કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- ગદાપુરા, મુજમહુડા, બાજવાડા, હુજરત પાગા, સમા-સાવલી રોડ, કલાલી, અટલાદરા, શિયાબાગ, તરસાલી, મકરપુરા, નવાબજાર, ઓ.પી. રોડ, ફતેગંજ, હરણી, વાસણા – ભાયલી રોડ, ગોરવા, ગોત્રી, છાણી, વાઘોડીયા રોડ, તાંદલજા, ઇલોરાપાર્ક, દંતેશ્વર, અકોટા
ગ્રામ્યઃ સોખડા, વડુ, સમીયાલા, અનગઢ, શંકરપુરા, કરોડીયા, ફર્ટીલાઈઝરનગર, કોયલી, સેવાસી, બાજવા, ડભોઈ, સાવલી, ભાદરવા, કંડારી, વલણ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા આજરોજ 129 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4255 સેમ્પલમાંથી 129 કોરોના પોઝિટીવ અને 4126 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10688 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 178 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1500 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1270ની હાલત સ્ટેબલ છે, જ્યારે 167 ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 230 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 51 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 40 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9010 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4479 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 07 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4489 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા આજરોજ 129 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4255 સેમ્પલમાંથી 129 કોરોના પોઝિટીવ અને 4126 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10688 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 178 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1500 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1270ની હાલત સ્ટેબલ છે, જ્યારે 167 ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 230 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 51 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 40 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9010 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4479 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 07 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4489 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.