બિલ્ડીંગ એક તરફ નમી રહી હોવાની બાબતને નજર અંદાજ કરવામાં આવતાં બનેલી દુર્ઘટના.
પહેલીવાર આસ્ફા એલઈડી લાઈટથી ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કુય ઓપરેશન હાથ ધરાયું.
બિલ્ડીંગ ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી.
1 મજૂરનું મોત
કોર્પોરેશન તંત્રના ભ્રષ્ટાચારને પગલે સર્જાયેલી દુર્ઘટના.
બિલ્ડર સામે સ્થાનિક લોકોમાં ભભૂકતો રોષ
[caption id="attachment_3953" align="aligncenter" width="1280"] (તસવીરો - ચિંતન શ્રીપાલી)[/caption]
વડોદરા. આજે મોડીરાત્રે શહેરના બાવામાનપુરા વિસ્તારમાં બની રહેલી નવી બિલ્ડીંગ ધરાશાયી થતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બિલ્ડીંગમાં બાળકો સાથે રહેતાં મજૂરો દટાઈ ગયા હતાં. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પહેલીવાર આસ્ફા એલઈડી લાઈટથી રેસ્કુય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગર સેવાસદનના ભ્રષ્ટ તંત્રને પગલે ઘણાં બિલ્ડરો મનફાવે તે રીતે કામગીરી કરતાં હોય છે. નફાખોરીની લાલચે બિલ્ડરો અને ભ્રષ્ટાચારીઓ સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં મુકતાં હોય છે. આ બાબતનો આજે વધુ એક પુરાવો પ્રાપ્ત થયો છે. જોકે, આજદીન સુધી અનેક નિર્દોષ નાગરીકોના મોત ભ્રષ્ટાચારીઓને છાવરવામાં માહીર સત્તાધારી ભાજપીઓ અને કોર્પોરેશન તંત્રના અધિકારીઓની સંવેદનાને જાગૃત કરી શકી નથી. બિલ્ડરની નિષ્કાળજી અને તંત્રની લાપરવાહીના ભોગે આજે નિર્દોષ મજૂરોની જીંદગી જોખમમાં મુકાઈ હોવાની ઘટના બની છે. જોકે, પૈસાનું જ ભોજન કરતાં ભ્રષ્ટાચારીઓના પેટનું પાણી હલે તેવી સ્હેજપણ આશા જણાતી નથી.
બાવામાનપુરાના પાણીગેટ વિસ્તારમાં બની રહેલી 4 માળની બિલ્ડીંગમાં મજૂરો બાળકો સાથેના પરિવાર સાથે રહે છે. નવી બની રહેલી બિલ્ડીંગ એક તરફ નમી રહી હતી. આ બાબતને નજર અંદાજ કરવામાં આવતાં આખરે આજે રાત્રે સવા બાર વાગ્યાના સુમારે બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે બિલ્ડીંગમાં રહેતાં આશરે 4 જેટલાં બાળકો સહિત મજૂરો કાટમાળમાં દટાઈ ગયા હતાં. બનાવને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો અને લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અને સ્થાનિક લોકોની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. બિલ્ડીંગ ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરાયેલાં વાહનોનો ખુરદો નિકળી ગયો હતો.
[caption id="attachment_3959" align="aligncenter" width="1280"] (રાત્રે 1.20 કલાકે એક મજૂરને મૃત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો. હજી પાંચેક જેટલાં લોકો દટાયા હોવાની શક્યતા)[/caption]
પ્રાથમિક માહિતી અનુસાર ધરાશાયી થયેલી નવી બિલ્ડીંગના કાટમાળમાં 6 જેટલાં મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં પહેલીવાર આસ્ફા એલઈડી લાઈટથી રેસ્કુય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ કાટમાળ હટાવવા માટે બે જેટલાં જેસીબી મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળમાંથી બહાર કઢાયેલાં શખ્સોને સારવાર સયાજી હોસ્પિટલમાં સારવર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જોકે, આ બનાવમાં 1 મજૂરનું મોત નિપજ્યું હોવાની વિગતો સત્તાવાર રીતે પ્રાપ્ત થતી નથી. તો બીજી તરફ, હલકી ગુણવત્તાની કામગીરી કરનાર બિલ્ડર પ્રત્યે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે.
