પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે ચાર્જ લેતી વખતે સિનિયર સિટીઝનની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો હતો.
પ્રતાપગંજ રહેતી માનસિક બિમારીથી પિડાતી 70 વર્ષિય વૃદ્ધા ઘરેથી નિકળી ગયા હતાં.
ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં છાણી ખાતેથી વૃદ્ધાને શોધી કાઢ્યા.
WatchGujarat. નવા પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે ચાર્જ લેતાં જ સિનિયર સિટીઝન્સની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો હતો. અને બે દિવસ બાદ જ આ વાતનો પુરાવો ક્રાઈમ બ્રાન્ચે પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. ઘરેથી નિકળી ગયેલી પ્રતાપગંજની માનસિક અસ્વસ્થ 70 વર્ષિય વૃદ્ધાને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી, પરિવારજનોને સુપરત કર્યા હતાં. જેને પગલે એમ કહી શકાય કે, આ પોલીસ કમિશનર રહેશે ત્યાં સુધી વડોદરામાં સિનિયર સિટીઝન ખોવાશે નહીં. સિનિયર સિટીઝન સુરક્ષા અનુભવશે. #CCTV
[caption id="attachment_198071" align="aligncenter" width="1366"] CCTV[/caption]
પ્રતાપગંજ વિસ્તારમાં રહેતાં 70 વર્ષિય બિન્દુબહેન ત્રિવેદી માનસિક બિમારીથી પીડાય છે. આજરોજ બિન્દુબહેન પરિવારજનોની જાણ બહાર ઘરેથી નિકળી ગયા હતાં. વૃદ્ધા કયાંક જતી રહી હોવાથી પરિવારજનો ચિંતાતુર બન્યા હતાં. અને આખરે પોલીસને જાણ કરી હતી.
પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ તથા એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજા તથા એ.સી.પી. ડી. એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. સોલંકી તથા આર. સી. કાનમીયાની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો વૃદ્ધાની શોધખોળમાં લાગી ગઈ હતી. ટીમોએ સીસીટીવી ફૂટેજો ખંખોળીને ગણતરીના કલાકોમાં માનસિક અસ્વસ્થ વૃદ્ધાને છાણી ખાતેથી શોધી કાઢ્યા હતાં. અને પરિવારજનોને સુપરત કરી હતી. જેને પગલે પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
https://youtu.be/BVnvYKY3cmQ
More #Vadodara #police #crime branch #shamsher singh #senior #citizen #cctv #Gujaratinews #Watchgujarat
પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે ચાર્જ લેતી વખતે સિનિયર સિટીઝનની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો હતો.
પ્રતાપગંજ રહેતી માનસિક બિમારીથી પિડાતી 70 વર્ષિય વૃદ્ધા ઘરેથી નિકળી ગયા હતાં.
ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં છાણી ખાતેથી વૃદ્ધાને શોધી કાઢ્યા.
WatchGujarat. નવા પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે ચાર્જ લેતાં જ સિનિયર સિટીઝન્સની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મત વ્યક્ત કર્યો હતો. અને બે દિવસ બાદ જ આ વાતનો પુરાવો ક્રાઈમ બ્રાન્ચે પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. ઘરેથી નિકળી ગયેલી પ્રતાપગંજની માનસિક અસ્વસ્થ 70 વર્ષિય વૃદ્ધાને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી, પરિવારજનોને સુપરત કર્યા હતાં. જેને પગલે એમ કહી શકાય કે, આ પોલીસ કમિશનર રહેશે ત્યાં સુધી વડોદરામાં સિનિયર સિટીઝન ખોવાશે નહીં. સિનિયર સિટીઝન સુરક્ષા અનુભવશે. #CCTV
પ્રતાપગંજ વિસ્તારમાં રહેતાં 70 વર્ષિય બિન્દુબહેન ત્રિવેદી માનસિક બિમારીથી પીડાય છે. આજરોજ બિન્દુબહેન પરિવારજનોની જાણ બહાર ઘરેથી નિકળી ગયા હતાં. વૃદ્ધા કયાંક જતી રહી હોવાથી પરિવારજનો ચિંતાતુર બન્યા હતાં. અને આખરે પોલીસને જાણ કરી હતી.
પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ તથા એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજા તથા એ.સી.પી. ડી. એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. સોલંકી તથા આર. સી. કાનમીયાની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો વૃદ્ધાની શોધખોળમાં લાગી ગઈ હતી. ટીમોએ સીસીટીવી ફૂટેજો ખંખોળીને ગણતરીના કલાકોમાં માનસિક અસ્વસ્થ વૃદ્ધાને છાણી ખાતેથી શોધી કાઢ્યા હતાં. અને પરિવારજનોને સુપરત કરી હતી. જેને પગલે પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.