watchgujarat. વડોદરા સહિત રાજ્યમાં કોરોનાને કહેર જારી છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. તેવા સમયે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેના ઘટાડા સાથેના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. નવા જાહેર કરાયેલા ભાવમાં દર્દીઓના રૂમના ભાડામાં રૂ. 6 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. મેયર કેયુર રોકડીયા, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી ડો. વિનોદ રાવે પ્રેસ કોન્ફરન્સનના માધ્યમાથી જાણકારી આપી હતી.
ગુરૂવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 950 જેટલા વેન્ટીલેટર છે. અને વડોદરા પાસે 1 હજાર જેટલા વેન્ટીલેટર છે. વડોદરા પાસે અમદાવાદ કરતા વધારે વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તેમાંથી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 650 વેન્ટીલેટર છે. અને બાકીના વેન્ટીલેટર શહેરની ખાનગી હોસ્પિટલોમાં મુકવામાં આવ્યા છે. લોકોની તકલીફોને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ચુકવવા પડતા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તમામ હોસ્પિટલોએ ઘટાડેલા ભાવના પાટીયા મારવા પડશે. અને જો તે પ્રમાણે પૈસા નહિ વસુલે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મેયર કેયુર રોકડિયાએ ભાવ ઘટાના અંગે જાહેરાત કરતા કહ્યું કે, હવે હોસ્પિટલમાં સ્પેશીયલ, વીઆઇપી રૂમ જેવું નહિ રહે. કેટેગરી કાઢી નાંખવામાં આવી છે. દર્દીની તપાસ માટે આવતા સ્પેશીયાલીસ્ટ ડોક્ટર દિવસની એક વિઝીટના મહત્તમ રૂ. 1 હજાર લઇ શકશે. વીએમસી દ્વારા ગ્રીવન્સ સેલ ચલાવવામાં આવે છે. જો કોઇ હોસ્પિટલ દર્દી પાસેથી વધુ પૈસા વસુલે તેઓ ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી પાલિકા દ્વારા હોસ્પિટલો પાસેથી દર્દીઓના વધારે વસુલેલા રૂ. 36 લાખ પરત અપાવવામાં આવ્યા છે. અને આગળ પણ આ કામ ચાલુ રહેશે. ઓએસડી ડો. વિનોદ રાવે લોકોને હોસ્પિટલના બીલ ચેક મારફતે ભરપાઇ કરવા માટે અનુરોધ કર્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા ઘટાડવામાં આવેલા ભાવો
સેગમેન્ટ - 1 જુના ભાવ - નવા ભાવ - ઘટાડો
(ICU સિવાયની મેડીકલ ફેસીલીટી)
વોર્ડ 6,000 - 4,500 - 1,500
HDU 8,500 - 6,000 - 2,500
સેગમેન્ટ - 2 જુના ભાવ - નવા ભાવ - ઘટાડો
(કોર્પોરેટ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ICU ફેસીલીટી સાથે)
વોર્ડ 8,500 - 4,500 - 4,000
HDU (ઓક્સિજન સાથે) 12,000 - 6,000 - 6,000
ICU (વેન્ટીલેટર સિવાય) 18,000 - 13,500 - 4,500
ICU (વેન્ટીલેટર સાથે) 21,500 - 16,000 - 4,500
watchgujarat. વડોદરા સહિત રાજ્યમાં કોરોનાને કહેર જારી છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. તેવા સમયે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેના ઘટાડા સાથેના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. નવા જાહેર કરાયેલા ભાવમાં દર્દીઓના રૂમના ભાડામાં રૂ. 6 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. મેયર કેયુર રોકડીયા, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી ડો. વિનોદ રાવે પ્રેસ કોન્ફરન્સનના માધ્યમાથી જાણકારી આપી હતી.
ગુરૂવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 950 જેટલા વેન્ટીલેટર છે. અને વડોદરા પાસે 1 હજાર જેટલા વેન્ટીલેટર છે. વડોદરા પાસે અમદાવાદ કરતા વધારે વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તેમાંથી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 650 વેન્ટીલેટર છે. અને બાકીના વેન્ટીલેટર શહેરની ખાનગી હોસ્પિટલોમાં મુકવામાં આવ્યા છે. લોકોની તકલીફોને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ચુકવવા પડતા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તમામ હોસ્પિટલોએ ઘટાડેલા ભાવના પાટીયા મારવા પડશે. અને જો તે પ્રમાણે પૈસા નહિ વસુલે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મેયર કેયુર રોકડિયાએ ભાવ ઘટાના અંગે જાહેરાત કરતા કહ્યું કે, હવે હોસ્પિટલમાં સ્પેશીયલ, વીઆઇપી રૂમ જેવું નહિ રહે. કેટેગરી કાઢી નાંખવામાં આવી છે. દર્દીની તપાસ માટે આવતા સ્પેશીયાલીસ્ટ ડોક્ટર દિવસની એક વિઝીટના મહત્તમ રૂ. 1 હજાર લઇ શકશે. વીએમસી દ્વારા ગ્રીવન્સ સેલ ચલાવવામાં આવે છે. જો કોઇ હોસ્પિટલ દર્દી પાસેથી વધુ પૈસા વસુલે તેઓ ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી પાલિકા દ્વારા હોસ્પિટલો પાસેથી દર્દીઓના વધારે વસુલેલા રૂ. 36 લાખ પરત અપાવવામાં આવ્યા છે. અને આગળ પણ આ કામ ચાલુ રહેશે. ઓએસડી ડો. વિનોદ રાવે લોકોને હોસ્પિટલના બીલ ચેક મારફતે ભરપાઇ કરવા માટે અનુરોધ કર્યો હતો.