બિલ્ડીંગ એક તરફ નમી રહી હોવાની બાબતને નજર અંદાજ કરવામાં આવતાં બનેલી દુર્ઘટના.
વડોદરા. આજે મોડીરાત્રે શહેરના બાવામાનપુરા વિસ્તારમાં બની રહેલી નવી બિલ્ડીંગ ધરાશાયી થતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બિલ્ડીંગમાં બાળકો સાથે રહેતાં મજૂરો દટાઈ ગયા હતાં. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પહેલીવાર આસ્ફા એલઈડી લાઈટથી રેસ્કુય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગર સેવાસદનના ભ્રષ્ટ તંત્રને પગલે ઘણાં બિલ્ડરો મનફાવે તે રીતે કામગીરી કરતાં હોય છે. નફાખોરીની લાલચે બિલ્ડરો અને ભ્રષ્ટાચારીઓ સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં મુકતાં હોય છે. આ બાબતનો આજે વધુ એક પુરાવો પ્રાપ્ત થયો છે. જોકે, આજદીન સુધી અનેક નિર્દોષ નાગરીકોના મોત ભ્રષ્ટાચારીઓને છાવરવામાં માહીર સત્તાધારી ભાજપીઓ અને કોર્પોરેશન તંત્રના અધિકારીઓની સંવેદનાને જાગૃત કરી શકી નથી. બિલ્ડરની નિષ્કાળજી અને તંત્રની લાપરવાહીના ભોગે આજે નિર્દોષ મજૂરોની જીંદગી જોખમમાં મુકાઈ હોવાની ઘટના બની છે. જોકે, પૈસાનું જ ભોજન કરતાં ભ્રષ્ટાચારીઓના પેટનું પાણી હલે તેવી સ્હેજપણ આશા જણાતી નથી.
બાવામાનપુરાના પાણીગેટ વિસ્તારમાં બની રહેલી 4 માળની બિલ્ડીંગમાં મજૂરો બાળકો સાથેના પરિવાર સાથે રહે છે. નવી બની રહેલી બિલ્ડીંગ એક તરફ નમી રહી હતી. આ બાબતને નજર અંદાજ કરવામાં આવતાં આખરે આજે રાત્રે સવા બાર વાગ્યાના સુમારે બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે બિલ્ડીંગમાં રહેતાં આશરે 4 જેટલાં બાળકો સહિત મજૂરો કાટમાળમાં દટાઈ ગયા હતાં. બનાવને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો અને લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અને સ્થાનિક લોકોની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. બિલ્ડીંગ ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરાયેલાં વાહનોનો ખુરદો નિકળી ગયો હતો.
[caption id="attachment_3959" align="aligncenter" width="1280"] (રાત્રે 1.20 કલાકે એક મજૂરને મૃત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો. હજી પાંચેક જેટલાં લોકો દટાયા હોવાની શક્યતા)[/caption]
પ્રાથમિક માહિતી અનુસાર ધરાશાયી થયેલી નવી બિલ્ડીંગના કાટમાળમાં 6 જેટલાં મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં પહેલીવાર આસ્ફા એલઈડી લાઈટથી રેસ્કુય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ કાટમાળ હટાવવા માટે બે જેટલાં જેસીબી મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળમાંથી બહાર કઢાયેલાં શખ્સોને સારવાર સયાજી હોસ્પિટલમાં સારવર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જોકે, આ બનાવમાં 1 મજૂરનું મોત નિપજ્યું હોવાની વિગતો સત્તાવાર રીતે પ્રાપ્ત થતી નથી. તો બીજી તરફ, હલકી ગુણવત્તાની કામગીરી કરનાર બિલ્ડર પ્રત્યે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે.