વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારામા ભુતનો રોલ કરી લોકોનુ મંનોરંજન કરતા શખ્સની ત્રણ ઈસમો મશ્કરી કરી રહ્યા હતા
શખ્સે ત્રણેય ઈસમોને મશ્કરી કરવાનુ ના પાડતા મામલો વણસ્યો હતો. ઉશ્કેરાયેલા ત્રણેય ઈસમોએ શખ્સને ખુબ માર માર્યો હતો
ઈજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવાયા હતો.
સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટશેનમાં ત્રણેય ઈસમો વિરુદ્ધ મારામારીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
WatchGujarat. નવરાત્રીના છેલ્લા નોરતે લોકોનુ મનોરંજન કરવા માટે એક શખ્સે ભુતનો વેશ ધારણ કર્યો હતો. દરમિયાન માતાજીની આરતી ચાલી રહીં હતી. તે દરમિયાન ભુતનો વેશ ધારણ કરી લોકોનુ મનોરંજન કરી રહેલી વ્યક્તિની ત્રણ યુવકોએ વાળ ખેંચી મશ્કરી કરી હતી. જોકે મશ્કરી કરવાની ના પાડતા ત્રણેય યુવકોએ ભેગા મળી તેને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બનાવને પગલે ઇજાગ્રસ્ત વ્યક્તિએ ફતેંગજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારના એકતાનગરમાં રહેતા સંજયભાઈ મોહનભાઈ પરમાર (ઉ.21વર્ષ) પલંબર હેલપરનુ કામ કરે છે. ગત તા. 14 ઓક્ટોબરના રોજ રાતે દસ વાગ્યાની આસપાસ એકતાનગર ખાતે આવેલી વણઝારી બાવા મંડળીમાં આરતી ચાલી રહી હતી. આ દરમિયાન સંજય પરમાર ભુતનો રોલ કરી લોકોનુ મંનોરંજન કરી રહ્યો હતો. તે વખતે ગરબાની બાજુમાં ઉભેલા સલમાન તથા આરીફ અને સીજ્જુ સંજયના વાળ ખેચી મશ્કરી કરી રહ્યા હતા. જેથી સંજ્યે મશ્કરી કરવાનું ના કહેતા તેઓએ વધુ મશ્કરી કરવાનું શરૂ કર્યું હતુ.
મશ્કરી કરી રહેલા ત્રણેય ઈસમોને સંજયે ના પાડતા. તેઓ એકદમથી ઉશેકાઈ ગયા હતા અને સંજયને ગડદાપાટુનો માર માર્યો હતો. જેના કારણે સંજય ઈજાગ્રસ્ત થઈ જતા સારવાર અર્થે તેને 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતો. સમગ્ર મામલે સંજયે ત્રણેય ઈસમો વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.
- વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારામા ભુતનો રોલ કરી લોકોનુ મંનોરંજન કરતા શખ્સની ત્રણ ઈસમો મશ્કરી કરી રહ્યા હતા
- શખ્સે ત્રણેય ઈસમોને મશ્કરી કરવાનુ ના પાડતા મામલો વણસ્યો હતો. ઉશ્કેરાયેલા ત્રણેય ઈસમોએ શખ્સને ખુબ માર માર્યો હતો
- ઈજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવાયા હતો.
- સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટશેનમાં ત્રણેય ઈસમો વિરુદ્ધ મારામારીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
WatchGujarat. નવરાત્રીના છેલ્લા નોરતે લોકોનુ મનોરંજન કરવા માટે એક શખ્સે ભુતનો વેશ ધારણ કર્યો હતો. દરમિયાન માતાજીની આરતી ચાલી રહીં હતી. તે દરમિયાન ભુતનો વેશ ધારણ કરી લોકોનુ મનોરંજન કરી રહેલી વ્યક્તિની ત્રણ યુવકોએ વાળ ખેંચી મશ્કરી કરી હતી. જોકે મશ્કરી કરવાની ના પાડતા ત્રણેય યુવકોએ ભેગા મળી તેને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બનાવને પગલે ઇજાગ્રસ્ત વ્યક્તિએ ફતેંગજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારના એકતાનગરમાં રહેતા સંજયભાઈ મોહનભાઈ પરમાર (ઉ.21વર્ષ) પલંબર હેલપરનુ કામ કરે છે. ગત તા. 14 ઓક્ટોબરના રોજ રાતે દસ વાગ્યાની આસપાસ એકતાનગર ખાતે આવેલી વણઝારી બાવા મંડળીમાં આરતી ચાલી રહી હતી. આ દરમિયાન સંજય પરમાર ભુતનો રોલ કરી લોકોનુ મંનોરંજન કરી રહ્યો હતો. તે વખતે ગરબાની બાજુમાં ઉભેલા સલમાન તથા આરીફ અને સીજ્જુ સંજયના વાળ ખેચી મશ્કરી કરી રહ્યા હતા. જેથી સંજ્યે મશ્કરી કરવાનું ના કહેતા તેઓએ વધુ મશ્કરી કરવાનું શરૂ કર્યું હતુ.
મશ્કરી કરી રહેલા ત્રણેય ઈસમોને સંજયે ના પાડતા. તેઓ એકદમથી ઉશેકાઈ ગયા હતા અને સંજયને ગડદાપાટુનો માર માર્યો હતો. જેના કારણે સંજય ઈજાગ્રસ્ત થઈ જતા સારવાર અર્થે તેને 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતો. સમગ્ર મામલે સંજયે ત્રણેય ઈસમો વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.