૬ માળની ઇમારતના પ્રત્યેક માળ પર ૨૦થી વધુ સ્પીકર દ્વારા સવાર સાંજ પ્રાર્થના અને પ્રેરણાદાયક ગીતો વગાડી સંગીત ચિકિત્સાનું આયોજન – ડો. ઓ. બી. બેલિમ
નોન કોવિડ એરિયામાં આવેલા નિયંત્રણ કક્ષમાં માઇક સિસ્ટમ રખાશે.
શહેરના કલાકારો દર્દીઓની સંગીત સેવા કરી શકે તેવી તક આપવાની વિચારણા.
વડોદરા. સયાજી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર મ્યુઝિક થેરાપી (સંગીત ચિકિત્સા) દ્વારા કરવાનું શરૂ કરાયું છે. જેના ભાગરૂપે 20થી વધુ સ્પિકર લગાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોન કોવિડ એરિયામાં આવેલા નિયંત્રણ કક્ષમાં માઈક સિસ્ટમ રખાશે. અને ત્યાંથી શહેરના કલાકારો સંગીત સેવા કરી શકે તેવી વિચારણા હાથ ધરાઈ છે.
સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધા ૬ માળની ઈમારતમાં આવેલી છે જેના પ્રત્યેક માળ પર સંગીતના પ્રસારણ માટે ૨૦થી વધુ સ્પીકર લગાવવામાં આવી રહ્યાં છે એવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી .બેલીમે જણાવ્યું કે, આ મ્યુઝિક સિસ્ટમ નો નિયંત્રણ કક્ષ તળ મજલે નોન કૉવીડ એરિયામાં છે. તેની સાથે જાહેર પ્રસારણ માટે માઇક સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જેની મદદથી પ્રત્યેક માળના દર્દીઓને જરૂરી સૂચનાઓનું સહેલાઇથી પ્રસારણ કરી શકાશે.
https://youtu.be/1m9erHAU9rk
તેમણે ઉમેર્યું કે, માઇક સિસ્ટમની મદદથી કલા નગરી વડોદરાના ગાયકો અને સંગીતકારોને કોવિડના દર્દીઓની સંગીત સેવાની તક આપવાની વિચારણા છે. નોન કૉવીડ વિસ્તારમાં આવેલા નિયંત્રણ કક્ષની માઇક સિસ્ટમની મદદથી શહેરના ઇચ્છુક કલાકારોને ગીતો ભજનો દર્દીઓને સલામત રીતે સંભળાવીને સંગીત સેવા આપવાની તક અપાશે. કોરોના સારવારમાં આ નવી પહેલ છે.
ડો. બેલિમે જણાવ્યું કે, હાલમાં સંગીત થેરાપીના ભાગ રૂપે મ્યુઝિક સિસ્ટમ લાગી જાય તે પછી રોજ સવારે નાસ્તા પછી ૧૦ મિનિટ સુમધુર ભજનો વગાડવા અને સાંજના ભોજન પહેલાં ૧૦ મિનિટ પ્રેરણા ગીતો, દેશભક્તિ ગીતો વગાડવા અને એ રીતે દર્દીઓને સકારાત્મકતા સિંચતી સંગીત થેરાપીનો લાભ આપવાનું આયોજન છે. જોકે, આઇસીયુમાં સ્પીકર નહિ લગાડાય પરંતુ સ્ટેબલ દર્દીઓ માટેના રિકવરી રૂમમાં તેની સુવિધા રખાશે.
અત્રે નોંધનિય છે કે, શહેરમાં વડીલજનો અને વ્યાયામ પ્રેમીઓ લાફિંગ કલબ દ્વારા હાસ્ય ચિકિત્સા અજમાવે છે. સયાજીના કૉવિડ વોર્ડમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સામૂહિક રમતો રમાડવામાં આવે છે. આ રોગ દર્દીના શ્વાસનો લય ખોરવી નાંખે છે. આ બંને દ્વારા શ્વાસની લયબદ્ધતા ફરીથી સામાન્ય થાય એવી આશા છે. દર્દીઓ ખૂબ જ ઉત્સાહથી યોગ, વ્યાયામ, હાસ્ય અને રમત ચિકિત્સામાં જોડાઈ રહ્યાં છે.
