વિદેશ મોકલવાના નામે લોભામણા વાયદાઓ આપીને લોકો લુંટાતા રહે છે
મિત્રના ભરોષે વિદેશ જવા માટે એજન્ટને લાખો રૂપિયા ચુકવનાર દંપત્તિ છેતરાયા
પોલીસ તપાસમાં એજન્ટે અન્ય લોકો સાથે પણ ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું
પોલીસ ફરિયાદ કરી તો એજન્ટે વોઇઝ મેસેજ મોકલ્યો કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી
WatchGujarat. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ વાચ્છુકો પાસેથી નાણાં પડાવી વિઝા નહિ આપી 9.47 લાખની છેતરપિંડી આચરવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. તપાસ દરમિયાન અન્ય લોકો પણ આ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે છે.
આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવા પ્લાન બનાવી સારા એજન્ટને શોધી રહ્યા હતા. દરમિયાન તેમના ફોટોગ્રાફર મિત્ર રવિભાઈ બારોટ ( રહે - નડિયાદ) ની અલંકાર ટાવરમાં ઓફિસ હોય તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે. તેણે ઘણા બધા માણસોનું સારું કામ કર્યું છે તમારા કામની પણ હું બાહેધરી આપું છું. ત્યારબાદ તેમના મિત્રએ ભાવેશ ઘનશ્યામ વાળંદ ( રહે -વાણીયા શેરી, વાણંદ ફળિયું, વડોદરા) નો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન રૂ. 18 લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું અને કામ માટે ટિકિટ પેટે એડવાન્સ 1.50 લાખ આપ્યા હતા. ત્યાર બાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
દિલ્લી બોલાવી ફ્લાઇટ ટીકીટ આપવા માટે બે દિવસ રાહ જોવા જણાવ્યું
બે દિવસમાં ફ્લાઇટ ટિકિટ મળી જવાની ખાતરી આપતા તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ભાવેશભાઈનો સંપર્ક સાધતા સંપર્ક થયો ન હતો. જેથી તેઓએ પોલીસનો સંપર્ક સાંધતા ભાવેશે અલગ અલગ સમયે ઓડિયો મોકલીને જણાવ્યું હતું કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી. દરમિયાન પરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
7 વિદેશ વાંચ્છુકો પાસેથી 9.47 લાખ પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું
ફરિયાદના આધારે પોલીસે ભાવેશકુમાર અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે નાણાં પણ પડાવ્યા છે. જેમાં પિયુષભાઈ પટેલના 10 હજાર, અભિષેક પારેખના 1.50 લાખ, રફિકભાઈ 95 હજાર, ભાવિન પરમાર 1 લાખ, ડિસોઝા જોસેફના 47 હજાર, જયેશકુમારના 98,500, પીટર ફર્નાન્ડીઝના 47 હજાર મળી રૂ. 9.47લાખ તેમજ અન્ય બીજા ઘણા વ્યક્તિઓ પાસેથી નાણાં ખંખેરી પરત આપ્યા ન હોવાનું સપાટી પર આવ્યું છે.
વિદેશ મોકલવાના નામે લોભામણા વાયદાઓ આપીને લોકો લુંટાતા રહે છે
પોલીસ તપાસમાં એજન્ટે અન્ય લોકો સાથે પણ ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું
પોલીસ ફરિયાદ કરી તો એજન્ટે વોઇઝ મેસેજ મોકલ્યો કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી
WatchGujarat. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ વાચ્છુકો પાસેથી નાણાં પડાવી વિઝા નહિ આપી 9.47 લાખની છેતરપિંડી આચરવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. તપાસ દરમિયાન અન્ય લોકો પણ આ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે છે.
આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવા પ્લાન બનાવી સારા એજન્ટને શોધી રહ્યા હતા. દરમિયાન તેમના ફોટોગ્રાફર મિત્ર રવિભાઈ બારોટ ( રહે - નડિયાદ) ની અલંકાર ટાવરમાં ઓફિસ હોય તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે. તેણે ઘણા બધા માણસોનું સારું કામ કર્યું છે તમારા કામની પણ હું બાહેધરી આપું છું. ત્યારબાદ તેમના મિત્રએ ભાવેશ ઘનશ્યામ વાળંદ ( રહે -વાણીયા શેરી, વાણંદ ફળિયું, વડોદરા) નો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન રૂ. 18 લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું અને કામ માટે ટિકિટ પેટે એડવાન્સ 1.50 લાખ આપ્યા હતા. ત્યાર બાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
દિલ્લી બોલાવી ફ્લાઇટ ટીકીટ આપવા માટે બે દિવસ રાહ જોવા જણાવ્યું
બે દિવસમાં ફ્લાઇટ ટિકિટ મળી જવાની ખાતરી આપતા તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ભાવેશભાઈનો સંપર્ક સાધતા સંપર્ક થયો ન હતો. જેથી તેઓએ પોલીસનો સંપર્ક સાંધતા ભાવેશે અલગ અલગ સમયે ઓડિયો મોકલીને જણાવ્યું હતું કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી. દરમિયાન પરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
7 વિદેશ વાંચ્છુકો પાસેથી 9.47 લાખ પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું
ફરિયાદના આધારે પોલીસે ભાવેશકુમાર અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે નાણાં પણ પડાવ્યા છે. જેમાં પિયુષભાઈ પટેલના 10 હજાર, અભિષેક પારેખના 1.50 લાખ, રફિકભાઈ 95 હજાર, ભાવિન પરમાર 1 લાખ, ડિસોઝા જોસેફના 47 હજાર, જયેશકુમારના 98,500, પીટર ફર્નાન્ડીઝના 47 હજાર મળી રૂ. 9.47લાખ તેમજ અન્ય બીજા ઘણા વ્યક્તિઓ પાસેથી નાણાં ખંખેરી પરત આપ્યા ન હોવાનું સપાટી પર આવ્યું છે.