સામાન્ય સભા માટે પહેલાં તા. 11 માર્ચ નક્કી કરાઈ, પરંતુ મહાશિવરાત્રિ અને મંત્રી યોગેશ પટેલની શિવજી કી સવારી ધ્યાને આવતાં આગલો દિવસ જાહેર કરાયો.
10 માર્ચે સવારે ભાજપા કાર્યલય ખાતે કાઉન્સિલરોની બેઠકમાં મેયર સહિતના પદાધિકારીઓ નક્કી કરાશે.
Watch Gujarat. મહાશિવરાત્રિના આગલા દિવસે તા. 10 માર્ચના રોજ શહેરના નવાં મેયર સહિતના પદાધિકારીઓ અંગે જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે સાંજે પહેલાં નક્કી કરાયું હતું કે, પ્રથમ સામાન્ય સભા તા. 11/03/21ના રોજ સવારે 11 કલાકે સર સયાજીરાવ નગરગૃહ, અકોટા ખાતે મળશે. જોકે, 11 માર્ચે મહાશિવરાત્રિ તેમજ મંત્રી યોગેશ પટેલની શિવજી કી સવારી હોવાનું ધ્યાને આવતાં પ્રથમ સામાન્ય સભાની તારીખ અને સ્થળમાં ફેરફાર કરાયો હતો. જેને પગલે હવે વડોદરા મહાનગર સેવાસદનના નવ નિયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા તા. 10 માર્ચના રોજ સવારે 11 કલાકે મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે મળશે.
વડોદરા મહાનગર સેવાસદનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ મેયર પદે કોણ? આ પ્રશ્નની ચર્ચા શરૂ થઈ જવા પામી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલાં તર્ક વિતર્કનો તા. 10મી માર્ચે અંત આવશે.
10 માર્ચે સવારે મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે વિજેતા કાઉન્સિલરો સાથે પ્રમુખ સહિતના પદાધિકારીઓ બેઠક યોજશે. અને તેમાં ચર્ચા વિચારણા સહિતની પ્રક્રિયાને અંતે નવા મેયર સહિતના પદાધિકારીઓના નામ પર મહોર મારવામાં આવશે.
મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સામાન્ય સભાના પ્રારંભે નવા મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે.
સામાન્ય સભા માટે પહેલાં તા. 11 માર્ચ નક્કી કરાઈ, પરંતુ મહાશિવરાત્રિ અને મંત્રી યોગેશ પટેલની શિવજી કી સવારી ધ્યાને આવતાં આગલો દિવસ જાહેર કરાયો.
Watch Gujarat. મહાશિવરાત્રિના આગલા દિવસે તા. 10 માર્ચના રોજ શહેરના નવાં મેયર સહિતના પદાધિકારીઓ અંગે જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે સાંજે પહેલાં નક્કી કરાયું હતું કે, પ્રથમ સામાન્ય સભા તા. 11/03/21ના રોજ સવારે 11 કલાકે સર સયાજીરાવ નગરગૃહ, અકોટા ખાતે મળશે. જોકે, 11 માર્ચે મહાશિવરાત્રિ તેમજ મંત્રી યોગેશ પટેલની શિવજી કી સવારી હોવાનું ધ્યાને આવતાં પ્રથમ સામાન્ય સભાની તારીખ અને સ્થળમાં ફેરફાર કરાયો હતો. જેને પગલે હવે વડોદરા મહાનગર સેવાસદનના નવ નિયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા તા. 10 માર્ચના રોજ સવારે 11 કલાકે મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે મળશે.
વડોદરા મહાનગર સેવાસદનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ મેયર પદે કોણ? આ પ્રશ્નની ચર્ચા શરૂ થઈ જવા પામી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલાં તર્ક વિતર્કનો તા. 10મી માર્ચે અંત આવશે.
10 માર્ચે સવારે મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે વિજેતા કાઉન્સિલરો સાથે પ્રમુખ સહિતના પદાધિકારીઓ બેઠક યોજશે. અને તેમાં ચર્ચા વિચારણા સહિતની પ્રક્રિયાને અંતે નવા મેયર સહિતના પદાધિકારીઓના નામ પર મહોર મારવામાં આવશે.
મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સામાન્ય સભાના પ્રારંભે નવા મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે.