કોરોનાને નાથવાના ઉદ્દેશ્યથી વડોદરા, રાજકોટ અને સુરતમાં આજથી રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.
કોવિડ ગાઈડલાન્સનું પાલન નહીં કરવાથી કોરોના સંક્રમણ વધી શકે છે.
તંત્ર દ્વારા દુકાનોમાં કોવિડ ગાઇડલાઇન્સના અમલનું ચેકીંગ હાથ ધરાયું
WatchGujarat. કોરોનાને નાથવાના ઉદ્દેશ્યથી વડોદરા, રાજકોટ અને સુરતમાં આજથી રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે સવારે એસટી ડેપો પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જો પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પર વિશેષ કાળજી રાખવામાં નહિ આવે તો આગામી સમયમાં કોરોના વકરી શકે છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલીકા તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન્સની અમલવારીનું કડક હાથે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શનિવારે સવારથી જ પાલીકાના તંત્ર દ્વારા ચેકીંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર અનેક દુકાનોને સીલ માર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવતી કામગીરી સરાહનીય છે. તેવા સમયે શહેરના એસટી ડેપો પર લોકોના ટોળા જોવા મળ્યા હતા. એસટી ડેપો પરથી બસ મારફતે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં લોકો અવર જવર કરતા હોય છે.
શનિવારે સવારે એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોએ માસ્કતો પહેર્યું હતું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનો ભારે અભાવ જોવા મળ્યો હતો. દુકાનોમાં ચેકીંગ કરવાની સાથે પબ્લીક ટ્રાન્સપોર્ટના સ્થળોએ પણ કોવિડ ગાઇડલાઇન્સનું કડક પાલન થવું જોઇએ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય તેવી જગ્યાઓ પર કોવિડ ગાઇડલાઇન્સના અમલમાં બેદરકારી કોરોના વધારી શકે છે.
કોવિડ ગાઈડલાન્સનું પાલન નહીં કરવાથી કોરોના સંક્રમણ વધી શકે છે.
તંત્ર દ્વારા દુકાનોમાં કોવિડ ગાઇડલાઇન્સના અમલનું ચેકીંગ હાથ ધરાયું
WatchGujarat.કોરોનાને નાથવાના ઉદ્દેશ્યથી વડોદરા, રાજકોટ અને સુરતમાં આજથી રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે સવારે એસટી ડેપો પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જો પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પર વિશેષ કાળજી રાખવામાં નહિ આવે તો આગામી સમયમાં કોરોના વકરી શકે છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલીકા તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન્સની અમલવારીનું કડક હાથે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શનિવારે સવારથી જ પાલીકાના તંત્ર દ્વારા ચેકીંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર અનેક દુકાનોને સીલ માર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવતી કામગીરી સરાહનીય છે. તેવા સમયે શહેરના એસટી ડેપો પર લોકોના ટોળા જોવા મળ્યા હતા. એસટી ડેપો પરથી બસ મારફતે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં લોકો અવર જવર કરતા હોય છે.
શનિવારે સવારે એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોએ માસ્કતો પહેર્યું હતું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનો ભારે અભાવ જોવા મળ્યો હતો. દુકાનોમાં ચેકીંગ કરવાની સાથે પબ્લીક ટ્રાન્સપોર્ટના સ્થળોએ પણ કોવિડ ગાઇડલાઇન્સનું કડક પાલન થવું જોઇએ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય તેવી જગ્યાઓ પર કોવિડ ગાઇડલાઇન્સના અમલમાં બેદરકારી કોરોના વધારી શકે છે.