કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્યુ લાદી દીધો છે
કારેલીબાગમાં પીત્ઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ, પાર્લરમાં અંદરથી બહાર અને બહારથી અંદર લોકોની અવર જવર જોવા મળી
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે
WatchGujarat. રાજ્યમાં કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના કર્ફ્યુ અને આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકારના નિયમો છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પીત્ઝા પાર્લન બેરોકટોક ચાલું હતું. અને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. જાગૃત નાગરિકે કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
https://youtu.be/ri6aua8fNGU
રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્યુ લાદી દીધો છે. સરકારના પ્રયાસો છતાં કેટલીક જગ્યાઓ પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના કર્ફ્યુમાં પણ બિંદાસ્ત બનીને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જો કે, તેવા તત્વો સામે પાલિકા તથા પોલીસને જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા પગલા લેવામાં આવતા હોય છે.
હાલ રાજ્યમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કોરોના કર્ફ્યુ લાગુ છે. તેવા સમયે શહેરના કેટલીક રેસ્ટોરેન્ટ બેરોકટોક ચાલી રહી છે. બુધવારે કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ટ ટી સર્કલ પાસે આવેલી જાણીતા પીત્ઝા પાર્લર પર કોરોના કર્ફ્યુમાં પણ લોકો ઓર્ડરની ડીલીવરી લેવા માટે લાઇનમાં બહાર લાગ્યા હોવાનું જોવા મળ્યું હતું. પીત્ઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ હતું. પાર્લરમાં અંદરથી બહાર અને બહારથી અંદર જુજ લોકોની અવર જવર જોવા મળતી હતી. વાત જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેણે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. અને ગણતરીના સમયમાં પોલીસે ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મીની લોકડાઉન સામે અનેક વેપારીઓને રોષ છે. કેટલાક લોકો બેરોકટોક નિયમોનું ઉલ્લંઘન કરીને પણ કામ ઘંઘો કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા પણ ડરતા નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે. આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી થવી જોઇએ.
કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્યુ લાદી દીધો છે
કારેલીબાગમાં પીત્ઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ, પાર્લરમાં અંદરથી બહાર અને બહારથી અંદર લોકોની અવર જવર જોવા મળી
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે
WatchGujarat. રાજ્યમાં કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના કર્ફ્યુ અને આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકારના નિયમો છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પીત્ઝા પાર્લન બેરોકટોક ચાલું હતું. અને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. જાગૃત નાગરિકે કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્યુ લાદી દીધો છે. સરકારના પ્રયાસો છતાં કેટલીક જગ્યાઓ પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના કર્ફ્યુમાં પણ બિંદાસ્ત બનીને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જો કે, તેવા તત્વો સામે પાલિકા તથા પોલીસને જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા પગલા લેવામાં આવતા હોય છે.
હાલ રાજ્યમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કોરોના કર્ફ્યુ લાગુ છે. તેવા સમયે શહેરના કેટલીક રેસ્ટોરેન્ટ બેરોકટોક ચાલી રહી છે. બુધવારે કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ટ ટી સર્કલ પાસે આવેલી જાણીતા પીત્ઝા પાર્લર પર કોરોના કર્ફ્યુમાં પણ લોકો ઓર્ડરની ડીલીવરી લેવા માટે લાઇનમાં બહાર લાગ્યા હોવાનું જોવા મળ્યું હતું. પીત્ઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ હતું. પાર્લરમાં અંદરથી બહાર અને બહારથી અંદર જુજ લોકોની અવર જવર જોવા મળતી હતી. વાત જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેણે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. અને ગણતરીના સમયમાં પોલીસે ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મીની લોકડાઉન સામે અનેક વેપારીઓને રોષ છે. કેટલાક લોકો બેરોકટોક નિયમોનું ઉલ્લંઘન કરીને પણ કામ ઘંઘો કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા પણ ડરતા નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે. આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી થવી જોઇએ.