા રોડ વિસ્તારની પુષ્ટિદ્વાર સોસાયટીમાં મળી રહે છે.
[caption id="attachment_538327" align="aligncenter" width="640"] (VMC દ્વારા કરાયેલો રિપ્લાય)[/caption]
પુષ્ટિદ્વાર સોસાયટીના રહીશોએ WatchGujarat.com સાથે ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 10 દિવસથી અમારી સોસાયટીના તમામ ઘરોમાં કોર્પોરેશન દ્વારા અપાતું કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. રોજ સવારે પહેલાં કાળું દુર્ગંધ મારતું પાણી આવે છે, 25 – 30 મીનીટ બાદ થોડું સારું પાણી આવે છે. અને તેનાથી જ ચલાવવું પડી રહ્યું છે.
કાળા પાણી અંગે કોર્પોરેશનને ટોલ ફ્રી નંબર પર 5 – 6 રહીશોએ ફરિયાદ કરી છે. તમારી સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરાશે એવો જવાબ અને કમ્પ્લેઈન નંબરનો મેસેજ મળી જાય છે પરંતુ સમસ્યાનો નિકાલ કરાતો નથી.
https://youtu.be/3y4tdXUfvzs
વડોદરા મહાનગર સેવાસદન પૂર્વ વિસ્તારને ચોખ્ખુ પીવાનું પાણી પુરું પાડવામાં હજી નિષ્ફળ.
વાઘોડીયા રોડ પરની પુષ્ટિદ્વાર સોસાયટીમાં રોજ સવારે કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે.
કાળા પાણી અંગે ટોલ ફ્રિ નંબર પર ફરિયાદ કરવામાં આવી, પરંતુ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી.
Watch Gujarat.શહેરના પૂર્વ વિસ્તારની એક સોસાયટીમાં છેલ્લાં 10 દિવસથી કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. કાળા પાણીથી હેરાન પરેશાન રહીશોએ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી છે પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. શક્ય છે કાળા પાણીની સમસ્યા દૂર કરનાર કર્મચારીઓ – અધિકારીઓ ચુંટણીમાં વ્યસ્ત રહ્યાં હશે. જોકે, હવે જ્યારે ચુંટણી પરિણામો આવી ગયા પછી નવરાં પડ્યાં હશે ત્યારે આશા રાખી શકાય કે, ટૂંક સમયમાં રહીશોને કાળા પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવે.
ગત વર્ષે કાળા દુર્ગંધ મારતાં પાણીની સમસ્યાએ પૂર્વ વિસ્તારનાં હજારો પ્રજાજનોને મહિનાઓ સુધી હેરાન પરેશાન કર્યા હતાં. મહિનાઓના લોહી ઉકાળા બાદ આખરે તત્કાલિક આઈફોનધારી મેયરે પૂર્વ વિસ્તારના રહીશોની કાળા પાણીની સમસ્યા દૂર કરી દેવામાં આવી છે એવી જાહેરાત કરી દીધી હતી. જોકે, કાળા પાણીની સમસ્યાનો સંપૂર્ણ નિકાલ થયો નથી તેનો પૂરાવો વાઘોડીયા રોડ વિસ્તારની પુષ્ટિદ્વાર સોસાયટીમાં મળી રહે છે.
[caption id="attachment_538327" align="aligncenter" width="640"] (VMC દ્વારા કરાયેલો રિપ્લાય)[/caption]
પુષ્ટિદ્વાર સોસાયટીના રહીશોએ WatchGujarat.com સાથે ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 10 દિવસથી અમારી સોસાયટીના તમામ ઘરોમાં કોર્પોરેશન દ્વારા અપાતું કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. રોજ સવારે પહેલાં કાળું દુર્ગંધ મારતું પાણી આવે છે, 25 – 30 મીનીટ બાદ થોડું સારું પાણી આવે છે. અને તેનાથી જ ચલાવવું પડી રહ્યું છે.
કાળા પાણી અંગે કોર્પોરેશનને ટોલ ફ્રી નંબર પર 5 – 6 રહીશોએ ફરિયાદ કરી છે. તમારી સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરાશે એવો જવાબ અને કમ્પ્લેઈન નંબરનો મેસેજ મળી જાય છે પરંતુ સમસ્યાનો નિકાલ કરાતો નથી.