ATKTમાં પાસ થયા હોય તે વિદ્યાર્થીઓને સેમ- માં પાસ કરવા માંગ સાથે આવેદન.
વડોદરા. આજરોજ મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીનું જાહેર કરાયેલું પહેલાં વર્ષનું એટીકેટીનું પરિણામ રિપીટ થયું હોવાથી રાવ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આવેદન સુપરત કરવામાં આવ્યું હતું.
સાયન્સ ફેકલ્ટીના પૂર્વ જી.એસ. નિતીનસિંહ બારડના જણાવ્યા પ્રમાણે, તા. 1 સપ્ટેમ્બર 2020ના રોજ સાયન્સ ફેકલ્ટીનું પહેલાં વર્ષનું એટીકેટીનું પરિણામ જાહેર કરાયું હતું. આ પરિણામ કોઈને કોઈ જગ્યાએ રિપીટ થયું છે. જે વિદ્યાર્થઈઓને પાંચ – છ વિષયમાં એટીકેટી હતી, તે વિદ્યાર્થીઓને બધાં જ વિષયમાં ફરી એટીકેટી આપવામાં આવી છે. આવું એકાદ બે વિદ્યાર્થીઓ સાથે નહીં પરંતુ, ઘણાં બધાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા પાસ કરી દીધઈ છે તેવા વિદ્યાર્થીઓને સેમ-2માં જે મેરીટ બેઝ પ્રોગ્રેશનમાં પાસ કરી દેવાની વિનંતી સાથે આવેદન સુપરત કરાયું હતું. જેમાં સેમ-1ના બેઝ પર જ મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવી રહ્યું છે ત્યારે એટીકેટીના પરિણામ બાદ હવે એનું સેમ – 2નું પરિણામ પણ કરી આપવા વિનંતી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરોક્ત રજૂઆતો અંગે વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.
https://youtu.be/hI4f03ypgRE
- ATKTમાં પાસ થયા હોય તે વિદ્યાર્થીઓને સેમ- માં પાસ કરવા માંગ સાથે આવેદન.
વડોદરા. આજરોજ મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીનું જાહેર કરાયેલું પહેલાં વર્ષનું એટીકેટીનું પરિણામ રિપીટ થયું હોવાથી રાવ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આવેદન સુપરત કરવામાં આવ્યું હતું.
સાયન્સ ફેકલ્ટીના પૂર્વ જી.એસ. નિતીનસિંહ બારડના જણાવ્યા પ્રમાણે, તા. 1 સપ્ટેમ્બર 2020ના રોજ સાયન્સ ફેકલ્ટીનું પહેલાં વર્ષનું એટીકેટીનું પરિણામ જાહેર કરાયું હતું. આ પરિણામ કોઈને કોઈ જગ્યાએ રિપીટ થયું છે. જે વિદ્યાર્થઈઓને પાંચ – છ વિષયમાં એટીકેટી હતી, તે વિદ્યાર્થીઓને બધાં જ વિષયમાં ફરી એટીકેટી આપવામાં આવી છે. આવું એકાદ બે વિદ્યાર્થીઓ સાથે નહીં પરંતુ, ઘણાં બધાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા પાસ કરી દીધઈ છે તેવા વિદ્યાર્થીઓને સેમ-2માં જે મેરીટ બેઝ પ્રોગ્રેશનમાં પાસ કરી દેવાની વિનંતી સાથે આવેદન સુપરત કરાયું હતું. જેમાં સેમ-1ના બેઝ પર જ મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવી રહ્યું છે ત્યારે એટીકેટીના પરિણામ બાદ હવે એનું સેમ – 2નું પરિણામ પણ કરી આપવા વિનંતી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરોક્ત રજૂઆતો અંગે વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.