તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થયો
શહેરને એક જ દિસવમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા ભર વરસાદે પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ
તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિ મોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે
WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસરથી ગઈકાલે શહેરમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ઝાડ, હોર્ડિંગ પાડવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ હવે કોર્પોરેશનના મહી નદી ખાતેના ચાર માંથી ત્રણ ફ્રેન્ચકૂવાના વીજ પુરવઠો ન હોવાથી પંપો બંધ થઇ જતાં પાણીની કટોકટી સર્જાઇ છે. જેને લઈને શહેરના પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં બુધવારે 10 થી 20 મિનિટ સુધીનો પાણી કાપ રહેશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં પણ 10 થી 15 મિનિટ કાપ રહેશે. આજે શહેરીજનોએ કરકસર યુક્ત રીતે પાણીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. જો કે, વાવાઝોડાની અસર સામે પાલિકા તંત્ર પૂર્વ તૈયારીઓ કરવામાં ઉણુ ઉતર્યું હોવાનું આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે.
https://twitter.com/VMCVadodara/status/1394612037016121344?s=08
મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો. જેથી રાયકા દોડકા અને ફાજલપુરના 13 પંપો બંધ થઇ ગયા હતા. ગત રોજ ભારે પવન અને વરસાદમાં વીજ નિગમનો સ્ટાફ ફોલ્ટ શોધી રહ્યા હતા અને ફોલ્ટ મળતા જ રિપેરિંગ કામ શરુ કરી દીધું હતું.
મહી નદી ખાતે માત્ર પોઇચાના પંપ ચાલુ છે. કોર્પોરેશનને રાયકા, દોડકા અને ફાજલપુર કૂવામાંથી 37 એમએલડી એટલે કે 3 કરોડ 70 લાખ લીટરની ઘટ પડશે. જ્યારે ખાનપુરમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા ત્યાં પણ 10 એમએલડી એટલે કે 1 કરોડ લીટર ઘટ પડી છે. આમ કુલ 4 કરોડ 70 લાખ પાણી ઓછું મળ્યું છે.
ત્રણેય કૂવાનું પાણી શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 10 લાખની વસ્તીને મંગળવારની સાંજે જ પાણીની તકલીફ પડી હતી. અને બુધવારની સવારે આ ટાંકી હેઠળના સવારના ઝોનમાં પણ પાણીની રામાયણ રહેશે. જો સમયસર વીજ પુરવઠો પૂર્વવત ચાલુ ન થાય તો વધૂ દોઢ કરોડ લીટર પાણીની અછત ઊભી થશે અને તેના લીધે પાણી કાપ વધુ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાશે. આમ શહેરને એક જ દિસવમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા ભર વરસાદે પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ ઉભી થશે.
ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાયકા કૂવામાંથી 1 કરોડ 35 લાખ લીટર, દોડકા કૂવામાંથી 54 લાખ લીટર, દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 72 લાખ લીટર, પોઇચા કૂવાથી 18 લાખ લીટર અને ફાજલપુર કૂવાથી 1 કરોડ 80 લાખ લીટર પાણી ઓછું મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાલિકા દ્વારા ઠેર ઠેર પ્રિ મોન્સૂન કામગીરી હાથ કરવામાં આવી રહી છે. તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિ મોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે. વાવાઝોડાની ઘટનાથી બોધપાઠ લઈને કામગીરી કરવામાં આવશે તો શહેરીજનોને ચોમાસાની ઋતુમાં ઓછી હાલાકી ભોગવવી પડશે.
તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થયો
શહેરને એક જ દિસવમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા ભર વરસાદે પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ
તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિ મોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે
WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસરથી ગઈકાલે શહેરમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ઝાડ, હોર્ડિંગ પાડવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ હવે કોર્પોરેશનના મહી નદી ખાતેના ચાર માંથી ત્રણ ફ્રેન્ચકૂવાના વીજ પુરવઠો ન હોવાથી પંપો બંધ થઇ જતાં પાણીની કટોકટી સર્જાઇ છે. જેને લઈને શહેરના પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં બુધવારે 10 થી 20 મિનિટ સુધીનો પાણી કાપ રહેશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં પણ 10 થી 15 મિનિટ કાપ રહેશે. આજે શહેરીજનોએ કરકસર યુક્ત રીતે પાણીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. જો કે, વાવાઝોડાની અસર સામે પાલિકા તંત્ર પૂર્વ તૈયારીઓ કરવામાં ઉણુ ઉતર્યું હોવાનું આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે.
મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો. જેથી રાયકા દોડકા અને ફાજલપુરના 13 પંપો બંધ થઇ ગયા હતા. ગત રોજ ભારે પવન અને વરસાદમાં વીજ નિગમનો સ્ટાફ ફોલ્ટ શોધી રહ્યા હતા અને ફોલ્ટ મળતા જ રિપેરિંગ કામ શરુ કરી દીધું હતું.
મહી નદી ખાતે માત્ર પોઇચાના પંપ ચાલુ છે. કોર્પોરેશનને રાયકા, દોડકા અને ફાજલપુર કૂવામાંથી 37 એમએલડી એટલે કે 3 કરોડ 70 લાખ લીટરની ઘટ પડશે. જ્યારે ખાનપુરમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા ત્યાં પણ 10 એમએલડી એટલે કે 1 કરોડ લીટર ઘટ પડી છે. આમ કુલ 4 કરોડ 70 લાખ પાણી ઓછું મળ્યું છે.
ત્રણેય કૂવાનું પાણી શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 10 લાખની વસ્તીને મંગળવારની સાંજે જ પાણીની તકલીફ પડી હતી. અને બુધવારની સવારે આ ટાંકી હેઠળના સવારના ઝોનમાં પણ પાણીની રામાયણ રહેશે. જો સમયસર વીજ પુરવઠો પૂર્વવત ચાલુ ન થાય તો વધૂ દોઢ કરોડ લીટર પાણીની અછત ઊભી થશે અને તેના લીધે પાણી કાપ વધુ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાશે. આમ શહેરને એક જ દિસવમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા ભર વરસાદે પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ ઉભી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાલિકા દ્વારા ઠેર ઠેર પ્રિ મોન્સૂન કામગીરી હાથ કરવામાં આવી રહી છે. તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિ મોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે. વાવાઝોડાની ઘટનાથી બોધપાઠ લઈને કામગીરી કરવામાં આવશે તો શહેરીજનોને ચોમાસાની ઋતુમાં ઓછી હાલાકી ભોગવવી પડશે.