કોરોનાનો શારીરિક, આર્થિક, સામાજિક બાદ લોકોની માનસિકતા ઉપર વધતો ઘા
વાયરલ થયેલા અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરના વિડીયોથી લોકોમાં ભારે હળભળાટ
એક વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે હવે લોકો માનસિક રીતે પણ ભાંગી રહ્યાં છે
Watchgujarat. કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. લોકડાઉન, કરફ્યુ વચ્ચે વધતા જતા સંક્રમણને લઈ લોકો શારીરિક, આર્થિક, સામાજિક રીતે હવે માનસિક રીતે પણ મનોબળ ખોઇ રહ્યાં છે.
https://youtu.be/mLBNfIQGHPw
કોરોના મહામારીને 1 વર્ષ વીતી જવા છતાં તેને કન્ટ્રોલમાં આવવાનું નામ નહીં લેવા સાથે ઉલ્ટાનું વધુ ઘાતક બની વ્યાપક થઈ રહી હોય લોકોના માનસ પટલ પર તેની હવે તીવ્ર પ્રતિકૂળ અસરો વર્તાઈ રહી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કેટલાય કિસ્સાઓમાં કોરોના સામે સ્વજનોના જીવ બચી ન રહ્યાં હોય હવે લોકો માનસિક રીતે પણ હથિયાર હેઠા મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો ઉજાગર થઈ રહ્યા છે.
આવો જ કિસ્સો અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરથી સામે આવ્યો છે, જ્યાં ઓવરબ્રિજની રેલિંગ પરથી એક આધેડ વ્યક્તિ હાથમાં પૈસા ભરેલી પીળી થેલી સાથે પૈસાનો વરસાદ કરતો વિડીયો વાયરલ થયો છે. ઓવરબ્રિજની રેલિંગ ઓળગી સાઈડના પિલરના ટેકે ઉભેલો વ્યક્તિ પૈસાનો વરસાદ નીચે વરસાવી કહી રહ્યો છે કે, કોરોનાકાળમાં પૈસા કોઇ કામના નથી.
ચલણી નોટો બ્રિજ ઉપરથી નીચે ઉડાડતા ઉડાડતા આ વ્યક્તિ નીચે કુદવાનો પ્રયાસ કરવા જતાં બ્રિજ પરથી પસાર થતા અન્ય એક વ્યક્તિ અને મહિલાએ તેને પકડી લીધો હતો. જ્યારે બ્રિજ નીચે લોકોના ટોળે ટોળાં એકત્ર થઈ ગયા હતા તે પણ પૈસા ઉડાવતા આ વ્યક્તિ અને કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી કહી આપઘાતનો પ્રયાસ કરવા જતાં આધેડને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બ્રિજ ઉપરથી આધેડે પૈસા ફેકતા નીચે ઉભેલા કેટલાક વ્યક્તિઓએ તે ચલણી નોટોને પકડી પોતાની ખિસ્સામાં પણ મૂકી દીધા હતા.
જોકે સ્થાનિકો આ આધેડને બ્રિજ ઉપરથી નીચે કુદતા બચાવી લીધો હતો. આ મામલો પોલીસ ચોપડે ચઢ્યો નથી. જોકે વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ જિલ્લા સહિત સોશ્યલ મીડિયા પર પણ ભારે હળભળાટ મચાવ્યો છે.
કોરોનાના 1 વર્ષના સમયગાળામાં વધતા સંક્રમણ, મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછત, લાખો રૂપિયા અને રઝળપાટ કરવા છતાં કેટલાય કિસ્સાઓમાં જિંદગીઓ નહિ બચાવી શકતા હવે લોકોની માનસિકતા ઉપર પણ કોરોના હાવી થઈ રહ્યો છે. લોકડાઉન, કરફ્યુ, વેપાર-ધંધા બંધ, રોજગારી સાથે જીવનની પણ અનિશ્ચિતતાઓ વધી જતાં લોકોમાં તણાવ વધી રહ્યો છે જે કોરોના કરતા પણ ઘાતક સાબિત થઈ શકે છે.