૬ માળની ઇમારતના પ્રત્યેક માળ પર ૨૦થી વધુ સ્પીકર દ્વારા સવાર સાંજ પ્રાર્થના અને પ્રેરણાદાયક ગીતો વગાડી સંગીત ચિકિત્સાનું આયોજન – ડો. ઓ. બી. બેલિમ
નોન કોવિડ એરિયામાં આવેલા નિયંત્રણ કક્ષમાં માઇક સિસ્ટમ રખાશે.
શહેરના કલાકારો દર્દીઓની સંગીત સેવા કરી શકે તેવી તક આપવાની વિચારણા.
વડોદરા. સયાજી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર મ્યુઝિક થેરાપી (સંગીત ચિકિત્સા) દ્વારા કરવાનું શરૂ કરાયું છે. જેના ભાગરૂપે 20થી વધુ સ્પિકર લગાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોન કોવિડ એરિયામાં આવેલા નિયંત્રણ કક્ષમાં માઈક સિસ્ટમ રખાશે. અને ત્યાંથી શહેરના કલાકારો સંગીત સેવા કરી શકે તેવી વિચારણા હાથ ધરાઈ છે.
સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધા ૬ માળની ઈમારતમાં આવેલી છે જેના પ્રત્યેક માળ પર સંગીતના પ્રસારણ માટે ૨૦થી વધુ સ્પીકર લગાવવામાં આવી રહ્યાં છે એવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી .બેલીમે જણાવ્યું કે, આ મ્યુઝિક સિસ્ટમ નો નિયંત્રણ કક્ષ તળ મજલે નોન કૉવીડ એરિયામાં છે. તેની સાથે જાહેર પ્રસારણ માટે માઇક સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જેની મદદથી પ્રત્યેક માળના દર્દીઓને જરૂરી સૂચનાઓનું સહેલાઇથી પ્રસારણ કરી શકાશે.
તેમણે ઉમેર્યું કે, માઇક સિસ્ટમની મદદથી કલા નગરી વડોદરાના ગાયકો અને સંગીતકારોને કોવિડના દર્દીઓની સંગીત સેવાની તક આપવાની વિચારણા છે. નોન કૉવીડ વિસ્તારમાં આવેલા નિયંત્રણ કક્ષની માઇક સિસ્ટમની મદદથી શહેરના ઇચ્છુક કલાકારોને ગીતો ભજનો દર્દીઓને સલામત રીતે સંભળાવીને સંગીત સેવા આપવાની તક અપાશે. કોરોના સારવારમાં આ નવી પહેલ છે.
ડો. બેલિમે જણાવ્યું કે, હાલમાં સંગીત થેરાપીના ભાગ રૂપે મ્યુઝિક સિસ્ટમ લાગી જાય તે પછી રોજ સવારે નાસ્તા પછી ૧૦ મિનિટ સુમધુર ભજનો વગાડવા અને સાંજના ભોજન પહેલાં ૧૦ મિનિટ પ્રેરણા ગીતો, દેશભક્તિ ગીતો વગાડવા અને એ રીતે દર્દીઓને સકારાત્મકતા સિંચતી સંગીત થેરાપીનો લાભ આપવાનું આયોજન છે. જોકે, આઇસીયુમાં સ્પીકર નહિ લગાડાય પરંતુ સ્ટેબલ દર્દીઓ માટેના રિકવરી રૂમમાં તેની સુવિધા રખાશે.
અત્રે નોંધનિય છે કે, શહેરમાં વડીલજનો અને વ્યાયામ પ્રેમીઓ લાફિંગ કલબ દ્વારા હાસ્ય ચિકિત્સા અજમાવે છે. સયાજીના કૉવિડ વોર્ડમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સામૂહિક રમતો રમાડવામાં આવે છે. આ રોગ દર્દીના શ્વાસનો લય ખોરવી નાંખે છે. આ બંને દ્વારા શ્વાસની લયબદ્ધતા ફરીથી સામાન્ય થાય એવી આશા છે. દર્દીઓ ખૂબ જ ઉત્સાહથી યોગ, વ્યાયામ, હાસ્ય અને રમત ચિકિત્સામાં જોડાઈ રહ્યાં છે.