કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- વડસર, જ્યુબિલીબાગ, જી.આઈ.ડી.સી. રોડ, કારેલીબાગ, મુજમહુડા, વાઘોડીયા રોડ, તાંદલજા, માંજલપુર, આજવા રોડ, ન્યૂ સમા રોડ, કલાલી ફાટક, ફતેગંજ, કોઠી, એકતાનગર, વી.આઈ.પી. રોડ, તરસાલી, વાસણા ભાયલી રોડ, નવા બજાર, વારસીયા, સુભાનપુરા, સલાટવાડા, શિયાબાગ, માણેજા, દિવાળીપુરા, ગોત્રી રોડ, બાપોદ
ગ્રામ્યઃ ડેસર, જરોદ, પાદરા, સાવલી, ડભોઈ, વરણામા, ધાવટ, કરજણ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 115 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4417 સેમ્પલમાંથી 115 કોરોના પોઝિટીવ અને 4302 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12265 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 202 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1660 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1407ની હાલત સ્ટેબલ છે, જ્યારે 181 ઓક્સિજન પર અને 72 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 253 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 26 સરકારી હોસ્પિટલ ખાતેથી, 29 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 31 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 86 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10317 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4997 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4999 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 115 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4417 સેમ્પલમાંથી 115 કોરોના પોઝિટીવ અને 4302 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12265 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 202 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1660 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1407ની હાલત સ્ટેબલ છે, જ્યારે 181 ઓક્સિજન પર અને 72 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 253 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 26 સરકારી હોસ્પિટલ ખાતેથી, 29 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 31 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 86 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10317 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4997 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4999 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.