રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે
તાજેતરમાં જીએમઇઆરએસ હોસ્પિટલના તબિબિ સ્ટાફ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યો, માંગ સંતોષાતા હડતાલ સમેટાઇ હતી
હવે નર્સિંગ સ્ટાફે પડતર માંગણીઓને લઇ સરકાર સામે વિરોધ શરૂ કર્યો
સમયસર મામલાનું નિરાકરણ નહિ આવે તો હડતાલની ચિમકી
WatchGujarat. રાજ્ય હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા નજીકથી પસાર થઇ રહ્યાની કટોકટી ભરી સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલમાં સેવારત નર્સિંગ સ્ટાફ પોતાની પડતર માંગણીઓને લઇને હાલ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યું છે. આજે વિરોધ પ્રદર્શન અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર સ્ટાફના કર્મીઓએ થાળી વાડકી ખખડાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા સત્વરે માંગણીઓ નહિ સ્વિકારમાં આવે તો આંદોલનની ચીમકી પણ કર્મીઓએ ઉચ્ચારી હતી.
https://youtu.be/ymd1kS6RnXk
રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સરકાર દ્વારા કોરોના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો વચ્ચે તાજેતરમાં જીએમઇઆરએસ હોસ્પિટલના તબિબિ સ્ટાફ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યો હતો. બે દિવસની હડતાળ બાદ મુખ્યમંત્રીની બાંહેધારી મળતા હડતાલ સમેટી લેવામાં આવી હતી. હવે નર્સિંગ એસોસિયેશને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રમાણે પગાર ધોરણ, ખાલી જગ્યા ભરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને પગાર ભથ્થામાં વધારો સાથેની અન્ય માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માંગ કરી છે. અને વાત સરકાર સુધી પહોંચાડવા માટે અનેક પ્રકારો વિરોધ પણ કરી રહ્યા છે.
એસએસજી હોસ્પિટલ મધ્યગુજરાતમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. એસએસજી હોસ્પિટલમાં પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ કરી રહ્યો છે. ગત રાત્રીએ સ્ટાફ દ્વારા સુપ્રીટેન્ડન્ટ ઓફિસ ખાતે મીણબત્તી પ્રગટાવી કોરોનાથી મૃત્યુ પામેલ નર્સોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ આજે સવારે તે જ જગ્યાએ થાળી વાડકી ખખડાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
તમામ માંગણીઓને સમયસર પુર્ણ કરવામાં નહિ આવે તો નર્સિંગ સ્ટાફે હડતાલ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આમ, કોરોના કાળમાં તબિબિ સેવા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફે પોતાની પડતર માંગણીઓને લઇને અનોખી રીતે વિરોધ કરીને તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે
તાજેતરમાં જીએમઇઆરએસ હોસ્પિટલના તબિબિ સ્ટાફ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યો, માંગ સંતોષાતા હડતાલ સમેટાઇ હતી
હવે નર્સિંગ સ્ટાફે પડતર માંગણીઓને લઇ સરકાર સામે વિરોધ શરૂ કર્યો
સમયસર મામલાનું નિરાકરણ નહિ આવે તો હડતાલની ચિમકી
WatchGujarat. રાજ્ય હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા નજીકથી પસાર થઇ રહ્યાની કટોકટી ભરી સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલમાં સેવારત નર્સિંગ સ્ટાફ પોતાની પડતર માંગણીઓને લઇને હાલ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યું છે. આજે વિરોધ પ્રદર્શન અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર સ્ટાફના કર્મીઓએ થાળી વાડકી ખખડાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા સત્વરે માંગણીઓ નહિ સ્વિકારમાં આવે તો આંદોલનની ચીમકી પણ કર્મીઓએ ઉચ્ચારી હતી.
રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સરકાર દ્વારા કોરોના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો વચ્ચે તાજેતરમાં જીએમઇઆરએસ હોસ્પિટલના તબિબિ સ્ટાફ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યો હતો. બે દિવસની હડતાળ બાદ મુખ્યમંત્રીની બાંહેધારી મળતા હડતાલ સમેટી લેવામાં આવી હતી. હવે નર્સિંગ એસોસિયેશને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રમાણે પગાર ધોરણ, ખાલી જગ્યા ભરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને પગાર ભથ્થામાં વધારો સાથેની અન્ય માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માંગ કરી છે. અને વાત સરકાર સુધી પહોંચાડવા માટે અનેક પ્રકારો વિરોધ પણ કરી રહ્યા છે.
એસએસજી હોસ્પિટલ મધ્યગુજરાતમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. એસએસજી હોસ્પિટલમાં પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ કરી રહ્યો છે. ગત રાત્રીએ સ્ટાફ દ્વારા સુપ્રીટેન્ડન્ટ ઓફિસ ખાતે મીણબત્તી પ્રગટાવી કોરોનાથી મૃત્યુ પામેલ નર્સોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ આજે સવારે તે જ જગ્યાએ થાળી વાડકી ખખડાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
તમામ માંગણીઓને સમયસર પુર્ણ કરવામાં નહિ આવે તો નર્સિંગ સ્ટાફે હડતાલ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આમ, કોરોના કાળમાં તબિબિ સેવા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફે પોતાની પડતર માંગણીઓને લઇને અનોખી રીતે વિરોધ કરીને તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.