કોરોનાનો શારીરિક, આર્થિક, સામાજિક બાદ લોકોની માનસિકતા ઉપર વધતો ઘા
એક વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે હવે લોકો માનસિક રીતે પણ ભાંગી રહ્યાં છે
Watchgujarat. કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. લોકડાઉન, કરફ્યુ વચ્ચે વધતા જતા સંક્રમણને લઈ લોકો શારીરિક, આર્થિક, સામાજિક રીતે હવે માનસિક રીતે પણ મનોબળ ખોઇ રહ્યાં છે.
કોરોના મહામારીને 1 વર્ષ વીતી જવા છતાં તેને કન્ટ્રોલમાં આવવાનું નામ નહીં લેવા સાથે ઉલ્ટાનું વધુ ઘાતક બની વ્યાપક થઈ રહી હોય લોકોના માનસ પટલ પર તેની હવે તીવ્ર પ્રતિકૂળ અસરો વર્તાઈ રહી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કેટલાય કિસ્સાઓમાં કોરોના સામે સ્વજનોના જીવ બચી ન રહ્યાં હોય હવે લોકો માનસિક રીતે પણ હથિયાર હેઠા મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો ઉજાગર થઈ રહ્યા છે.
આવો જ કિસ્સો અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરથી સામે આવ્યો છે, જ્યાં ઓવરબ્રિજની રેલિંગ પરથી એક આધેડ વ્યક્તિ હાથમાં પૈસા ભરેલી પીળી થેલી સાથે પૈસાનો વરસાદ કરતો વિડીયો વાયરલ થયો છે. ઓવરબ્રિજની રેલિંગ ઓળગી સાઈડના પિલરના ટેકે ઉભેલો વ્યક્તિ પૈસાનો વરસાદ નીચે વરસાવી કહી રહ્યો છે કે, કોરોનાકાળમાં પૈસા કોઇ કામના નથી.
ચલણી નોટો બ્રિજ ઉપરથી નીચે ઉડાડતા ઉડાડતા આ વ્યક્તિ નીચે કુદવાનો પ્રયાસ કરવા જતાં બ્રિજ પરથી પસાર થતા અન્ય એક વ્યક્તિ અને મહિલાએ તેને પકડી લીધો હતો. જ્યારે બ્રિજ નીચે લોકોના ટોળે ટોળાં એકત્ર થઈ ગયા હતા તે પણ પૈસા ઉડાવતા આ વ્યક્તિ અને કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી કહી આપઘાતનો પ્રયાસ કરવા જતાં આધેડને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બ્રિજ ઉપરથી આધેડે પૈસા ફેકતા નીચે ઉભેલા કેટલાક વ્યક્તિઓએ તે ચલણી નોટોને પકડી પોતાની ખિસ્સામાં પણ મૂકી દીધા હતા.
જોકે સ્થાનિકો આ આધેડને બ્રિજ ઉપરથી નીચે કુદતા બચાવી લીધો હતો. આ મામલો પોલીસ ચોપડે ચઢ્યો નથી. જોકે વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ જિલ્લા સહિત સોશ્યલ મીડિયા પર પણ ભારે હળભળાટ મચાવ્યો છે.
કોરોનાના 1 વર્ષના સમયગાળામાં વધતા સંક્રમણ, મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછત, લાખો રૂપિયા અને રઝળપાટ કરવા છતાં કેટલાય કિસ્સાઓમાં જિંદગીઓ નહિ બચાવી શકતા હવે લોકોની માનસિકતા ઉપર પણ કોરોના હાવી થઈ રહ્યો છે. લોકડાઉન, કરફ્યુ, વેપાર-ધંધા બંધ, રોજગારી સાથે જીવનની પણ અનિશ્ચિતતાઓ વધી જતાં લોકોમાં તણાવ વધી રહ્યો છે જે કોરોના કરતા પણ ઘાતક સાબિત થઈ શકે છે.