કોરોનાને નાથવા માટે સરકારે રાજ્યભરમાં મીની લોકડાઉન લાદી દીધું છે
સવાર ક્વાટર્સના એક મકાનમાંથી દુર્ગંઘ આવવાને પગલે આસપાસના રહીશોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી
પોલીસ તપાસમાં માતા – પુત્રીનો ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો, ઘટનાને 4 – 5 દિવસ થયાનું અનુમાન
WatchGujarat. શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સવાદ ક્વાટર્સમાં રહસ્યમય સંજોગોમાં માતા – પુત્રીનો મૃતહેહ મળી આવ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ઘરમાંથી મૃતહેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વારસીયા વિસ્તારમાં રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વારસીયા વિસ્તારમાં સવાદ ક્વાટર્સ આવેલા છે. સવાર ક્વાટર્સમાં 161 નંબરના મકાનમાંથી દુર્ગંઘ આવતી હતી. દુર્ગંધ આવવાને પગલે આસપાસના રહીશોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ શરૂ કરતા ઘરમાંથી માતા અને પુત્રની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. માતા અને પુત્રીના નામ તારાબેન પવાર અને અરુણા બેન પવાર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ શકી હતી.
ઘટનાની જાણ થતા વારસીયા પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા – પુત્રીની લાશ પર જખમના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પરથી મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતદેહોમાંથી દુર્ગઁધ મારવાને પગલે ઘટનાને 4 – 5 દિવસ વિતી ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
લોકોની ચહલ – પહલ ધરાવતા વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા માતા – પુત્રીના મૃતદેહો મળી આવતા ઘટના સ્થળે લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા. પોલીસની તપાસ બાદ મોતના કારણે વિશે વધુ માહિતી પ્રાપ્ત થશે. હાલ, પોલીસે ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે સરકારે રાજ્યભરમાં મીની લોકડાઉન લાદી દીધું છે. તેવા સમયે મોટાભાગના શહેરીજનો ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. ત્યારે રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળવાને કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
કોરોનાને નાથવા માટે સરકારે રાજ્યભરમાં મીની લોકડાઉન લાદી દીધું છે
સવાર ક્વાટર્સના એક મકાનમાંથી દુર્ગંઘ આવવાને પગલે આસપાસના રહીશોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી
પોલીસ તપાસમાં માતા – પુત્રીનો ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો, ઘટનાને 4 – 5 દિવસ થયાનું અનુમાન
WatchGujarat. શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સવાદ ક્વાટર્સમાં રહસ્યમય સંજોગોમાં માતા – પુત્રીનો મૃતહેહ મળી આવ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ઘરમાંથી મૃતહેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વારસીયા વિસ્તારમાં રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વારસીયા વિસ્તારમાં સવાદ ક્વાટર્સ આવેલા છે. સવાર ક્વાટર્સમાં 161 નંબરના મકાનમાંથી દુર્ગંઘ આવતી હતી. દુર્ગંધ આવવાને પગલે આસપાસના રહીશોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ શરૂ કરતા ઘરમાંથી માતા અને પુત્રની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. માતા અને પુત્રીના નામ તારાબેન પવાર અને અરુણા બેન પવાર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ શકી હતી.
ઘટનાની જાણ થતા વારસીયા પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા – પુત્રીની લાશ પર જખમના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પરથી મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતદેહોમાંથી દુર્ગઁધ મારવાને પગલે ઘટનાને 4 – 5 દિવસ વિતી ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
લોકોની ચહલ – પહલ ધરાવતા વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા માતા – પુત્રીના મૃતદેહો મળી આવતા ઘટના સ્થળે લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા. પોલીસની તપાસ બાદ મોતના કારણે વિશે વધુ માહિતી પ્રાપ્ત થશે. હાલ, પોલીસે ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે સરકારે રાજ્યભરમાં મીની લોકડાઉન લાદી દીધું છે. તેવા સમયે મોટાભાગના શહેરીજનો ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. ત્યારે રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળવાને કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.